________________
૩૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૪-૨૫ અને સંયોગથી=અન્યોન્ય સંગ, તેના યોગથી=સ્પંડિલનાં દશેય વિશેષણોના અભાવવાળી ભૂમિમાં પ્રાપ્ત થતા દોષોના પરસ્પર સંબંધના યોગથી, મૂલગમ કરતાં=મૂળદોષોના ભેદ કરતાં, સવિશેષ દોષો થાય છે; કેમ કે તેનાથી અન્ય સંયોગીના સંબંધી દોષોનો ભાવ છે=એક સંયોગી ભાંગાથી પ્રાપ્ત થતા દોષથી અન્ય સંયોગી ભાંગાથી પ્રાપ્ત થતા દોષોનો સદ્ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - બિલવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાથી સર્પ વગેરે દ્વારા આત્મવિરાધના થવાનો સંભવ રહે, અને મૂત્ર બિલમાં પ્રવેશે તો કીડી વગેરે જીવોનો નાશ થવાથી સંયમવિરાધના થવાનો સંભવ રહે.
વળી ત્રસ કે બીજથી સંસક્ત ભૂમિમાં પણ આત્મવિરાધના અને સંયમવિરાધના થાય છે અર્થાત્ વીંછી વગેરે ત્રસ જીવો હોય તો સાધુને કરડવાથી આત્મવિરાધના થાય, અને વનસ્પતિ વગેરે સ્થાવર જીવો હોય તો તેનો સ્પર્શ થવાથી કે મળ-મૂત્ર તેના ઉપર પડવાથી સ્થાવર જીવોને કિલામણા થવાને કારણે સંયમવિરાધના થાય.
વળી, કોઈ ભૂમિ બિલવાળી પણ હોય અને ત્રસ-બીજથી સંસક્ત પણ હોય, તો તેવી ભૂમિમાં મળત્યાગ માટે બેસવાથી આત્મવિરાધના અને સંયમવિરાધના સવિશેષથી થાય છે. તે આ રીતે –
કોઈ ભૂમિમાં બિલ હોય અને આજુબાજુ ત્રસ અને સ્થાવર જીવો હોય, તો તેવી ભૂમિમાં મળવિસર્જન કરવા બેસવાથી ત્રસ અને સ્થાવર જીવોનો નાશ થાય છે, અને બિલની અંદર મળ-મૂત્ર જવાથી અંદર રહેલા કીડી આદિ જીવોનો પણ નાશ થાય છે; તેમ જ બિલની અંદર સાપ વગેરે હોય અને આજુ-બાજુ વીંછી વગેરે હોય તો તેઓથી પોતાને ઉપદ્રવ થવાની સંભાવના પણ રહે છે. આથી બિલવાળી અને ત્ર-સ્થાવર જીવોવાળી ભૂમિમાં સવિશેષથી આત્માની અને સંયમની વિરાધના થાય છે.
આમ, અંડિલના “બિલવર્જિત અને ત્રાસપ્રાણબીરહિત” એ બે વિશેષણોના અભાવવાળી ભૂમિમાં જેમ મૂલગમ કરતાં સવિશેષ દોષો યોજીને ઉપરમાં બતાવ્યા, તેમ શેષ પણ અનાપાત-અસંલોકાદિ અંડિલનાં અન્ય સર્વ વિશેષણોના અભાવવાળી ભૂમિમાં મળોત્સર્ગ કરવાથી પ્રાપ્ત થતાં મૂલગમ કરતા સવિશેષ દોષો સ્વયં યોજી લેવા. ૪૨૪ અવતરણિકા :
परिशुद्धे स्थण्डिले व्युत्सर्गविधिमाह - અવતરણિકા:
ગાથા ૩૯૯-૪00માં સ્પંડિલનાં ૧૦ વિશેષણો બતાવેલાં. ત્યારબાદ ક્રમસર તે ૧૦ વિશેષણોવાળા અંડિલના અભાવમાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. હવે તે સર્વદોષોથી પરિશુદ્ધ એવા સ્થડિલમાં વ્યુત્સર્ગની સંજ્ઞા વોસિરાવવાની, વિધિને કહે છે –
ગાથા :
दिसिपवणगामसूरिअ छायाए पमज्जिऊण तिक्खुत्तो । जस्सोग्गहो त्ति किच्चा णं वोसिरे आयमिज्जा वा ॥४२५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org