________________
૩૨
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૨-૪૨૩
ટીકાઃ ____ हस्तायतं हस्तविस्तीर्णं समन्तात् सर्वतः आयामविष्कम्भाभ्यां जघन्यं स्थण्डिलं, उत्कृष्टं योजनद्विषट्कमिति द्वादशयोजनं विस्तीर्णं चक्रवर्तिकटकनिवेशादौ, शेषं हि मध्यममिति गम्यते, चतुरङ्गलप्रमाणं जघन्यं दूरावगाढमिति, अत ऊर्ध्वमुत्कृष्टादिविभागः, अत्र च वृद्धसम्प्रदायः - "चउरंगुलोगाढे सण्णा वोसिरिज्जइ, ण काइया" इति गाथार्थः ॥४२२॥ ટીકાર્ય :
ચારેય બાજુથી=આયામ અને વિખંભ દ્વારા સર્વથી=લંબાઈ અને પહોળાઈ દ્વારા બધી બાજુથી, હાથ આયત=હાથ વિસ્તીર્ણ, જઘન્ય સ્પંડિલ છે=જીવરહિત ભૂમિ છે. ચક્રવર્તીના સૈન્યના નિવેશાદિમાં બાર યોજન વિસ્તીર્ણ ઉત્કૃષ્ટ સ્થડિલ છે. વળી શેષ સ્થડિલ મધ્યમ છે.
ચાર અંગુલના પ્રમાણવાળું જઘન્ય દૂરાવગાઢ અંડિલ છે. આનાથી ઊર્ધ્વ ઉત્કૃષ્ટદિનો વિભાગ થાય અને અહીં વૃદ્ધોનો સંપ્રદાય છેઃ ચાર અંગુલના અવગાઢવાળા સ્પંડિલમાં સંજ્ઞા=મળ, વોસિરાવે, કાયિકા નહીં-મૂત્ર નહીં,” એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સાધુને મળત્યાગ કરવા માટે વિસ્તીર્ણ ભૂમિમાં બેસવાનું છે, તેમાં એક હાથ લાંબી અને પહોળી નિર્દોષ ભૂમિ જઘન્ય વિસ્તીર્ણ કહેવાય, અને બાર યોજન લાંબી અને પહોળી નિર્દોષ ભૂમિ ઉત્કૃષ્ટ વિસ્તીર્ણ કહેવાય, અને શેષ લાંબી અને પહોળી ભૂમિ મધ્યમ વિસ્તીર્ણ કહેવાય. તેમાં બાર યોજનાના વિસ્તારવાળી નિર્દોષ ભૂમિની પ્રાપ્તિ ચક્રવર્તાની સેના છાવણી નાખીને રહેલી હોય, વગેરે કારણોથી થાય છે.
જે રીતે મળત્યાગ કરવા માટે વિસ્તીર્ણ નિર્દોષ ભૂમિ જોઈએ, તે રીતે જમીનમાં ઊંડાણવાળી પણ નિર્દોષ ભૂમિ જોઈએ, અને તે ઊંડાણવાળી ભૂમિને ‘દૂરાવગાઢ' શબ્દથી ગ્રહણ કરેલ છે. તેમાં ચાર અંગુલના ઊંડાણ સુધી અચિત્ત હોય તેવી ભૂમિ જઘન્ય પૂરાવગાઢ કહેવાય, અને તેનાથી વધારે ઊંડાણ સુધી અચિત્ત હોય તેવી ભૂમિમાં મધ્યમ અને ઉત્કૃષ્ટનો વિભાગ પડે.
વળી, વૃદ્ધસંપ્રદાય પ્રમાણે જમીન ઊંડાઈમાં ચાર અંગુલ સુધી અચિત્ત હોય તો સાધુ મળવિસર્જન કરે, પરંતુ માત્રુ ન કરે; કેમ કે માત્રુ વધારે ઊંડાણમાં જતું હોવાથી જીવવિરાધના થાય, અને ચાર અંગુલથી વધારે ઊંડાણ સુધી નિર્દોષ ભૂમિ હોય તો માત્રુ પણ કરી શકાય. તેથી મધ્યમ અને ઉત્કૃષ્ટ ભૂમિનો વિભાગ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી; કેમ કે જઘન્ય દૂરાવગાઢવાળી ભૂમિમાં મળત્યાગ કરી શકાય; તેમ જ મધ્યમ અને ઉત્કૃષ્ટ દૂરાવગાઢવાળી ભૂમિમાં માત્ર પણ કરી શકાય. I૪૨રો અવતરણિકા :
अधुनाऽऽसण्णमाह - અવતરણિતાર્થ :
હવે “આસન્ન' ચૅડિલને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org