________________
. ૩૧
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ‘ચંડિલ’ દ્વાર/ ગાથા ૪૨૧-૪૨૨ અચિરકાલકૃત નથી જ, એ પ્રકારનો ભાવ છે, અને વર્ષ વસેલા ગામાદિમાં દ્વાદશક=બાર વર્ષ સુધી, ચંડિલો અચિરકાલકૃત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
જે ભૂમિને કોઈક કારણોથી અગ્નિ વગેરેના દાહ દ્વારા ગૃહસ્થોએ શુદ્ધ કરી હોય, તે ભૂમિની માટી તે ઋતુ સુધી અચિત્ત રહે છે, તેથી તે ભૂમિ તે ઋતુમાં અચિરકાલકૃત કહેવાય અને બીજી ઋતુમાં ચિરકાલકૃત કહેવાય. અને ચિરકાલકૃત ભૂમિ સર્વથા અચિત્ત નથી, છતાં પ્રતાપનાદિથી ક્યારેય અચિત્ત નહીં કરાયેલી ભૂમિ કરતાં ચિરકાલકૃતભૂમિમાં ક્યારેક પ્રતાપનાદિ થયેલ હોવાને કારણે જીવોની સંભાવના ઓછી રહે છે.
આથી પ્રથમ અચિરકાલકૃત ભૂમિ મળતી હોય તો સાધુ તેમાં જ મળત્યાગ કરવા જાય, પરંતુ ક્યારેક અચિરકાલકૃત ભૂમિ ન મળે તો ચિરકાલકૃતભૂમિમાં પણ જાય. વળી, પ્રતાપનાદિથી અચિત્ત નહીં કરેલી ભૂમિમાં અથવા ગૃહસ્થોની અવર જવર વગરની ભૂમિમાં પ્રાયઃ માટી સચિત્ત હોય છે, અને જીવોનો ઉપદ્રવ પણ ઘણો હોય છે. તેથી તેવી ભૂમિમાં અત્યંત અપવાદ વગર સાધુ મળત્યાગ માટે જાય નહિ.
વળી કોઈ ઠેકાણે નવું નગર વસ્યું હોય અને એક આદિ વર્ષ પછી તે નગર કોઈ કારણસર નાશ પામ્યું હોય તો તે નગરની ભૂમિ બાર વર્ષ સુધી અચિરકાલકૃત કહેવાય. તેથી તેનું સ્થાન બાર વર્ષ સુધી અચિત્ત રહે છે. તેથી તેવી ભૂમિ મળાદિ વોસિરાવવા માટે શ્રેષ્ઠ ગણાય. ૪૨૧ અવતરણિકા:
विस्तीर्णदूरावगाढे अभिधित्सुराह - અવતરણિકાઈ:
‘વિસ્તીર્ણ” અને “દૂરાવગાઢ સ્પંડિલને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ભાવાર્થ :
ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થંડિલનાં ૧૦ વિશેષણોમાંથી પૂર્વગાથામાં પાંચમા વિશેષણનું સ્વરૂપ બતાવ્યું. હવે છઠ્ઠા અને સાતમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા :
हत्थाययं समंता जहन्नमुक्कोस जोअणबिछक्कं । दारं ।
चउरंगुलप्पमाणं जहन्नयं दूरमोगाढं ॥४२२॥ दारं ॥ અન્વયાર્થ :
સવંતા સ્થાય ચારેય બાજુથી હાથ આયત=એક હાથ પહોળું, ગ જઘન્ય (સ્થડિલ) છે. નો વિછદં ૩eોસ=બાર યોજનવાળું ઉત્કૃષ્ટ (ઈંડિલ) છે. વડાત્ર_માચાર અંગુલના પ્રમાણવાળું
દૂરમોનાલ્ડજઘન્ય દૂરાવગાઢ (સ્થડિલ) છે. ગાથાર્થ:
ચારેય બાજુથી એક હાથ પહોળું જઘન્ય સ્પંડિલ છે, અને બાર યોજનાના વિસ્તારવાળું ઉત્કૃષ્ટ સ્પંડિલ છે, ચાર અંગુલના પ્રમાણવાળું જઘન્ય દૂરાવગાઢ સ્પંડિલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org