________________
૨૮
પ્રતિદિનક્રિયાવક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૯-૪૨૦ અને સંયમોપઘાતવાળું, અંડિલ જાણવું. - ત્યાં તેના સ્વામીથી–તે બગીચાના માલિકથી, પિટ્ટના તાડના, થાય છે. જેથી કરીને આરામમાં–બગીચામાં, આત્માના ઉપઘાતવાળું ઈંડિલ જાણવું
અશુચિ થાય છે એથી કરીને વર્ચ=વર્ચનું સ્થાન=જ્યાં ગામના લોકોની વિઝા પડી હોય તેવું સ્થાન, પ્રવચનના ઉપઘાતવાળું સ્પંડિલ જાણવું; કેમ કે જુગુપ્સાનો સંભવ છે.
અગ્નિ=અંગારાદિના દાહનું સ્થાન, સંયમના ઉપઘાતવાળું અંડિલ જાણવું, કેમ કે અન્યત્ર અન્યત્ર કરણમાં કાયનો ઉપમર્દ થાય છે=જુદા-જુદા સ્થાને અંગારાદિનો દાહ કરવામાં છ કાયના જીવોનું ઉપમર્દન થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
ક્યારેક સાધુને મળત્યાગ કરવાની ઉતાવળ થઈ ગઈ હોય અને નજીકમાં કોઈ બગીચો હોય અને ત્યાં શુદ્ધભૂમિ મળવાથી તે સાધુ બગીચામાં મળ વોસિરાવે, તે વખતે બગીચાનો માલિક જુએ તો સાધુને મારે, જેથી આત્મોપઘાત થાય. કદાચ માલિકે સાધુને જોયા ન હોય તોપણ પાછળથી તેને ખબર પડે કે અહીં કોઈ સાધુ મળ વિસર્જન કરીને ગયા છે, તો તેને ધર્મ પ્રત્યે દ્વેષ થાય, અને કદાચ સાધુ મળોત્સર્ગ કરી ગયા છે તેવી ખબર ન પડે તોપણ મળ વિસર્જન કરનાર વ્યક્તિ પ્રત્યે તે બગીચાના માલિકને દ્વેષ થાય. એ સર્વમાં સાધુ નિમિત્ત બને, માટે અત્યંત અપવાદ વગર સાધુએ બગીચામાં મળત્યાગ કરવો ન જોઈએ.
વળી, ગામડામાં ભંગી જ્યાં મળ નાખી આવતા હોય, તેવા સ્થાનને વર્ચસ્થાન કહેવાય, અને ત્યાં આખા ગામની વિષ્ટા પડી હોય, અને ખૂબ ઉતાવળ થઈ જવાથી સાધુ જો તેવા સ્થાનમાં જઈને મળવિસર્જન કરે તો લોકોને થાય કે આ સાધુઓ આવા ગંદા સ્થાનમાં જનારા છે, માટે તેઓને જૈન સાધુ પ્રત્યે જુગુપ્સાનો ભાવ થાય, જેથી શાસનનો ઉપઘાત થાય.
વળી, મળત્યાગ કરવાની ઉતાવળ હોય અને નજીકમાં કોઈ શુદ્ધ ભૂમિ ન મળવાથી જ્યાં લોકો ઈંગાલકર્મ કરતા હોય ત્યાં જઈને સાધુ મળ વિસર્જન કરે તો અંગારકર્મ કરનારા લોકો તે સ્થાનને છોડીને અન્ય સ્થાને અંગારકર્મ કરે, જેથી તે અન્ય સ્થાનમાં રહેલા ઘણા ત્રસ-સ્થાવર જીવોનો નાશ થાય તેમાં સાધુ નિમિત્તકારણ બને; કેમ કે જો સાધુએ મળવિસર્જન અંગારાદિ બાળવાના સ્થાનમાં ન કર્યું હોત તો અંગારકર્મ કરનાર લોકો પોતાના રોજના સ્થાને જ અંગારકર્મ કરત, અને રોજ અંગારા આદિ બાળવાના સ્થાનમાં લગભગ જીવો ન હોવાથી જીવોનો નાશ થવાનો સંભવ અલ્પ રહેત. આથી અંગારા આદિ બાળવાના સ્થાને મળવિસર્જન કરે તો તે સાધુના સંયમનો ઉપઘાત થાય. I૪૧૯ી અવતરણિકા:
उक्तमुपघातवत्, साम्प्रतं व्यतिरेकदोषोपदर्शनद्वारेणैव समाशुषिरे भणति - અવતરણિતાર્થ :
ઉપઘાતવાળું સ્પંડિલ કહેવાયું. હવે વ્યતિરેકથી દોષોના ઉપદર્શનના દ્વારથી જ સમ અને “અશુષિર’ સ્પંડિલને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org