SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રતિદિનચાવતુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૮ ગાથા : आवायदोस तइए बिइए संलोगओ भवे दोसा । ते दो वि नत्थि पढमे तहिं गमणं भणिअविहिणा उ ॥४१८॥ (दारं)। અન્વયાર્થ: તફા આવીયો તૃતીયમાં–ત્રીજા ભાંગાવાળી ભૂમિમાં, આપાતથી દોષો થાય છે, વિફા સંનોસો તો બવે-દ્વિતીયમાં=બીજા ભાંગાવાળી ભૂમિમાં, સંલોકથી દોષો થાય છે, તે રો વિ તે બંન્ને પણ આપાત અને સંલોક તે બન્નેથી પણ થતા દોષો, પઢશે નત્વિ=પ્રથમમાં પહેલા ભાંગાવાળી ભૂમિમાં, નથી, (આથી) ત્યાં પ્રથમ ભાંગાવાળી ભૂમિમાં, વિUિT =ભણિતવિધિથી જ અમv=જવું. ગાથાર્થ: ત્રીજા ભાંગાવાળી ભૂમિમાં આપાતથી દોષો થાય છે, બીજા ભાંગાવાળી ભૂમિમાં સંલોકથી દોષો થાય છે, આપાત અને સંલોક તે બંનેથી પણ દોષો પ્રથમ ભાંગાવાળી ભૂમિમાં નથી. તેથી પ્રથમ ભાંગાવાળી ભૂમિમાં કહેવાયેલ વિધિથી જ જવું જોઈએ. ટીકાઃ आपातदोषास्तृतीये भङ्ग इति सूत्रक्रमप्रामाण्याद्, द्वितीये भङ्गके संलोकतो भवेयुर्दोषाः, तौ द्वावपि न स्तः प्रथमे भङ्गेऽतस्तत्र गमनं, कथमित्याह - भणितविधिनैवेति गाथार्थः ॥४१८॥ ટીકાર્ચઃ સૂત્રના ક્રમનું પ્રામાણ્ય હોવાથી=ગાથા ૪૦૬માં બતાવેલ ચતુર્ભગીરૂપ શાસ્ત્રમાં બતાવેલ ક્રમનું પ્રમાણપણું હોવાથી, ત્રીજા ભંગમાં આપાતથી દોષો થાય, બીજા ભંગમાં સંલોકથી દોષો થાય, તે બંને પણ દોષો પ્રથમ ભંગમાં થતા નથી. આથી ત્યાં પ્રથમ ભંગવાળા ઈંડિલમાં, જવું. કેવી રીતે જવું? એથી કહે છે – કહેવાયેલ વિધિથી જ જવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૪૦૬માં અનાપાત-અસંલોક નામના અંડિલના પ્રથમ વિશેષણની ચતુર્ભગી બતાવી, તે રૂપ શાસ્ત્રમાં બતાવેલ ક્રમના પ્રામાણ્યથી પ્રાપ્ત એવા ત્રીજા આપાત-અસંલોકરૂપ ભાંગામાં આપાતના દોષો થાય છે અર્થાત્ પૂર્વે પુરુષ-સ્ત્રી-નપુંસકના આપાતવાળા અંડિલમાં જવાથી જે દોષો બતાવ્યા, તે સર્વ દોષો થાય છે; તેમ જ શાસ્ત્રક્રમના પ્રામાણ્યથી પ્રાપ્ત એવા બીજા અનાપાત-સંલોકરૂપ ભાંગામાં સંલોકના દોષો થાય છે અર્થાત્ પૂર્વે પુરુષ-સ્ત્રી-નપુંસકના સંલોકવાળા ચંડિલમાં જવાથી જે દોષો બતાવ્યા તે સર્વ દોષો થાય છે. વળી પહેલા અનાપાત-અસંલોકરૂપ ભાંગામાં એક પણ દોષ થતો નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી સાધુએ પ્રથમ ભાંગાવાળી શુદ્ધ ભૂમિમાં જ પૂર્વે કહેલી વિધિથી જ મળવિસર્જન અર્થે જવું જોઈએ. અહીં ચોથા આપાત-સંલોકરૂપ ભાંગાની વિવક્ષા કરી નથી, પરંતુ અર્થથી ફલિત થાય છે કે ચોથા પણ ભાંગાવાળી શુદ્ધ ભૂમિ સાધુને મળવિસર્જન કરવા માટે વજર્ય છે. I૪૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy