SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૫-૧૬ ભાવાર્થ : - સાધુ પાસે પાણી અલ્પ હોય, મલિન હોય કે ન હોય તો પુરુષ આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાથી સાધુનો અવર્ણવાદ થાય, અને સાધુ જયારે ફરી તે ગૃહસ્થના ઘરે વહોરવા જાય ત્યારે જૈન સાધુને જોઈને ધોવણવાળું પાણી કે અન્ય ગોચરી વગેરે વહોરાવવાનો ગૃહસ્થ નિષેધ કરે; કેમ કે તેઓને થાય કે જૈન સાધુઓ મળત્યાગ કર્યા પછી આ પાણીથી જ શુદ્ધિ કરશે. અથવા થોડા પાણીથી શુદ્ધિ કરશે, માટે મિલિનગાત્રવાળા સાધુને અમે ન વહોરાવીએ. વળી, સંયમધર્મથી વિમુખ લોકોને સંયમ પ્રત્યે વિપરીત પરિણામ થાય અર્થાત્ અલ્પ કે મલિન પાણીથી સાધુઓને શુદ્ધિ કરતા જોઈને તેઓને થાય કે આ સાધુઓના ધર્મમાં અશુચિને પણ બરાબર સ્વચ્છ કરવાની વિધિ નથી, તેથી તેઓનો ધર્મ વિવેક વગરનો છે. આમ,લોકોને જૈનધર્મ પ્રત્યે દુર્ભાવ થાય, અને તેઓને પાપબંધ થાય તેમાં સાધુ પણ નિમિત્તકારણ બને. વળી, સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાથી સ્ત્રી-નપુંસકને શંકા થાય કે આ સાધુઓ અમારી કામનાથી અહીં આવ્યા હોવા જોઈએ, અને સાધુને જોઈને ક્વચિત્ તેઓને કામનો ઉક થાય તો સ્ત્રી કે નપુંસક સામેથી આવીને સાધુને સ્પર્શાદિ કરે. આવા અનેક દોષોની સંભાવના હોવાથી તે દોષોના પરિહાર અર્થે સાધુએ પુરુષ, સ્ત્રી કે નપુંસકના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ કરવા માટે ન જવું, એ શ્રેય છે. II૪૧પો અવતરણિકા : उक्तः (? मानुषा) पुरुषापातवति दोषः, तिर्यगापातवत्याह - અવતરણિકાર્ય : મનુષ્યના આપાતવાળા અંડિલમાં દોષ કહેવાયો. હવે તિર્યચના આપાતવાળા સ્પંડિલમાં દોષને કહે છે – ભાવાર્થ : ગાથા ૪૦૯માં મનુષ્ય અને તિર્યંચ એમ બે પ્રકારનું પરપક્ષઆપાતવાળું અંડિલ બતાવ્યું. તેમાંથી ગાથા ૪૧૦-૪૧૧માં મનુષ્યપરપક્ષઆપાતવાળા ડિલના ભેદો બતાવ્યા અને ગાથા ૪૧૨માં તિર્યંચ પરપક્ષ આપાતવાળા સ્પંડિલના ભેદો બતાવ્યા. ત્યાર પછી ગાથા ૪૧૩માં સ્વપક્ષના આપાતવાળા અંડિલમાં પણ અમનોજ્ઞસંવિગ્નસંયતના અને અસંવિગ્નસંયતના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષો બતાવ્યા. ત્યારપછી ગાથા ૪૧૪-૪૧૫માં પરપક્ષના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષો બતાવ્યા. આ રીતે ગાથા ૪૧૩થી ૪૧પમાં મનુષ્યના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષો કહેવાયા. હવે તિર્યંચના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષને કહે છે – નોંધઃ પુરુષાપતિવતિ છે, તેને સ્થાને મનુષાપાતતિ હોવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy