________________
૨૨
પ્રતિદિનક્રિયાવસ્તુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૫
અવતરણિકા:
તથા -
અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં જવાથી સાધુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. વળી બીજા પણ દોષો બતાવવા માટે તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા :
दव अप्प कलुस असई अवण्ण पडिसेह विप्परीणामो ।
સંક્રાફમાં રૂ(2૩) વોરા પરિસ્થીનું મ9 i = ૪૨ અન્વયાર્થ :
રવ વાસ્તુ દ્રવ=આચમન માટેનું પાનક, અલ્પ હોતે છતે, કલુષ હોતે છતે, (અથવા) નહીં હોતે છતે ૩ વા=અવર્ણ, પરિસેપ્રતિષેધ (અને) વિપરીપાનો વિપરિણામ થાય છે. પંડિત્થીનું =વળી પડક-સ્ત્રીઓમાં નપુંસક-સ્ત્રીના આપાતવાળા અંડિલમાં, સંમા રોલા=શંકાદિ દોષો થાય નું ૨ મ=અને જે થાય=નપુંસક અને સ્ત્રી દ્વારા ગ્રહણાદિ થાય. ગાથાર્થ :
આચમન માટેનું પાનક અલ્પ હોતે છતે, કલુષ હોતે છતે, અથવા નહીં હોતે છતે અવર્ણ, પ્રતિષેધ અને વિપરિણામ થાય છે. વળી નપુંસક અને સ્ત્રીના આપાતવાળા સ્પંડિલમાં શંકાદિ દોષો થાય, અને નપુંસક-સ્ત્રી દ્વારા ગ્રહણાદિ થાય. ટીકાઃ
द्रवे अल्पे तथा कलुषे असति वा, अवर्ण इत्यश्लाघा, प्रतिषेधः तद्रव्यान्यद्रव्ययोः, विपरीणामो विमुखानां, पुरुषापातवद्दोषः, स्त्र्याद्यापातवद्दोषमाह-शङ्कादयस्तु दोषाः स्त्रीनपुंसकयोरिति तदापातवतीत्यर्थः, भवेद्यच्च ताभ्यां सकाशाद् ग्रहणादीति गाथार्थः ॥४१५॥ ટીકાઈઃ
દ્રવ=પાણી, અલ્પ હોતે છતે, કલુષ હોતે છતે અથવા નહીં હોતે છતે અવર્ણ થાય=અશ્લાઘા થાય, તે દ્રવ્ય અને અન્ય દ્રવ્યનો પ્રતિષેધ થાય મળત્યાગ માટેના પાનકનો અને પાનકથી અન્ય એવી ભિક્ષા આદિનો ગૃહસ્થ દ્વારા નિષેધ થાય, વિમુખોને વિપરિણામ થાય=ધર્મથી પરામુખ થયેલા જીવોને સાધુઓને જોઈને વિપરીત પરિણામ થાય. આ સર્વ પુરુષના આપાતવાળા ચંડિલના દોષ છે. સ્ત્રી આદિના આપાતવાળા સ્પંડિલના દોષને કહે છે – વળી સ્ત્રી અને નપુંસકમાં તેના આપાતવાળામાં સ્ત્રી અને નપુંસકના આપાતવાળા સ્પંડિલમાં, શંકાદિ દોષો થાય. અને તેઓ દ્વારા=સ્ત્રી અને નપુંસક દ્વારા, જે ગ્રહણાદિ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org