________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૪
અન્વયાર્થ :
નWજ્યાં અદ્દે વેવ્યાનો=અમે જઈએ છીએ, જસ્થ =અને જ્યાં =અમારો નાફવો જ્ઞાતિવર્ગ માયડુ ફરે છે, (ત્યાં) પરિમવ ખેમા સંક્રેમન્નિા વા વિ=પરિભવ કરતા, કામના કરતા, અથવા અપાયેલ સંકેતવાળા સાધુઓ (જાય છે.) ગાથાર્થ :
જ્યાં અમે મળત્યાગ માટે જઈએ છીએ, અને જ્યાં અમારો જ્ઞાતિવર્ગ મળત્યાગ માટે ફરે છે, ત્યાં પરિભવ કરતા, કામના કરતા, અથવા અપાયેલ સંકેતવાળા સાધુઓ જાય છે. ટીકા? ___ यत्र वयं गच्छामः पुरीषोत्सर्गाय, यत्र चाऽऽचरति पुरीषोत्सर्गार्थं ज्ञातिवर्गो नः स्वजनवर्गोऽस्माकं, एतेऽपि तत्र गच्छन्ति, इति परिभवन्तः सन्तः, तथा कामयमानाः, काञ्चित् स्त्रियं दत्तसङ्केतका वाऽपि गच्छन्तीत्यगारिणामध्यवसायो भवतीति गाथार्थः ॥४१४॥ ટીકાઈઃ
જ્યાં અમે પુરીષના ઉત્સર્ગ માટે=મળનો ત્યાગ કરવા માટે, જઈએ છીએ, અને જ્યાં અમારો જ્ઞાતિવર્ગ–અમારો સ્વજનવર્ગ, પુરીષના ઉત્સર્ગ અર્થે મળના ત્યાગ માટે, ફરે છે, ત્યાં આ પણ=સાધુઓ પણ, જાય છે. એથી પરિભવ કરતા છતા=અમને ક્ષોભ પમાડતા છતા, અને કામના કરતા=અમને આ રીતે બેઠેલા જોવાની અભિલાષા કરતા, અથવા કોઈક સ્ત્રીને અપાયેલ સંકેતવાળા એવા સાધુઓ જાય છે=અમારા મળોત્સર્ગ કરવાના સ્થાને જાય છે. એ પ્રકારે અગારીઓને ગૃહસ્થોને, અધ્યવસાય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સામાન્ય રીતે સાધુઓ મળત્યાગ માટે સંયતસ્વપક્ષઆપાતવાળી ભૂમિમાં જાય છે, અને સંતસ્વપક્ષઆપાતવાળી ભૂમિ ન મળે તો પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં જાય છે; પરંતુ ત્યાં જવાથી દોષો થાય તેવું હોય તો સાધુ પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે ન જાય, અને તે દોષો નીચે પ્રમાણે
ગામના લોકો જ્યાં મળત્યાગ માટે જતાં હોય ત્યાં સાધુઓ પણ મળત્યાગ માટે જાય તો તે પુરુષોને એવો વિચાર આવે કે જ્યાં અમે મળત્યાગ માટે જઈએ છીએ અને અમારો સ્વજનવર્ગ મળોત્સર્ગ માટે જાય છે, ત્યાં આ સાધુઓ આવે છે. તેથી નક્કી આ સાધુઓ અમને ક્ષોભ પમાડવા આવતા હોય એમ જણાય છે, અથવા અમને આવી અવસ્થામાં બેઠેલા જોવાની કામનાથી અહીં આવતા હોય એમ જણાય છે, અથવા આ સાધુઓએ કોઈ સ્ત્રીને અહીં આવવાનો સંકેત આપેલો હોવો જોઈએ, તેથી બધા સાધુઓ જ્યાં જાય છે તે સ્થાનને છોડીને આ સાધુઓ અમારા સ્થાનમાં આવે છે. આવા પ્રકારનો ગૃહસ્થોને અધ્યવસાય થાય, તો સાધુએ તે પરપક્ષપુરુષઆપાતવાળી ભૂમિમાં જવું જોઈએ નહીં. I૪૧૪ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org