________________
૨૦
'પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૧૩-૧૪
ભાવાર્થ :
સાધુ મળ, મૂત્રાદિ વોસિરાવવા માટે સ્વપક્ષપાતવાળી ભૂમિને પ્રથમ પસંદ કરે છે, અને તેમાં પણ જયાં સંતસંવિગ્નમનોજ્ઞ સાધુઓ આવતા હોય, તેવી સ્વપક્ષપાતવાળી ભૂમિમાં જવું જોઈએ; કેમ કે ત્યાં કોઈ દોષ નથી. પરંતુ જો સ્વપક્ષસંયતસંવિગ્નઅમનોજ્ઞ સાધુઓના આપાતવાળી ભૂમિમાં જવામાં આવે તો અમનોજ્ઞ સાધુની સામાચારી મનોજ્ઞ સાધુ કરતાં જુદી હોવાને કારણે તેઓની વિપરીત આચરણા જોઈને નવદીક્ષિત સાધુને પ્રશ્ન થાય કે “આ પણ સાધુ જ છે, છતાં તેઓ કેમ વિપરીત આચરણ કરે છે?” તેથી નવદીક્ષિત સાધુ અમનોજ્ઞ સાધુની સાથે કલહ કરીને કહે કે “તમે સાધુ થઈને આવી વિપરીત આચરણા કેમ કરો છો?” આથી નવદીક્ષિત સાધુ સાથે હોય તો ગીતાર્થ સાધુ અમનોજ્ઞ સાધુના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે ન જાય. આમ છતાં મનોજ્ઞ સાધુના આપાતવાળી ભૂમિ ન મળે અથવા અન્ય શુદ્ધ ભૂમિ મળતી ન હોય અને કલહ થવાનો પ્રસંગ આવે તેમ ન હોય તો, અમનોજ્ઞ સાધુના આપાતવાળી ભૂમિમાં પણ મળાદિ વોસિરાવવા માટે જવામાં કોઈ વાંધો નથી.
આ સર્વ કથન સ્વપક્ષસંયતસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિને આશ્રયીને કર્યું. હવે સ્વપક્ષસંયતઅસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિની અપેક્ષાએ થતા દોષ બતાવે છે –
જે ભૂમિમાં અસંવિગ્ન સાધુઓ આવતા હોય, તે ભૂમિમાં સાધુએ જવું જોઈએ નહિ; કેમ કે અસંવિગ્ન સાધુઓ પ્રાયઃ કરીને મળત્યાગ કર્યા પછી વધારે પાણીથી શુદ્ધિ કરતા હોય છે. તેથી તેઓને ઘણા પાણીથી શુદ્ધિ કરતા જોઈને પ્રકૃતિથી શૌચવાદી એવા સંવિગ્ન શૈક્ષ, કે સંયમજીવનમાં અતિઅલ્પ પાણી વાપરવારૂપ પરિષહથી પરાજિત થયેલા સાધુ વિચાર કરે કે “આ પણ સાધુ જ છે, છતાં પૂરતા પાણીથી શુદ્ધિ કરે છે. માટે તેમની સાથે રહીને આપણે સંયમજીવન પાળી શકીશું.” આમ વિચારીને તે શૈક્ષકાદિ સંવિગ્ન સાધુને છોડીને અસંવિગ્ન સાધુ પાસે જાય, અને તેથી તેનું જે અહિત થાય, તેમાં નિમિત્તકારણ અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ માટે જવાની પ્રવૃત્તિ બને છે.આથી આવો દોષ થવાની સંભાવના હોય. તો સાધુ મળત્યાગ માટે થોડી અશુદ્ધભૂમિમાં જાય, પરંતુ અસંવિગ્નના આપાતવાળી ભૂમિમાં ન જાય; કેમ કે શૈક્ષાદિનું સંયમજીવનથી પતન થાય તે મોટો દોષ છે. ll૧૩ll અવતરણિકા:
संयत्यापातवति तु न गन्तव्यमेव, परपक्षपुरुषापातवति दोषमाह - અવતરણિતાર્થ:
પૂર્વગાથામાં સ્વપક્ષસંયતસંવિગ્ન એવા પણ અમનોજ્ઞના અને અસંવિગ્ન સાધુના આપાતવાળા સ્પંડિલમાં જવાથી થતા દોષ બતાવ્યા.
વળી, સ્વપક્ષસંયતીના આપાતવાળા અંડિલમાં સાધુએ જવું જ જોઈએ નહિ. હવે પરપક્ષ એવા પુરુષના આપાતવાળા અંડિલમાં જવાથી થતા દોષને કહે છે –
ગાથા :
जत्थऽम्हे वच्चामो जत्थ य आयइ नाइवग्गो णो । परिभव कामेमाणा संकेअगदिन्नगा वा वि ॥४१४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org