SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પ્રતિદિનક્રિયાવસ્તુકા‘ચંડિલ' દ્વારા ગાથા ૪૧૦-૧૧ ભૂમિમાં જવાથી આમને જુગુપ્સા થાય તેમ છે, તો તેઓની ભૂમિમાં સાધુ ન જાય. એ રીતે કૌટુંબિક અને સાધારણ લોકોને પણ જુગુપ્સા ન થાય તેવું લાગે તો તેઓની ભૂમિમાં મળત્યાગ કરવા જવામાં વાંધો નથી. વળી, સ્ત્રીઓ અને નપુંસકો પણ શૌચવાદી અને અશૌચવાદી હોય છે. તેથી કારણે સાધ્વીઓને સ્ત્રીઓના આપાતવાળી ભૂમિમાં જવું પડે તોપણ સ્ત્રીઓ શૌચવાદી છે કે અશૌચવાદી? તેનો અવશ્ય વિચાર કરીને જવું જોઈએ. ૪૧૦ ગાથા : एए चेव विभागा परतित्थीणं पि हुंति मणुआणं । तिरिआणं पि विभागं अओ,परं कित्तइस्सामि ॥४११॥ અન્વચાર્યઃ W ચેવ વિમાન=આ જ વિભાગો-પૂર્વમાં કહેવાયેલા જ શૌચવાદી અને અશૌચવાદીરૂપ ભેદો, મઝા પતિથી પિ હૂંતિ મનુજ એવા પરતીર્થિકોના પણ થાય છે. તિરિઝા પિ=તિર્યંચોના પણ વિમા=વિભાગને સો પરંઆનાથી પછી ઉત્તમ હું કીર્તીશ=કહીશ. ગાથાર્થ : પૂર્વમાં કહેવાયેલા જ શૌચવાદી અને અશોચવાદીરૂપ ભેદો મનુજ એવા પરતીર્થિકોના પણ થાય છે, તિર્યંચોના પણ વિભાગને આનાથી પછી હું કહીશ. ટીકાઃ ___एत एव अनन्तरोदिताः शौचवाद्यादयो विभागा=भेदाः परतीथिकानामपि भवन्ति मनुजानां= कापिलादीनां, तिरश्चामपि विभागं स्थण्डिलप्रतिबद्धमेव अतः परं कीर्तयिष्यामि इति गाथार्थः ॥४११॥ ટીકાઈઃ આ જ=આગળમાં કહેવાયેલા શૌચવાદી આદિ જ, વિભાગો=ભેદો, મનુજ=કાપિલાદિ, પરતીર્થિકોના પણ અન્યદર્શનીઓના પણ, થાય છે. તિર્યંચોના પણ અંડિલથી પ્રતિબદ્ધ જ એવા વિભાગને આનાથી પછી હું કીર્તન કરીશ=કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના શૌચવાદી-અશૌચવાદી એમ બે ભેદ બતાવ્યા. ત્યાં પુરુષથી ગૃહસ્થપુરુષો ગ્રહણ કર્યા. હવે પુરુષથી અન્ય ધર્મના સંન્યાસીઓ ગ્રહણ કરવાના છે, અને તેઓમાં પણ કેટલાક શૌચવાદી અને કેટલાક અશૌચવાદી હોય છે. તેથી તેઓને આશ્રયીને પણ પ્રસ્તુતમાં શુદ્ધભૂમિના ભેદો કહેવાયા છે. આ રીતે પરતીર્થિકોના પણ શૌચવાદી આદિ ભેદો પાડવાનું કારણ એ છે કે કોઈ ગામમાં પરતીર્થિકો વસતા હોય, અને ત્યાં સાધુઓ પણ આવ્યા હોય ત્યારે તે સંન્યાસીઓ જે ભૂમિમાં મળત્યાગ કરવા જતા હોય, તે ભૂમિમાં સાધુએ મળત્યાગ કરવા માટે જવું કે ન જવું ? તે સંયોગો પ્રમાણે વિચારવાનું આવે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy