________________
૧૪
પ્રતિદિનક્રિયાવસ્તુફ! “ઈંડિલ' દ્વાર/ગાથા ૪૧૦
અન્વયાર્થ:
રિસાવાયં તિવિદં પુરુષઆપાતવાળું (સ્થડિલ) ત્રણ પ્રકારનું છે. કિદંડિક; વોવિપકૌટુંબિક પાડ્રા =અને પ્રાકૃતિક. તે તેઓ=દંડિક વગેરે, સોગણવાશૌચ અને અશૌચવાદી હોય છે.
નેવ આ રીતે જ પુત્થી નપુંસક અને સ્ત્રીઓમાં (જોડવું.) ગાથાર્થ :
પુરુષઆપાતવાળી શુદ્ધ ભૂમિ ત્રણ પ્રકારે છે : દંડિક, કૌટુંબિક અને પ્રાકૃતિક દંડિક વગેરે શૌચવાદી અને અશૌચવાદી હોય છે. એ જ રીતે નપુંસકો અને સ્ત્રીઓ પણ શૌચવાદી અને અશૌચવાદી જાણવા. ટીકા :
पुरुषापातवत् त्रिविधं दण्डिकापातवत् कुडुम्बिकापातवत् प्राकृतापातवच्च, ते च दण्डिकादयः शौचाशौचवादिनो भवन्ति, एवमेव स्त्रीनपुंसकयोरपि शौचाशौचवादित्वं योज्यम्, एतद्व्यपदेशाच्च स्थण्डिलस्य तथा व्यपदेश इति गाथार्थः ॥४१०॥ ટીકાઈઃ
પુરુષના આપાતવાળું અંડિલ ત્રણ પ્રકારનું છેઃ (૧) દંડિકના આપાતવાળું, (૨) કૌટુંબિકના આપાતવાળું અને (૩) પ્રાકૃતના આપાતવાળું. અને તેઓ=દડિક આદિ દંડિક, કૌટુંબિક અને પ્રાકૃતિક લોકો, શૌચ અને અશૌચવાદી હોય છે. આ રીતે જ સ્ત્રી અને નપુંસકમાં પણ શૌચ-અશૌચવાદીપણું યોજવું=જે રીતે દંડિકાદિ પુરુષો શૌચ-અશૌચવાદી હોય છે, તેમ સ્ત્રીઓ અને નપુંસકો પણ શૌચ-અશૌચવાદી હોય છે એમ જાણવું. અને આના વ્યપદેશથી અંડિલનો તે પ્રકારે વ્યપદેશ છે–દંડિકાદિના વ્યપદેશથી અંડિલનો દંડિકના આપાતવાળું સ્પંડિલ ઈત્યાદિ પ્રકારે વ્યપદેશ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પુરુષપરપક્ષઆપાતવાળી શુદ્ધ ભૂમિ ત્રણ પ્રકારની છે દંડિક-કૌટુંબિક-પ્રાકૃતિક, ઇંડિક એટલે કોટવાલ વગેરે રાજપુરુષો, કૌટુંબિક એટલે ધન વગેરેથી લોકમાં મોટા ગણાતા માણસો, અને પ્રાકૃતિક એટલે સામાન્ય લોકો અર્થાત્ આમજનતા.
આમ, ત્રણ ભેદો પાડવાનું પ્રયોજન એ છે કે સામાન્ય રીતે રાજાના સ્થાનપાત્ર ગણાતા કોટવાલ વગેરે પુરુષો જ્યાં મળત્યાગ કરવા માટે જતા હોય ત્યાં સામાન્ય લોકોને જવાનો નિષેધ હોય છે. તે રીતે મોટા માણસો જ્યાં જતા હોય, ત્યાં પણ સામાન્ય લોકો જતા નથી, પરંતુ સામાન્ય લોકોને મળત્યાગ કરવા જવાની ભૂમિ જુદી હોય છે.
દડિક વગેરે ત્રણેય પ્રકારના પુરુષોમાં કેટલાક શૌચવાદી હોય છે અને કેટલાક અશૌચવાદી હોય છે. તેથી સાધુએ તે નગરના સંયોગો અને પરિસ્થિતિ વિચારીને તે પ્રમાણે મળત્યાગ કરવા માટે જવું જોઈએ. આથી જો કોટવાલ વગેરે ભક્તિવાળા હોય અને તેઓની મળત્યાગની ભૂમિ શુદ્ધ જણાતી હોય તો તેમની ભૂમિમાં પણ સાધુ મળત્યાગ માટે જાય. પરંતુ તે દંડિકાદિ શૌચવાદી હોય અને સાધુને લાગે કે આમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org