________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૯-૪૧૦
ગાથાર્થ :
અને પરપક્ષઆપાતવાળા સ્પંડિલમાં પણ મનુષ્ય અને તિર્યંચ એમ બે પ્રકાર જાણવા, અને એકેક સ્પંડિલના પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકાર છે. ટીકાઃ
'परपक्षेऽपि च परपक्षविषयमपि च द्विविधं मानुषं तैरश्चं च ज्ञातव्यं मानुषापातवत्तिर्यगापातवच्च, एकैकमपि च त्रिविधमेतयोः, कथमित्याह- स्त्री पुरुषं नपुंसकं चेति उपलक्षणत्वात् स्त्र्यापातवत्पुरुषापातवन्नपुंसकापातवच्चेति गाथार्थः ॥४०९॥ ટીકા :
અને પરપક્ષના વિષયવાળું ઈંડિલ પણ બે પ્રકારનું જાણવું: (૧) માનુષ અને (૨) તૈર=મનુષ્યના આપાતવાળું અને તિર્યચના આપાતવાળું. અને આ બેમાં મનુષ્ય અને તિર્યંચના આપાતવાળા ચંડિલમાં, એક એક પણ સ્પંડિલ ત્રણ પ્રકારનું છે, ત્રણ પ્રકારનું કઈ રીતે છે? એથી કહે છે – સ્ત્રી, પુરુષ અને નપુંસક એ પ્રમાણે ઉપલક્ષણપણું હોવાથી (૧) સ્ત્રીના આપાતવાળું=સ્ત્રીથી ઉપલક્ષિત આપાતવાળું, (૨) પુરુષના આપાતવાળું પુરુષથી ઉપલક્ષિત આપાતવાળું અને (૩) નપુંસકના આપાતવાળું નપુંસકથી ઉપલક્ષિત આપાતવાળું સ્પંડિલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પરપક્ષના આપાતવાળી શુદ્ધ ભૂમિ બે પ્રકારની છે : (૧) જૈન સાધુથી પરપક્ષ એવા મનુષ્યો જ્યાં મળત્યાગ કરવા માટે આવતા હોય, તે ભૂમિ મનુષ્યપરપક્ષઆપાતવાળી કહેવાય, (૨) જ્યાં તિર્યંચો ફરતાં હોય, તે ભૂમિ તિર્યંચપરપક્ષઆપાતવાળી કહેવાય.
મનુષ્ય અને તિર્યંચ એ બંનેના સ્ત્રી-પુરુષ-નપુંસક, એમ ત્રણ પ્રકાર છે. તેથી (૧) જે ભૂમિમાં સ્ત્રીઓ મળત્યાગ માટે જતી હોય તે સ્ત્રીપરપક્ષઆપાતવાળી, (૨) જે ભૂમિમાં પુરુષો જતા હોય તે પુરુષપરપક્ષઆપાતવાળી અને (૩) જે ભૂમિમાં નપુંસક જતાં હોય તે નપુંસકપરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય.
આ રીતે વિભાગ બતાવવાનું પ્રયોજન એ છે કે પૂર્વમાં ગૃહસ્થો પણ મળત્યાગ કરવા માટે ગામની બહાર જતા હતા અને ત્યાં સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ-નપુંસકને મળત્યાગ કરવા માટે જવાનાં જુદાં જુદાં સ્થાનો હતાં. ll૪૦ અવતરણિકા: *
હવે પુરુષ-સ્ત્રી-નપુંસકપરપક્ષઆપાતવાળી ભૂમિના અવાંતર ભેદો બતાવે છે –
ગાથા :
पुरिसावायं तिविहं दंडिअ कोडुबिए अ पागइए । ते सोअऽसोअवाई एमेव णपुंसइत्थीसुं ॥४१०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org