________________
૧૨
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૦૮-૪૦૯ આમના=સંવિગ્ન-અસંવિગ્ન આદિના, આપાતવાળું સ્પંડિલ પણ તેના=સંવિગ્ન-અસંવિગ્ન, મનોજ્ઞ-અમનોજ્ઞ વગેરેના, વ્યપદેશવાળું જાણવું. જેવી રીતે સંવિગ્નસ્વપક્ષ આપાતવાળું ઇત્યાદિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં સ્વપક્ષઆપાતવાળી શુદ્ધભૂમિના બે ભેદો પાડ્યા, તેના અવાંતર ભેદો આ રીતે છે: (૧) જે ભૂમિમાં મળત્યાગ માટે સંયતો જૈન સાધુઓ, આવતા હોય તે ભૂમિ સંતસ્વપક્ષઆપાતવાળી કહેવાય. (૨) જે ભૂમિમાં મળત્યાગ માટે સંયતીઓ=જૈન સાધ્વીઓ, આવતી હોય તે સંયતીસ્વપક્ષપાતવાળી ભૂમિ કહેવાય.
વળી, તે સાધુ અને સાધ્વીઓ પણ બે-બે પ્રકારના છે: (૧) કેટલાક સાધુ-સાધ્વી સંવિગ્ન હોય અને (૨) કેટલાક સાધુ-સાધ્વી અસંવિગ્ન હોય. સંવિગ્ન એટલે શાસ્ત્રવચન અનુસાર આચારો પાળનારા અને અસંવિગ્ન એટલે ક્રિયાઓમાં શિથિલાચારી.
સંવિગ્ન સાધુ-સાધ્વીઓના પણ બે ભેદ છે : (૧) મનોજ્ઞ (૨) અમનોજ્ઞ. ભિન્ન-ભિન્ન સમુદાયના પણ એક સામાચારીમાં રહેલ સંવિગ્ન સાધુ-સાધ્વીઓને મનોજ્ઞ કહેવાય, અને ભિન્ન-ભિન્ન સમુદાયના ભિન્ન-ભિન્ન સામાચારીવાળા સંવિગ્ન સાધુ-સાધ્વીઓને અમનોજ્ઞ કહેવાય.
અસંવિગ્ન સાધુ-સાધ્વીઓના પણ બે ભેદ છેઃ (૧) સંવિગ્નપાક્ષિક - જેઓ સાધ્વાચાર પાળવામાં શિથિલ છે, તોપણ શુદ્ધ પ્રરૂપણા કરનારા છે. (૨) અસંવિગ્નપાક્ષિક - જેઓ સાધ્વાચાર પાળવામાં પણ શિથિલ છે અને પ્રરૂપણા પણ પોતાના શિથિલાચારને પુષ્ટ કરે તેવી અશુદ્ધ કરનારા છે.
આ સર્વ ભેદોને આશ્રયીને જે સાધુઓ જે શુદ્ધભૂમિમાં આવતા હોય, તે શુદ્ધભૂમિ તેઓના આપાતવાળી કહેવાય. વળી કેવા પ્રકારની આપાતવાળી શુદ્ધભૂમિનું સાધુએ વર્જન કરવું જોઈએ ? તેનો બોધ કરાવવા માટે આ અનેક પ્રકારના આપાતવાળી શુદ્ધભૂમિઓ બતાવી. II૪૦૮ અવતરણિકા :
उक्तं स्वपक्षापातवत्, परपक्षमधिकृत्याह - અવતરણિકાર્ય :
સ્વપક્ષપાતવાળું સ્પંડિલ કહેવાયું. હવે પરપક્ષઆપાતવાળા ઈંડિલને આશ્રયીને કહે છે –
-
ગાથા :
परपक्खे वि अ दुविहं माणुस तेरिच्छियं च नायव्वं ।
एक्विक्वं पि अ तिविहं इत्थी पुरिसं नपुंसं च ॥४०९॥ અન્વયાર્થ :
પરંપવવિગ=અને પરપક્ષવિષયક (ઈંડિલ) પણ મારિચ્છિયં ચ મનુષ્ય અને તિર્યંચ (એમ) સુવિહં બે પ્રકારનું નાયબં=જાણવું. ઈદ પિ =અને એકેક (ઈંડિલ) પણ રૂથી પુર નવું તિવિહેંસ્ત્રી, પુરુષ અને નપુંસક (એમ) ત્રણ પ્રકારનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org