________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ઉપસંહાર | ગાથા ૬૦૯
૨૬૯
ગાથાર્થ :
ગાથા ૨૨થી અત્યાર સુધી કહી એ શ્રમણોની પ્રતિદિનક્રિયા સંક્ષેપથી વર્ણવાઈ. હવે વ્રતોમાં સ્થાપનાને યથાવિધિ હું કીર્તન કરીશ. ટીકાઃ
एषा प्रतिदिनक्रिया चक्रवालसामाचारी श्रमणानां वर्णिता समासेन, सङ्क्षिप्तरुचिसत्त्वानुग्रहाय सक्षेपेणेत्यर्थः, पञ्चवस्तुके द्वितीयं वस्तु व्याख्यातम् ॥ अथ तृतीयं व्याचिख्यासयाऽऽह-अधुना व्रतेषु स्थापनां यथाविधिः यथान्यायं कीर्त्तयिष्यामीति गाथार्थः ॥६०९॥ ટીકાર્ય :
શ્રમણોની આ પ્રતિદિનક્રિયા ચક્રવાલસામાચારી, સમાસથી=સંક્ષેપથી, વર્ણવાઈ. અહીં પ્રશ્ન થાય કે પ્રતિદિનક્રિયા સંક્ષેપથી કેમ વર્ણવાઈ ? તેથી કહે છે –
સંક્ષિપ્ત રુચિવાળા જીવોના અનુગ્રહ માટે સંક્ષેપથી વર્ણવાઈ, એ પ્રમાણે અર્થ છે, પંચવસ્તુક ગ્રંથમાં બીજી વસ્તુ વ્યાખ્યાન કરાઈ. હવે ત્રીજી વસ્તુને વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છેઃગ્રંથકારશ્રી મૂળગાથામાં કહે છે – હવે વ્રતોમાં સ્થાપનાને યથાવિધિ યથાન્યાય, હું કીર્તન કરીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે સાધુની ચક્રવાલસામાચારીરૂપ પ્રતિદિનક્રિયાનું સંક્ષેપથી વર્ણન કર્યું, અને સંક્ષેપથી વર્ણન સંક્ષિપ્ત રુચિવાળા જીવો ઉપર અનુગ્રહ કરવા માટે છે; કેમ કે આ પ્રતિદિનક્રિયાનું વર્ણન વિસ્તારથી કરવામાં આવે તો નય, નિક્ષેપા અને અનેક દ્વારોનું વિવેચન થાય, અને દુર્ગમ એવો નયવાદ સામાન્ય બુદ્ધિવાળા જીવો સમજી શકે નહિ; અને સામાન્યબુદ્ધિવાળા જીવોને ચક્રવાલસામાચારીનું માત્ર સ્વરૂપ જાણવાની ઇચ્છા હોય છે; કેમ કે તેઓ જાણતા હોય છે કે સામાચારીનો વિસ્તારથી બોધ ઉપયોગી હોવા છતાં વિસ્તારવાળા વર્ણનને હું સમજી શકું તેમ નથી. માટે આવા જીવો સાધુસામાચારીને ટૂંકાણમાં સમજવાની રુચિવાળા હોય છે. આથી તેવા જીવો ઉપર અનુગ્રહ કરવા માટે ગ્રંથકારે પ્રતિદિનક્રિયાનું સંક્ષેપથી વર્ણન કર્યું છે. આ રીતે બીજી વસ્તુનું વ્યાખ્યાન પૂરું થયું. તેથી ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે કે વ્રતસ્થાપનાની જે પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ છે, તે પ્રમાણે હું હવે પછી કહીશ. /૬૦૯તા.
| | તિ પ્રતિનિત્રિયાના ક્રિતીર્થ વસ્તુ છે પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનું વર્ણન પૂર્ણ થયું. /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org