________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૦૬
અવતરણિયાર્થઃ
ગાથા ૩૯૮માં કહેલ કે સાધુઓ પ્રથમ સ્થડિલને વિષે જાય છે. તેથી ગાથા ૩૯૯-૪00માં પ્રથમ અંડિલનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે આ અંડિલ પ્રથમ છે તો બીજાં કેટલાં છે? આથી ગાથા ૪૦૧ વગેરેમાં અંડિલના દશ ભેદોને આશ્રયીને કુલ ૧૦૨૪ ભાંગા બતાવ્યા. તેથી એ પ્રાપ્ત થયું કે ૧૦૨૪ ભાંગામાંથી સર્વ શ્રેષ્ઠ એવા પ્રથમ ભાંગાવાળા સ્પંડિલમાં સાધુઓ મળત્યાગ અર્થે જાય છે.
હવે ‘૩થવાથી પ્રથમ સ્પંડિલના મૂળભેદનેકસ્વરૂપને, વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે અર્થાત્ શુદ્ધભૂમિનું વર્ણન ગાથા ૪૦૧થી ૪૦પમાં ૧૦ ભેદોના ભાંગા બતાવવા દ્વારા કર્યું, હવે શુદ્ધભૂમિનું વર્ણન ગાથા ૪૨૪ સુધી ૧૦ ભેદોનું સ્વરૂપ બતાવવા દ્વારા કરે છે –
ગાથા :
अणावायमसंलोए अणावाए चेव होइ संलोए ।
आवायमसंलोए आवाए चेव संलोए ॥४०६॥ અન્વયાર્થ :
મUવયમસંતો=અનાપાતવાળું-અસંલોકવાળું, મUવા જેવા સંતો અને અનાપાતવાળુંસંલોકવાળું, ગાવાયમસંનો=આપાતવાળું-અસંલોકવાળું, માવાવેવ સંનો=અને આપાતવાળું-સંલોકવાળું (ઈંડિલ) રોફ થાય છે. ગાથાર્થ :
અનાપાત-અસંલોકવાળું અને અનાપાત-સંલોકવાળું આપાત-અસંલોકવાળું અને આપાત-સંલોકવાળું અંડિલ થાય છે. ટીકા :
तत्र अनापातवदसंलोकवच्चेति चतुर्भङ्गिका कण्ठ्या ॥४०६॥ ટીકાર્ય :
ત્યાં=સ્થડિલના મૂળભેદમાં, અનાપાતવાળું અને અસંલોકવાળું સ્પંડિલ એ પ્રકારે ચતુર્ભગી કંઠ્યા છે= સહેલી છે. ભાવાર્થ :
સાધુને મળ, મૂત્ર વગેરે પરઠવવાયોગ્ય શુદ્ધ ભૂમિના ચાર ભાંગા પાડ્યા. તેમાં પ્રથમ ભાંગો અનાપાત-અસંલોક છે. જ્યાં કોઈનું જ આગમન ન થતું હોય, અને બેઠેલ સાધુને દૂરથી કોઈ જોઈ શકતું ન હોય, તેવી શુદ્ધભૂમિ અનાપાતવાળી અને અસંલોકવાળી કહેવાય, જે ચાર ભાંગામાં સર્વ શ્રેષ્ઠ ભાંગો છે.
બીજો ભાંગો અનાપાત-સંલોક છે. જ્યાં કોઈ જ આવતું ન હોય, પરંતુ જગ્યા ચારેય બાજુથી એકદમ ખુલ્લી હોવાથી બેઠેલ સાધુ દૂરથી જોઈ શકાતા હોય, તેવી શુદ્ધભૂમિ અનાપાતવાળી અને સંલોકવાળી કહેવાય, જે પહેલા ભાંગા જેવો શ્રેષ્ઠ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org