SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. પ્રતિદિનકથાવસ્તુક/માજિ'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૩ ગાથા : अंगारमद्दगस्स वि सीसा सुअसंपयं जओ पत्ता । परिणामविसेसाओ तम्हा एसो इहं पवरो ॥६०३॥ અન્વયાર્થ: ન =જે કારણથી રામવિલોકપરિણામવિશેષ હોવાને કારણે મંરમાવિક અંગારમર્દકના પણ સીસી શિષ્યો સુસંપર્યં=શ્રુતસંપદાને પત્તા=પામ્યા, તન્હા તે કારણથી દંઅહીં પરલોકના માર્ગમાં, ==પરિણામ, પવ=પ્રવર છે=શ્રેષ્ઠ છે. ગાથાર્થ : જે કારણથી પરિણામવિશેષ હોવાને કારણે અંગારમર્દકના પણ શિષ્યો શ્રુતસંપત્તિને પામ્યા, તે કારણથી પરલોકના માર્ગમાં પરિણામ શ્રેષ્ઠ છે. ટીકાઃ अङ्गारमईकस्याऽप्यभव्याचार्यस्य शिष्याः श्रुतसम्पदं यतः प्राप्ताः भावरूपामेव परिणामविशेषात् छद्मस्थनिरूपणया शुद्धादित्यर्थः, तस्मादेषः परिणामः इह-परलोकमार्गे प्रवर इति गाथार्थः I૬૦રૂા ટીકાર્ય : જે કારણથી છાસ્થની નિરૂપણાથી છવસ્થ જીવની દૃષ્ટિથી, શુદ્ધ એવો પરિણામવિશેષ હોવાને કારણે અભવ્ય આચાર્ય અંગારમર્દકના પણ શિષ્યો ભાવરૂપ જ શ્રુતસંપદાને પામ્યા, તે કારણથી અહીં પરલોકના માર્ગમાં, આ=પરિણામ, પ્રવર છે=શ્રેષ્ઠ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા પ૭૦માં કહેલ કે શુદ્ધ એવા ગુરુએ પણ યોગ્ય શિષ્યોને સૂત્ર આપવું જોઈએ. એ કથનથી એ ફલિત થાય કે યોગ્ય પણ શિષ્ય શુદ્ધ ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરે તો જ તેને શ્રુત સમ્યગૂ પરિણમન પામે. પરંતુ ગુરુમાં ભાવથી ચારિત્રનો નિર્ણય કરવો છબસ્થ શિષ્ય માટે અશક્ય છે, તેથી ગુરુની બાહ્ય શુદ્ધ આચરણા જોઈને તે ગુરુ પાસે સૂત્ર ભણે તો તે શિષ્ય શ્રુતનો આરાધક છે. આથી બાહ્ય શુદ્ધ અનુષ્ઠાનવાળા અંગારમઈકાચાર્યને ભાવગુરુ માનીને તેમના શિષ્યોએ તેમની પાસે શ્રુત ગ્રહણ કર્યું, માટે તેઓ મૃતરૂપી સંપત્તિને પામ્યા; કેમ કે તેઓનો સૂત્રગ્રહણના વિષયમાં શુદ્ધ પરિણામ હતો, અને છબસ્થ એવા તેઓએ બાહ્ય આચરણાથી ભાવગુરુનો નિર્ણય કર્યો હતો. આથી તેઓને કુગુરુ પાસેથી સૂત્ર ગ્રહણ કરવારૂપ કોઈ દોષ થયો નહિ. માટે પરલોકના વિષયમાં ભગવાનના વચનાનુસાર પરિણામ જ પ્રમાણ છે. પરંતુ જો અંગારમદકના શિષ્યો બાહ્ય આચરણાથી ભાવગુરુનો નિર્ણય કર્યા વગર ગુરુ પાસે શાસ્ત્રો ભણ્યા હોત તો તેઓ શાસ્ત્રો ભણીને વિદ્વાન થાત, પરંતુ શ્રુતસંપત્તિને પામી શકત નહીં. તેથી પરલોકના હિતાર્થીએ આત્મવંચના કર્યા વગર પોતાના પ્રામાણિક પરિણામથી ઉચિત ક્રિયાઓમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ફલિતાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy