________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૩-૬૦૪
૨૧
વિશેષાર્થ :
ઉત્સર્ગથી શુદ્ધ ગુરુ પાસે સૂત્રો ગ્રહણ કરવાં જોઈએ, અને છબસ્થ શિષ્ય ચારિત્રની બાહ્ય શુદ્ધ ક્રિયાઓ દ્વારા શુદ્ધ ગુરુનો યથાર્થ નિર્ણય કરી શકે છે; પરંતુ કાળદોષના કારણે જયારે શુદ્ધ ગુરુ પાસે વિશેષ શ્રુત પ્રાપ્ત થઈ શકે તેમ ન હોય, ત્યારે અપવાદથી બાહ્ય આચારોમાં ખામીવાળા ગુરુ પાસે કે પાસત્યાદિ સાધુ પાસે પણ યોગ્ય શિષ્ય સૂત્રો ગ્રહણ કરે તો પણ ભગવાનના વચનના સ્મરણપૂર્વક અપવાદનું સેવન કરનાર શિષ્યને કોઈ દોષ નથી; પરંતુ જો ભણનાર શિષ્ય માત્ર જ્ઞાન મેળવવાના આશયપૂર્વક શુદ્ધ કે અશુદ્ધ ગુરુની વિચારણા કર્યા વગર જયાંથી શ્રુત પ્રાપ્ત થાય ત્યાં ભણવા માટે યત્ન કરતો હોય, તો તેને શ્રુત સમ્યમ્ પરિણમન પામે નહિ અને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય.
અહીં અંગારમÉકાચાર્યના શિષ્યોના પરિણામવિશેષને “છબસ્થનિરૂપણાથી શુદ્ધ” એ પ્રકારનું વિશેષણ આપવાનું તાત્પર્ય એ છે કે છબસ્થ સાધુ બાહ્ય યથાર્થ આચરણા દ્વારા ભાવગુરુનું અનુમાન કરી શકે છે, અને ભગવાને પણ તે પ્રકારે સદ્ગુરુનું અનુમાન કરવાની છબસ્થ જીવને આજ્ઞા કરી છે. માટે છમસ્થની અપેક્ષાએ શુદ્ધ એવો પરિણામવિશેષ અંગારમÉકાચાર્યના ૫૦૦ શિષ્યોમાં હતો. આથી તેઓ મૃતરૂપી સંપત્તિને પામી શક્યા. ૬૦૩ અવતરણિકા:
यथा विधिस्तमाह - અવતરણિકાW:
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પરલોકના માર્ગમાં પરિણામ પ્રવર છે. ત્યાં પ્રશ્ન થાય કે પરલોકના માર્ગમાં પ્રવર એવો પરિણામ કરવાની વિધિ શું છે? કે જેથી પરિણામ શુદ્ધ બને? આથી પરલોકના માર્ગમાં પ્રવર એવો પરિણામ કરવાની જે પ્રકારે શાસ્ત્રમાં વિધિ છે, તે વિધિને કહે છે –
ગાથા :
एसो पुण रागाईहज्बाहिओ विसयसंपयट्टो उ ।
सुहुमाणाभोगाओ इसिं विगलो वि सुद्धो त्ति ॥६०४॥ અન્વચાઈ:
પણ પુNT=વળી આ (પરિણામ) રૂંવાલ્મિોકરાગાદિ વડે અબાધિત વિસíપયો અને વિષયમાં સંપ્રવૃત્ત હુમભોમો સૂક્ષ્મ અનાભોગથી સિંવિત્તિ વિકઈષદ્ વિકલ પણ સુદ્ધશુદ્ધ છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
વળી આ પરિણામ રાગાદિ વડે અબાધિત અને વિષયમાં સંપ્રવૃત્ત સૂક્ષ્મ અનાભોગથી ઇષ વિકલ પણ શુદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org