________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૨-૬૦૩
૨૫૯ દ્વાદશાંગીરૂપ સમસ્ત ગણિપિટકનો સાર પામેલા ઋષિઓ દરેક પ્રવૃત્તિ કરતી વખતે સ્વપરિણામને પ્રમાણ માને છે. આથી જ્યારે ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવાનું હોય ત્યારે બાહ્યથી ચરણયોગમાં સ્થિત પણ ગુરુ ભાવથી ચણિયોગમાં સ્થિત છે કે નહિ ? એનો નિર્ણય છદ્મસ્થ શિષ્ય કરી શકતો નથી. માટે શાસ્ત્રવચનના અવલંબનથી પોતાના પ્રામાણિક પરિણામથી છદ્મસ્થ શિષ્ય નક્કી કરે કે આ ગુરુ બાહ્ય આચરણા વિશુદ્ધ કરે છે, તેથી ચરણના પરિણામવાળા છે.
આમ, જિનાજ્ઞા પ્રમાણે બાહ્ય ચારિત્રની આચરણા કરનારા ગુરુને સૂત્રદાન માટે યોગ્ય સમજીને છબસ્થ શિષ્ય તેમની પાસે સૂત્ર ગ્રહણ કરે, અને કદાચ તે ગુરુ બાહ્ય આચરણા સમ્યગુ કરતા હોય છતાં ચારિત્રના પરિણામથી રહિત હોય, તોપણ શિષ્યનો પરિણામ પ્રામાણિક છે; કેમ કે શિષ્ય જિનવચનાનુસાર બાહ્ય શુદ્ધ આચરણાના બળથી યોગ્ય ગુરુનો નિર્ણય કરીને તે ગુરુ પાસે ભણે છે, આથી શિષ્યને પોતાના પ્રામાણિક પરિણામ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સૂત્રદાન કરનાર ગુરુની ચારિત્રની બાહ્ય આચરણા યથાર્થ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ હોય, એ રૂપ અંગની ગુરમાં વિકલતા હોય છતાં પણ શિષ્યને શાસ્ત્રાનુસારી સૂત્રગ્રહણની ક્રિયાનું ઉચિત ફળ પોતાના પરિણામ પ્રમાણે અવશ્ય મળે છે. આથી પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રના પરિણામ વગરના ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરનાર શિષ્યને દોષ થતો નથી, પરંતુ પરિણામની વિશુદ્ધિ હોવાથી ગુણ જ થાય છે; કેમ કે શિષ્યનો અદુષ્ટાલંબનનો પરિણામ જ શોભન છે અર્થાત્ શિષ્યએ જે શાસ્ત્રાનુસારી બાહ્ય આચરણાના આલંબનથી ઉચિત ગુરુનો નિર્ણય કર્યો, એ શિષ્યનો અદુષ્ટાલંબનનો પરિણામ છે, જે પરિણામ સૂત્રગ્રહણની ક્રિયા દ્વારા શિષ્યને લાભપ્રાપ્તિનું કારણ બને છે. વિશેષાર્થ:
મોક્ષમાર્ગનાં બે અંગો છે : (૧) મોક્ષમાર્ગને અનુકૂળ એવો જીવનો અંતરંગ પરિણામ અને (૨) મોક્ષમાર્ગને અનુકૂળ એવી સંયમની બાહ્ય સર્વ ઉચિત આચરણાઓ; તેમાં મોક્ષને અનુકૂળ એવો ભગવાનની આજ્ઞાથી શુદ્ધ એવો જીવનો અંતરંગ પરિણામ એકાંતે નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું કારણ છે, જ્યારે આજ્ઞાશુદ્ધ પરિણામથી અતિરિક્ત એવી મોક્ષમાર્ગના અંગભૂત બાકીની સર્વ આચરણાઓ ફળ પ્રત્યે વ્યભિચારી છે અર્થાત અંતરંગ પરિણામથી યુક્ત એવી બાહ્ય સર્વ ઉચિત ક્રિયાઓ પરિણામને અતિશયિત કરીને અથવા તો પરિણામનું રક્ષણ કરીને મોક્ષનો હેતુ બને છે, પરંતુ અંતરંગ પરિણામથી રહિત એવી માત્ર બાહ્ય ક્રિયાઓ નિર્જરારૂપ ફળપ્રાપ્તિનું કારણ બનતી નથી અર્થાત્ મોક્ષપ્રાપ્તિનો ઉપાય બનતી નથી. આથી પરિણામથી અતિરિક્ત એવી મોક્ષના અંગભૂત શેષ સર્વ આચરણાઓ ફળ પ્રત્યે અનેકાંતિક છે. l/૬૦૨ અવતરણિકા :
પતિદેવાદિ – અવતરણિતાર્થ :
ગાથા ૬૦૦થી ૬૦૨માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ચારિત્રની બાહ્ય સમ્યમ્ આચરણાવાળા ગુરુને ચરણયોગમાં સ્થિત માનીને તેઓની પાસે સૂત્ર ગ્રહણ કરતા શિષ્યનો પરિણામ વિશુદ્ધ હોવાને કારણે સૂત્ર આપનાર ગુરુ કદાચ આંતર ચારિત્રથી રહિત હોય, તોપણ સૂત્રગ્રહણમાં કરેલ શાસ્ત્રાનુસારી યત્નથી શિષ્યને નિર્જરા થાય છે. એને જ કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org