________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/માદિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૦
૨૫૫ અહીં શંકા થાય કે ક્યારેક ગુરુમાં ચારિત્રની બાહ્ય આચરણા વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ પણ હોઈ શકે, માટે ગુરુમાં ચારિત્રના પરિણામનો શિષ્યને નિર્ણય નહીં થવાથી તે ગુરુ પાસે સૂત્રના ગ્રહણમાં શિષ્યને આજ્ઞાભંગનો દોષ લાગશે. તેથી કહે છે –
વ વળી બાહ્ય હોતે છત=ગુરુમાં બાહ્ય ચરણ વિશુદ્ધ હોતે છતે, મUો =આજ્ઞા હોવાથી= બાહ્ય ચરણના બળથી આંતર ચરણનું અનુમાન કરીને તેવા ગુરુ સાથે સુગુરુનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી, ફરમાવે વિકઇતરના અભાવમાં પણ=ગુરુમાં આંતર ચરણના અભાવમાં પણ, રરોસો = (શિષ્યને) દોષ નથી. ગાથાર્થ : વિશુદ્ધ એવા બાહ્ય ચારિત્રથી ગુરના વિશુદ્ધ ભાવત્વને જાણવું
અહીં શંકા થાય કે ક્યારેક ગુરમાં ચારિત્રની બાહ્ય આચરણ વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ પણ હોઈ શકે. માટે ગુરમાં ચારિત્રના પરિણામનો શિષ્યને નિર્ણય નહીં થવાથી તે ગુરુ પાસેથી સૂત્રના ગ્રહણમાં શિષ્યને આજ્ઞાભંગનો દોષ લાગશે. તેથી કહે છે –
વળી ગુરમાં બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોતે છતે બાહ્ય ચારિત્રના બળથી આંતર ચારિત્રનું અનુમાન કરીને તેવા ગુરુ સાથે સુગર તરીકેનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી ગુરમાં આંતર ચારિત્રના અભાવમાં પણ શિષ્યને દોષ નથી. ટીકા :
बाह्यचरणात् सकाशात् ज्ञेयं विशुद्धभावत्वम् - आन्तरंचरणरूपं विशुद्धा बाह्यचरणात्, न ह्यान्तरेऽसति यथोदिते बाह्ये यत्नः, शिष्यमधिकृत्याह-बाह्ये सति चरणे आज्ञातः कारणात् इतराभावेऽपि= आन्तरचरणाभावेऽपि तु न दोषः छास्थस्येति गाथार्थः ॥६००॥ ટીકાર્ય : - વિશુદ્ધ એવા બાહ્ય ચરણથી ગુરુમાં આંતર ચરણરૂપ વિશુદ્ધભાવપણું જાણવું. જે કારણથી આંતર ચરણ નહીં હોતે છતે યથોદિત એવા બાહ્યમાં=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયેલ છે તે પ્રકારના બાહ્ય ચરણમાં, યત્ન થતો નથી.
શિષ્યને આશ્રયીને કહે છે – વળી બાહ્ય ચરણ હોતે છતે આજ્ઞારૂપ કારણથી=સુગુરુ તરીકેનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞારૂપ કારણથી, ઇતરના અભાવમાં પણ =આંતર ચરણના અભાવમાં પણ, છદ્મસ્થ એવા શિષ્યને દોષ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જયાં ચારિત્રની બાહ્ય શુદ્ધ આચરણા હોય, ત્યાં આંતર ચારિત્ર હોય જ, એ પ્રકારની નિયત વ્યાપ્તિ નથી, છતાં પ્રાયઃ કરીને જ્યાં જયાં ચારિત્રની બાહ્ય વિશુદ્ધ આચરણા હોય, ત્યાં ત્યાં આંતર ચારિત્ર હોય છે; કેમ કે સંસારથી ભય પામેલા જે સાધુ જિનવચનના પરમાર્થને જાણીને દુષ્કર એવી પણ સંયમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org