SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રતિદિનક્રિયાવસ્તક 'સાથિી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૯૯-૬૦૦ किमित्येतदेवमित्याह-भावाद्भावप्रसूतिः शुभाच्छुभस्य, प्रायो लोकेऽपि सिद्धमिदं भाविताद्वक्तुर्भावप्रतिपत्तिरिति गाथार्थः ॥५९९॥ *“ગુરુપ"માં ‘પ'થી એ કહેવું છે કે યોગ્ય શિષ્યએ તો વિધિપૂર્વક સૂત્રનું ગ્રહણ કરવું જોઈએ, પરંતુ ચારિત્રમાં સ્થિત એવા ગુરુએ પણ યોગ્ય શિષ્યને વિશુદ્ધ ભાવથી સૂત્રનું દાન કરવું જોઈએ. ટીકાર્ય : શુદ્ધવ્યાપારરૂપ ચરણયોગમાં રહેલા, આચાર્યાદિરૂપ ગુરુએ પણ વિશુદ્ધ ભાવથી=ઉપયુક્તથી= ઉપયોગપૂર્વક, આ સૂત્ર આપવું જોઈએ. કયા કારણથી આ આમ છે?=ગુરુએ પણ વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું જોઈએ એ એમ કેમ છે? એથી કહે છે–ભાવથી ભાવની પ્રસૂતિ થાય છે=શુભથી શુભનીઃશુભભાવથી શુભભાવની પ્રસૂતિ થાય છે. પ્રાયઃ લોકમાં પણ આ=ભાવિત વક્તાથી ભાવની પ્રતિપત્તિ, સિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સુગુરુ સામાન્યથી સંયમના શુદ્ધ પરિણામવાળા જ હોય છે, કેમ કે આરાધક ગુરુ પોતાના જીવનમાં અનાભોગાદિથી કોઈક સ્કૂલના થઈ હોય તો તેની ઉચિત પ્રાયશ્ચિત્ત દ્વારા અવશ્ય શુદ્ધિ કરે છે. તેથી આવા ગુરુનું ચારિત્ર અસ્મલિત શીલવાળું બને છે. અને આવા ગુરુએ યોગ્ય શિષ્યને વિશુદ્ધ ભાવમાં ઉપયુક્ત થઈને શાસ્ત્રાધ્યયન કરાવવું જોઈએ; કેમ કે ગુરુના શુભ ભાવથી શિષ્યમાં પ્રાયઃ શુભ ભાવ થાય છે. અને લોકમાં પણ પ્રસિદ્ધ છે કે ભાવિત વક્તાના ભાવથી શ્રોતામાં પણ તે પ્રકારના ભાવ પ્રગટ થાય છે. - અહીં વિશેષ એ છે કે ગુરુ શિષ્યના હિત અર્થે ભગવાનના વચનથી અત્યંત ભાવિત થઈને શિષ્યને શાસ્ત્રના પદાર્થો કહે તો તે શાસ્ત્રના જે જે ગંભીર ભાવો હોય તે તે ભાવ ઉપર ગુરુનો વિશેષ ઉપયોગ રહે છે, અને ગુરુ તે ભાવોનું શિષ્ય પાસે તે પ્રકારે પ્રકાશન કરે તો શિષ્ય પણ તેવા ભાવોથી ભાવિત થાય છે. માટે ગુરુએ ભગવાનનું આ વચન કઈ રીતે વીતરાગતાની પ્રાપ્તિનું કારણ છે? તે પ્રકારે ભાવિત થઈને શિષ્યને શાસ્ત્રાધ્યયન કરાવવું જોઈએ, જેથી શિષ્યની મતિ પણ તે પ્રકારના ભાવોથી સંપન્ન થાય. ૫૯૯ી. અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ચરણયોગમાં સ્થિત ગુરુએ વિશુદ્ધ ભાવથી સૂત્રદાન કરવું જોઈએ. ત્યાં શંકા થાય કે ગુરુ ચારિત્રના પરિણામવાળા છે કે નહિ? એવો નિર્ણય શિષ્ય કઈ રીતે કરે? કે જેથી તે ગુરુ પાસે પોતે સૂત્ર ગ્રહણ કરી શકે? તેના સમાધાન રૂપે કહે છે – ગાથા : बज्झचरणाउ नेअं विसुद्धभावत्तणं विसुद्धाओ । बज्झे सइ आणाओ इअराभावे वि उ न दोसो ॥६००॥ અન્વયાર્થ: વિષ્ણુદ્ધો વાર =વિશુદ્ધ એવા બાહ્ય ચરણથી વિદ્ધમાવત્તi (ગુરુના) વિશુદ્ધ ભાવત્વને નેચં=જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy