SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પ્રતિદિનક્રિયાવસ્તકા' મારિ'થી પ્રાપ્ત સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૬-૫૯૦, ૫૯૮ ભગવાનના વચન પ્રત્યે સુપ્રશસ્ત એવી રુચિ થાય છે, અને ભગવાનના વચન અનુસાર કરવાનો સુપ્રશસ્ત એવો પરિણામ થાય છે. આ રીતે વિધિનું કરણ થયે છતે સંયમ અને આત્માની આરાધના આયતના ફળવાળી થાય છે. આયત એટલે મોક્ષ. સુશર્ત એ સમ્યક્તનું વિશેષણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શિષ્યોને વિધિપૂર્વક સૂત્ર આપનાર ગુરુ અવશ્ય જિનાજ્ઞાની આરાધના કરે છે; કેમ કે આ ભગવાનના વચનાનુસાર સમ્યફ સૂત્રદાનની પ્રવૃત્તિ છે. વળી ગુરુની આવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિથી શિષ્યોને વિધિનું દર્શન થવાથી શિષ્ય પરંપરામાં પણ વિધિનું પાલન થાય છે. અને ગુરુના વિધિસેવનને કારણે અન્ય જીવોને વિધિનું દર્શન, વિધિનો પક્ષપાત, વિધિનું સેવન થવારૂપ ક્રમ વડે માર્ગનું અવસ્થાન થાય છે, અર્થાત્ વિધિનું સેવન કરનારા ગુણવાન ગુરુને જોનારા લોકોને પણ વિધિનું દર્શન થવાથી વિધિ પ્રત્યે રુચિ થાય છે, અને તેઓ પણ વિધિમાર્ગનું સેવન કરે છે, જેથી ગુરુએ કરેલ વિધિપૂર્વકના સૂત્રદાનથી દીર્ઘકાળ સુધી સન્માર્ગ ટકે છે; કેમ કે ઉન્માર્ગના દર્શનનો અભાવ છે અર્થાત્ ગુરુની સૂત્રદાનની વિધિથી શિષ્યોને અને અન્ય જીવોને ક્યાંય પણ ઉન્માર્ગનું દર્શન થતું નથી. વળી, શાસ્ત્રવિધિ પ્રમાણે સૂત્રદાન કરનારા ગુરુને જોઈને અન્ય જીવોને પણ તે રીતે પ્રવૃત્તિ કરવાની રુચિ થવાથી તેઓને જિનવચન પ્રત્યે સુંદર રુચિ ઉત્પન્ન થાય છે, જેથી તેઓનું સમ્યકત્વ સુપ્રશસ્ત થાય છે, અને તે રીતે શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરે છે. આમ, ગુરુને અને ગુરુની પ્રવૃત્તિ જોનારા જીવોને જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાના દઢ પરિણામરૂપ સુપ્રશસ્ત એવું સમ્યક્ત થાય છે. આ રીતે વિધિપૂર્વક સૂત્રદાન કરવાથી ગુરુની સંયમની અને આત્માની આરાધના મોક્ષના ફળવાળી થાય છે અર્થાત્ શિષ્યોને વિધિપૂર્વક સૂત્રદાન કરીને ગુરુ પોતાના સંયમની આરાધના કરે છે અને પોતાના આત્માને હિતમાં પ્રવર્તાવે છે. આમ, સંયમની અને આત્માની આરાધના દ્વારા ગુરુ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત કરે છે. મોક્ષને “આયત' કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષ પ્રગટ થયા પછી સદા રહેનાર હોવાથી આયત છે=દીર્ઘ છે, માટે મોક્ષને આયત કહેલ છે. II૫૯૬/૫૯૭ ગાથા : तं पुण विचित्तमित्थं भणियं जं जम्मि जम्मि अंगाओ । तं जोगविहाणाओ विसेसओ एत्थ णायव्वं ॥५९८॥ दारं ॥ અન્વયાર્થ: સંપુ=વળી તે ઉપધાન રૂલ્ચ=અહીં=શાસ્ત્રમાં, વિતંત્રવિચિત્ર છે=વિવિધ છે, મિમિ મંત્ર જે જે અંગાદિવિષયકનં=જે ઉપધાન ચં કહેવાયું હોય, તંત્રતે ઉપધાનનોવિહાWTો યોગવિધાનથી= યોગની વિધિને કહેનાર ગ્રંથથી, પત્થ અહીંsઉપધાનના અધિકારમાં, વિરેસકો વિશેષથી બં=જાણવું. ગાથાર્થ : વળી તે ઉપધાન શાસ્ત્રમાં વિવિધ છે, જે જે અંગાદિવિષયક જે ઉપધાન કહેવાયું હોય, તે ઉપધાન યોગની વિધિને કહેનાર ગ્રંથથી ઉપધાનના અધિકારમાં વિશેષથી જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy