________________
૨૫૦
પ્રતિદિનક્રિયાવસ્તુક |મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૯૪-૫૯૫, ૧૯૬ આ લોકમાં સન્ના=સફળ હૃતિ થાય છે, તદ વેદ્ય તે રીતે જ વિદાઉો વિધાનથી=વિધિના સેવનથી, સુરંગસૂત્ર પરત્નો–પરલોકમાં નિયમેળા=નિયમથી (સફળ) થાય છે. ગાથાર્થ :
વિધિથી યુક્ત એવા વળી તે મંત્રાદિ જ જે રીતે આ લોકમાં સફળ થાય છે, તે રીતે જ વિધિના સેવનથી સૂત્ર પરલોકમાં નિયમથી સફળ થાય છે. ટીકા :
त एव तु विधियुक्ता मन्त्रादयः यथा सफला भवन्ति अत्र लोके, दृश्यत एवैतत्, तथैव विधानाद्धेतोः सूत्रं नियमेन परलोके, विधियुक्तं सफलमिति गाथार्थः ॥५९५॥ ટીકાર્ય :
વળી વિધિયુક્ત એવા તે મંત્રાદિ જ જે પ્રમાણે આ લોકમાં સફળ થાય છે, એ દેખાય જ છે, તે પ્રમાણે જ વિધાનરૂપ હેતુથી–વિધિના સેવનરૂપ હેતુથી, સૂત્ર પરલોકમાં નિયમથી સફળ થાય છે. વળી તેનું તાત્પર્ય ખોલે છે – વિધિથી યુક્ત સફળ છે=વિધિથી યુક્ત એવું સૂત્રનું દાન ફળવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
આગમને ઉચિત ઉપધાન કરાવ્યા વગર શિષ્યને સૂત્રો ભણાવનાર ગુરુ આજ્ઞાભંગાદિ ચાર દોષોને પ્રાપ્ત કરે છે, એ સર્વ કથનનો પરમાર્થ દષ્ટાંત દ્વારા પ્રસ્તુત બે ગાથામાં દર્શાવે છે, જે ગાથા ૫૮૯થી ૫૯૩ના ઔદંપર્યરૂપ છે.
જે રીતે કોઈ પણ મંત્રની સાધના અવિધિથી કરવામાં આવે તો તે મંત્ર સિદ્ધ થતો નથી, પરંતુ મંત્રદેવતા કુપિત થઈને સાધકનો નાશ કરે છે અથવા સાધકના શરીરના અંગની વિકલતા કરે છે, અને વિધિથી સધાયેલ મંત્ર, વિદ્યા વગેરે આ લોકમાં ફળવાળા થાય છે; તે રીતે જિનાજ્ઞા પ્રત્યે અત્યંત બહુમાનવાળા ગુરુ યોગ્ય શિષ્યને ઉચિત વિધિથી સૂત્રો જણાવે તો ગુરુને નિર્જરા પ્રાપ્ત થાય છે, તેમ જ શિષ્યના હિતને અનુકૂળ પ્રવૃત્તિ થવાથી શિષ્યને પણ ઉપકાર થાય છે; પરંતુ જે ગુરુ શાસ્ત્રોક્ત વિધિથી નિરપેક્ષ થઈને શિષ્યને ઉપધાન કરાવ્યા વગર સૂત્ર ભણાવે છે, તે ગુરુનો શિષ્ય કદાચ વિદ્વાન થાય તો પણ ગુરુને અવિધિથી સૂત્ર આપવાકૃત પાપબંધ થાય છે. //પ૯૪/પ૯પો અવતરણિકા:
एतदेवाह - અવતરણિતાર્થ :
આને જ પૂર્વગાથામાં કહ્યું કે વિધિયુક્ત સૂત્રનું દાન સફળ છે એને જ, કહે છે –
ગાથા :
विहिदाणम्मि जिणाणं आणा आराहिया धुवं होइ । अण्णेसिं विहिदसणकमेण मग्गस्सऽवत्थाणं ॥५९६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org