SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ પ્રતિદિનક્રિયાવક વિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૯૩ ગાથા : एवं चऽणेगभविया तिव्वा सपरोवघाइणी नियमा । जायइ जिणपडिकुट्ठा विराहणा संजमायाए ॥५९३॥ અન્વયાર્થ: વં ચ અને આ પ્રકારે=ગાથા ૫૯૦થી ૫૯૨માં બતાવ્યું એ પ્રકારે, મોવિયા=અનેક ભવિકી ઘણા ભવો ચાલનારી, તિવ્વ=તીવ્ર=ભયંકર, સુપરવાઇf=સ્વ-પરની ઉપઘાતિની, નિાપડિ@ટ્ટા=જિન વડે પ્રતિકુષ્ટ એવી સંગાથાસંયમ અને આત્માની વિરારંપ=વિરાધના નિયમ-નિયમથી નાયડુ થાય છે. ગાથાર્થ : અને ગાથા પ૯૦થી પ૯૨માં બતાવ્યું એ પ્રકારે ઘણા ભવો ચાલનારી, ભયંકર, રવ-પરનો ઉપઘાત કરનારી, જિન વડે પ્રતિકુષ્ટ એવી સંચમ અને આત્માની વિરાધના નિયમથી થાય છે. ટીકા : एवं च आज्ञादेः अनेकभविकी प्रभूतजन्मानुगता तीव्रा रौद्रा स्वपरोपघातिनी नियमाद्=एकान्तेन जायते भवति जिनप्रतिक्रुष्टा विराधना संयमात्मनोः, अकुशलानुबन्धेनेति गाथार्थः ॥५९३॥ ટીકાર્થ: અને આ રીતે=ગાથા પ૯૦થી ૫૯૨માં વર્ણન કર્યું એ રીતે, આજ્ઞાદિથી=આજ્ઞાભંગાદિ ત્રણ દોષોથી, અનેક ભવિકી=પ્રભૂત જન્મમાં અનુગત=ઘણા જન્મોમાં ચાલનારી, તીવ્ર=રૌદ્ર, સ્વ-પરનો ઉપઘાત કરનારી, જિન વડે પ્રતિકુષ્ટ એવી સંયમ અને આત્માની વિરાધના નિયમથી=એકાંતથી, થાય છે, કેમ કે અકુશલનો અનુબંધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૫૮થી ૫૯૨માં વર્ણન કર્યું એ રીતે તે તે સૂત્રને ઉચિત તપ કરાવ્યા વગર શિષ્યને સૂત્રદાન કરનાર ગુરુને આજ્ઞાભંગ, અનવસ્થા અને મિથ્યાત્વ; એ ત્રણે દોષો થાય છે, જેના કારણે તે ગુરુના સંયમની એકાંતે વિરાધના થાય છે, અને પોતાના આત્માની એકાંતે વિરાધના થાય છે, કેમ કે આજ્ઞાભંગાદિ દોષોથી અકુશલ કર્મોનો પ્રવાહ ચાલતો હોવાને કારણે સંયમનો વિનાશ થાય છે, અને આત્માને અનેક પ્રકારની કદર્થના થાય છે. વળી આ વિરાધના ઘણા ભવો સુધી સ્વ-પરનો ઉપઘાત કરનારી છે. આશય એ છે કે ગુરુએ આજ્ઞાભંગાદિ દોષોને કારણે વર્તમાનમાં પોતાના સંયમનો નાશ કર્યો, અને જિનવચનથી વિપરીત બુદ્ધિ કરાવવા દ્વારા લોકોને મિથ્યાત્વની પ્રાપ્તિ કરાવી, જેથી આ લોકમાં પોતાના અને અન્યના આત્માનો વિપર્યાસ કરીને પરલોકમાં ઘણા ભવો સુધી સ્વ-પરનો ઉપઘાત કરનારી એવી કુમતિને કારણે પોતે દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરે, અને અન્ય અનેક જીવોને દુર્ગતિના ખાડામાં નાંખે, તેવી રૌદ્ર સંયમની અને આત્માની વિરાધનાની ગુરુને પ્રાપ્તિ થાય છે. //પ૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy