SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૯ ૯૩ ૨૪૦ ટીકાઃ मिथ्यात्वं लोकस्य भवति, कथमित्याह - न वचनमेतत् जैनम् इह अधिकारे तत्त्वतः परमार्थतः एवम्, अन्यथाऽयमेवं न कुर्यादिति शङ्कया, तथा वितथाऽऽसेवनया हेतुभूतया शङ्काकारणत्वात् लोकस्य अधिकं मिथ्यात्वमेतस्य वितथकर्तुरिति गाथार्थः ।।५९२॥ ટીકાર્યઃ - મિથ્યાત્વિ ... વિમ લોકનેમિથ્યાત્વ થાય છે, કેવી રીતે? એથી કહે છે–આ અધિકારમાં સૂત્રદાનના અધિકારમાં, આ=ઉપધાન કરવું એ, તત્ત્વથી પરમાર્થથી, જૈન જિનસંબંધી, વચન નથી, એ પ્રકારે લોકને મિથ્યાત્વ થાય, એમ અન્વય છે. ઉપધાન કરવું એ જિનવચન નથી, એમ લોકને કેમ થાય છે? તેથી કહે છે – અન્યથા દૂચ અન્યથા ઉપધાન કરવું એ જિનવચન હોય તો, આ=ગુરુ, આ પ્રમાણે શિષ્યને ઉપધાન વગર સૂત્ર આપે એ પ્રમાણે, કરે નહિ. એ પ્રકારની શંકા થવાથી, આ જિનવચન નથી એમ લોકને થાય છે, એમ અન્વય છે. તથા . . થાર્થ અને હેતભૂત વિપરીત બોધના હેતુભૂત, એવી વિતથની આસેવના વડે= વિપરીતની આચરણા વડે, લોકની શંકાનું કારણપણું હોવાથી આને વિતથને કરનારાને=વિપરીત કરનારા ગુરુને, અધિક મિથ્યાત્વ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભગવાનના વચનથી વિપરીત રુચિ, એ મિથ્યાત્વ છે. કોઈ ગુરુ તે તે સૂત્ર ભણવા માટે ઉચિત તપ કરાવ્યા વિના પોતાના શિષ્યને તે તે સૂત્ર ભણાવે, તો તેને જોઈને લોકને લાગે કે આવા વિદ્વાન ગુરુ પણ ઉપધાન કરાવ્યા વગર શિષ્યને શાસ્ત્રો જણાવે છે, તેથી તે તે સૂત્ર ભણવા માટે ઉચિત ઉપધાન કરવાનું જિનનું વચન નથી; કેમ કે ઉપધાન કરવાનું જિનનું વચન હોય તો આ ગુરુ પોતાના શિષ્યને ઉપધાન કરાવ્યા વગર સૂત્રો જણાવે નહિ. આ પ્રમાણે શિષ્ટ પુરુષોને વિપરીત બુદ્ધિ થાય, જે મિથ્યાત્વરૂપ છે. અહીં શંકા થાય કે લોકને મિથ્યાત્વ થાય, પરંતુ ગાથા ૫૯૦માં કહ્યું તે પ્રમાણે ઉપધાન વગર સૂત્રદાન કરનાર ગુરુને તો આજ્ઞાભંગાદિ દોષોમાંથી મિથ્યાત્વ દોષની પ્રાપ્તિ થઈ નહિ. તેથી કહે છે – બીજાને વિપરીત બોધ કરાવે તેવા પ્રકારની ગુરુની વિપરીત આચરણાથી લોકને શંકા થાય કે આ જિનવચન નથી, આથી લોકના મિથ્યાત્વમાં નિમિત્ત બનવાને કારણે વિપરીત કરનાર ગુરુને, લોકને મિથ્યાત્વ થાય તેના કરતાં પણ અધિક મિથ્યાત્વ થાય છે; કેમ કે જિનાજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા દ્વારા ગુરુ લોકનું મિથ્યાત્વ વધારવામાં પ્રબળ કારણ બને છે, અને લોકના મિથ્યાત્વની વૃદ્ધિમાં ગુરુ ઉપેક્ષા કરે છે. આથી ગુરુ લોક કરતાં પણ વિશેષ મિથ્યાત્વમોહનીયકર્મ બાંધે છે. /પ૯૨ા. અવતરણિકા : एवं मिथ्यात्वदोषः, विराधनादोषमाह - અવતરણિતાર્થ : આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, મિથ્યાત્વદોષ થાય છે; હવે વિરાધનાદોષને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy