________________
૨૪૬
પ્રતિદિનક્રિયાવક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૯૧-૫૯૨
ટીકાર્ય :
સંસારમાં અભિનંદી એવા કોઈક એક વડે અકાર્ય કરાયું, તેના નિમિત્તે વળી સંસારમાં અભિનંદી જ અન્ય તેને જ અકાર્યને જ, કરે છે. આ રીતે શાતાબહુલની પરંપરાથી પ્રાણીઓના=જીવોના, શુદ્ધ એવા સંયમ અને તપનો વ્યવચ્છેદ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કોઈ સાધુ સૂત્રને અનુરૂપ ઉપધાન કરવાના કષ્ટ વગર સૂત્ર ભણવાના અર્થી હોય, તેથી તે તે સૂત્રને અનુરૂપ શાસ્ત્રમાં બતાવેલ ઉપધાન કર્યા વિના તે તે સૂત્ર ભણે, તો તે સાધુ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિના અર્થી હોવાથી સંસારાભિનંદી છે; અને તે સંસારાભિનંદી સાધુએ સૂત્રને ઉચિત તપ કરવારૂપ કાર્ય છોડીને સૂત્ર ભણવારૂપ અકાર્ય કર્યું, અને તે અકાર્યનું અવલંબન લઈને બીજા કોઈ ભવાભિનંદી સાધુ ઉપધાન કર્યા વગર શાસ્ત્રો ભણે. આ રીતે શાતાબહુલ જીવોની પરંપરાથી શુદ્ધ એવા તપ અને સંયમનો વ્યવચ્છેદ થાય છે; કેમ કે તેઓ ઉપધાન પ્રત્યે ઉપેક્ષા કરીને કોઈ પ્રકારના કષ્ટ વગર શાસ્ત્રો ભણવાનો પ્રયત્ન કરે છે. આથી તેવા સાધુ જિનાજ્ઞાનું પાલન નહીં કરતા હોવાથી તેઓમાં સંયમ અને તપ રહેતું નથી, તેથી શુદ્ધ સંયમ અને તપનો વ્યવચ્છેદ થાય છે. આમ એકના અકાર્યને જોઈને અન્ય જીવમાં પણ અકાર્યની પરંપરા ચાલુ થાય છે, જે અનવસ્થાદોષરૂપ છે. //પ૯૧ અવતરણિકા : ___एवमनवस्थादोषः, मिथ्यात्वदोषमाह - અવતરણિયાર્થ:
આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, અનવસ્થાદોષ થાય છે. હવે મિથ્યાત્વદોષને કહે છે – ગાથા :
मिच्छत्तं लोअस्सा न वयणमेयमिह तत्तओ एवं ।
वितहासेवणसंकाकारणओ अहिगमेअस्स ॥५९२॥ અન્વચાઈ:
રૂદઅહીં સૂત્રદાનના અધિકારમાં, તત્તમ તત્ત્વથી=પરમાર્થથી, આ=ઉપધાન કરવું એ, વયgi =(જિનસંબંધી) વચન નથી, પર્વ એ પ્રકારે નો -લોકને મિચ્છન્ન-મિથ્યાત્વ થાય, વિતહાવસંવાર =વિતથના આસેવન વડે શંકાનું કારણ હોવાથી પ્રસન્નઆનેકવિતથ કરનાર ગુરુને,
દિi=અધિક (મિથ્યાત્વ) થાય છે. ગાથાર્થ :
સૂત્રદાનના અધિકારમાં પરમાર્થથી ઉપધાન કરવું એ જિનસંબંધી વચન નથી, એ પ્રકારે લોકોને મિથ્યાત્વ થાય. વિતથના આસેવન વડે શંકાનું કારણ હોવાથી વિતથ કરનાર ગુરુને અધિક મિથ્યાત્વ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org