SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા પ૦૦-૫૦૦ ૨૩૫ અનાચણિયોગ્ય છે. કદવા=હવે (તે અયોગ્યને જે ઉપસ્થાપે છે) સવિતે=ઉપસ્થાપતા એવા ગુરુને પુરપથનિવરિયા ડોસી=પૂર્વપદના અનિવારિત દોષો છે. ગાથાર્થ : અને શિક્ષિત થાય, તોપણ ઉપસ્થાપન કરવા માટે અનાચરણયોગ્ય છે. હવે તે અયોગ્યને જે ઉપસ્થાપન કરે છે, ઉપસ્થાપન કરતા ગરને પૂર્વપદના અનિવારિત દોષો છે. ટીકા : शिक्षितः स्यात् कथञ्चिद् ग्रहणशिक्षादिग्राहित इत्यर्थः, उपस्थापयितुं व्रतेष्वनाचरणयोग्यः अनासेवनीयः, अथवोपस्थापयतः तं पूर्वपदानिवारिता दोषाः पूर्ववदिति गाथार्थः ॥५७७॥ ટીકાર્ચ: કોઈક રીતે શિક્ષિત થાયઃગ્રહણશિક્ષાદિથી ગ્રાહિત થાય અર્થાત્ ગુરુએ ગ્રહણશિક્ષાદિ અપાયેલો થાય, તોપણ વ્રતોમાં ઉપસ્થાપવા માટે અનાચરણયોગ્ય છેઃઅનાસેવનીય છે. હવે જે તેનેeતે અયોગ્યને, વ્રતોમાં ઉપસ્થાપે છે, ઉપસ્થાપતા એવા ગુરુને પૂર્વની જેમ પૂર્વપદ સંબંધી અનિવારિત દોષો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુએ અજ્ઞાનતાથી અયોગ્ય જીવને પ્રવ્રયા આપી હોય, લોચ કર્યો હોય, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપી હોય, અને ત્યારપછી સંવાસથી ગુરુને તે શિષ્યની અયોગ્યતા જણાય, તો તે શૈક્ષ વ્રતોમાં ઉપસ્થાપવા માટે યોગ્ય નથી. આથી તે અયોગ્ય શૈક્ષને દીક્ષા આપી હોય, મુંડન કર્યું હોય, શિક્ષણ પણ આપ્યું હોય, તોપણ તેનું વ્રતોમાં ઉપસ્થાપન કરવું જોઈએ નહીં. આમ છતાં “આને દીક્ષા આપી છે, મુંડન કર્યું છે, શિક્ષા આપી છે, તો વ્રતોમાં ઉપસ્થાપન પણ કરવું પડે” એમ વિચારીને જે ગુરુ તે અયોગ્ય શિષ્યનું ઉપસ્થાપન કરે, તો અયોગ્ય જાણવા છતાં અયોગ્ય શિષ્યને શિક્ષણ આપનાર ગુરુને જે દોષો થાય, તે દોષો અયોગ્ય શિષ્યને વ્રતોમાં ઉપસ્થાપન કરનાર ગુરુને થાય છે અર્થાત્ તે ગુરુનું પોતાનું ચારિત્ર લોપાય છે. //૫૭૭ll. અવતરણિકા: હવે કદાચ અનાભોગાદિથી અયોગ્ય જીવનું પ્રવ્રાજન કર્યું, મુંડન કર્યું, શિક્ષણ કર્યું, વ્રતોમાં ઉપસ્થાપન પણ કર્યું અને પાછળથી તેની અયોગ્યતાનો ખ્યાલ આવે, તો શું કરવું? તે બતાવે છે – ગાથા : उवठाविओ सिअ त्ति अ संभुंजित्ता अणायरणजोग्गो । अहवा संभुजंते पुरिमपयऽनिवारिया दोसा ॥५७८॥ અન્વયાર્થ: ૩વવિમો =અને ઉપસ્થાપિત સિમ થાય, (તોપણ) સંબંનિત્તા=સંભોજન કરવા માટે મUTI ગોગો=અનાચણિયોગ્ય છે. દવાહવે (તે અયોગ્યને જે સંભોજન કરાવે છે,) સંjનંતે સંભોજન કરાવતા એવા ગુરુને પરિમયનિવરિયા=પૂર્વપદના અનિવારિત હોસા-દોષો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy