________________
પ્રતિદિનક્રિયાવસ્તક ‘'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૫-૫૦૦ ટીકાર્થ :
કોઈક રીતે અનાભોગાદિથી પ્રવાજિત=અયોગ્ય જીવ પ્રવજ્યા અપાયેલો, થાય, તોપણ મુંડન કરવા માટે અનાચરણયોગ્ય છેઃઅનાસેવનીય છે. હવે જે તેને=તે અયોગ્યને, મુંડે છે, મુંડન કરતા એવા તેને તે ગુરુને, અમુંડનીયના દોષો અનિવારિત થાય જ છે, એ પ્રમાણે અર્થ છે.
તે અમુંડનીયના દોષો બતાવે છે –
અપ્રવ્રાજનીયોને પ્રવ્રાજતાને=પ્રવજ્યા આપવા માટે અયોગ્ય જીવોને પ્રવજ્યા આપતા એવા ગુરુને, પૂર્વ એવા જે પૂર્વમાં કહેલા જે દોષો થાય છે, તે દોષો મુંડન કરવા માટે અયોગ્ય જીવનું મુંડન કરનારને થાય છે, એમ અન્વય છે.
આ રીતે મૂળગાથાના અંતે રહેલ “પુરિમા'નો અર્થ અહીં બતાવ્યો એ રીતે, સર્વત્ર=ગાથા પ૭૯ સુધી સર્વ સ્થાનમાં, ભાવન કરવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
દીક્ષા લેનાર જીવ અયોગ્ય હોવા છતાં અનાભોગાદિથી યોગ્ય જાણીને ગુરુએ તેને પ્રવ્રયા આપી હોય, અને પાછળથી તેની અયોગ્યતાનો ગુરુને ખ્યાલ આવ્યો હોય, તો તે સાધુ લોચ કરવા માટે અયોગ્ય છે, માટે દીક્ષા આપ્યા પછી પણ તેનો લોચ કરવો ન જોઈએ. આમ છતાં “આને દીક્ષા આપી છે, તો લોચ પણ કરવો પડે,” એમ વિચારીને તે અયોગ્ય સાધુનો ગુરુ લોચ કરે, તો તે લોચ કરનાર ગુરુ પોતે ચારિત્રનું સમ્યપાલન કરતા હોય, તોપણ જિનાજ્ઞાની વિરુદ્ધ આચરણ કર્યું હોવાને કારણે તેઓ પોતાના ચારિત્રનો નાશ કરે છે. પ૭પ અવતરણિકા:
હવે કદાચ અનાભોગાદિથી અયોગ્ય જીવને પ્રવ્રજ્યા આપી, મુંડન પણ કર્યું અને પાછળથી ખ્યાલ આવ્યો કે આ શિષ્ય અયોગ્ય છે, તો શું કરવું? તે બતાવે છે –
ગાથા :
मुंडाविओ सिअ त्ति अ सिक्खावेउं अणायरणजोग्गो ।
अहवा सिक्खाविंतो पुरिमपयऽनिवारिया दोसा ॥५७६॥ અન્વયાર્થ:
મુંડવિમો =અને મુંડિત મિ=થાય, (તોપણ) વિવારં=શીખવવા માટે મUTIRUIનોપો= અનાચરણયોગ્ય છે. હવા=હવે તે અયોગ્યને જે શીખવે છે,) સિલ્વવિ=શિખવતા એવા ગુરુને પુરિમપથનિવરિયા=પૂર્વપદના અનિવારિત હોસા-દોષો છે. ગાથાર્થ :
અને મુંડિત થાય, તોપણ શિક્ષણ આપવા માટે અનાચરણ યોગ્ય છે. હવે તે અયોગ્યને જે શિક્ષણ આપે છે, શિક્ષણ આપતા એવા ગરને અયોગ્યનું મુંડન કરવાથી થતા અનિવારિત દોષો થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org