SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૧૦૪-પ૦૫ ભાવાર્થ : જે સાધુ ચારિત્રમાં સ્થિત છે અર્થાત્ ચારિત્રાચારનું સભ્ય પાલન કરે છે, તપસ્વી છે અર્થાત્ તપશ્ચર્યામાં કે સ્વાધ્યાયાદિ બાર પ્રકારના તપમાં રત છે, તે સાધુ ભગવાને નિષેધ કર્યો છે તેવા અયોગ્ય જીવને “આ મારો શિષ્ય થશે તો મારી પર્ષદા વધશે” એવા પ્રકારના ઐહિક લોભને કારણે દીક્ષા આપે, તો પોતે જે ચારિત્ર અન્યને આપી રહ્યા છે, તે જ પોતાના ચારિત્રનો તેઓ વિનાશ કરે છે. વળી, “રામના' એ પદથી એ કહેવું છે કે અત્યંત અપવાદથી ભગવાને અયોગ્ય જીવને પણ દીક્ષા આપવાનું કહ્યું છે, માટે તેનું અપવાદરૂપ કારણ ન હોય છતાં જે ગુરુ શિષ્યના લોભથી અયોગ્ય જીવને દિીક્ષા આપે છે, તે ગુરુ સંયમની ઉચિત ક્રિયાઓ કરતા હોય તો પણ તેમના ચારિત્રનો વિનાશ થાય છે; કેમ કે તેઓ સર્વત્ર સમભાવના પરિણામને છોડીને શિષ્યની પ્રાપ્તિરૂપ લોભના અધ્યવસાયથી તે અયોગ્ય જીવને દીક્ષા આપે છે. પ૭૪ો અવતરણિકા : તથા - અવતરણિયાર્થઃ પૂર્વગાથામાં કહ્યું કે જિનવચનથી પ્રતિકુષ્ટ જીવને લોભ દોષથી પ્રવ્રજ્યા આપનાર ગુરુ તે જ પોતાના ચારિત્રનો લોપ કરે છે. છતાં અનાભોગાદિથી કોઈ ગુરુએ અયોગ્યને દીક્ષા આપી હોય તો શું કરવું? તે બતાવવા “તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : पव्वाविओ सिअ त्ति अ मुंडावेउं अणायरणजोग्गो । जो तं मुंडावेई दोसा अणिवारिया पुरिमा ॥५७५॥ અન્વયાર્થ : પડ્યાવિ મ=અને બ્રાજિત સિંગ થાય, (તોપણ) મુંડાવે મુંડવા માટે મUTયRUIનો ભો= અનાચણિયોગ્ય છે. (હવે) નો જે તેં તેને મુંડાવે મુંડે છે, (મુંડન કરતા એવા તેમને) પુરિમા હોલ પૂર્વના દોષો=અયોગ્યને પ્રવ્રયા આપવાથી થતા દોષો, વારિયા=અનિવારિત છે. ગાથાર્થ : અને પ્રવાજિત થાય, તોપણ મુંડન કરવા માટે અનાચરણ યોગ્ય છે. હવે જે ગુરુ તેનું મુંડન કરે છે, મુંડન કરતા એવા તે ગુરુને અયોગ્યને પ્રવ્રજ્યા આપવાથી થતા દોષો અનિવારિત છે. ટીકાઃ प्रवाजितः स्यात् कथञ्चिदनाभोगादिना, मुण्डयितुमनाचरणयोग्य: अनासेवनीयः, यस्तं मुण्डयति तस्य मुण्डयत: अमुण्डनीयदोषा अनिवारिता भवन्त्येवेत्यर्थः, पूर्वाः येऽप्रव्राजनीयान् प्रव्राजयतः, एवं सर्वत्र भावनीयमिति गाथार्थः ॥५७५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy