SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ પ્રતિદિનક્રિયાવસ્તુક મહિથી પ્રાપ્ત સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૩-૫૦૪ લીધા પછી સાધુ સંવેગપૂર્વક મુંડાપન કરતા હોય તો દેહની શોભા, મમત્વ વગેરે નાશ પામવાથી પ્રવ્રયાગ્રહણથી થતા ગુણ કરતાં વિશેષ ગુણની પ્રાપ્તિ થાય છે, અને સાધુ વિશેષ પ્રકારના સંવેગપૂર્વક શિક્ષાપન કરતા હોય તો સંયમમાં મુંડાપનની ક્રિયાથી થતા ગુણ કરતાં અધિક ગુણની પ્રાપ્તિ થાય છે. આમ, મુંડાપનાદિ ક્રિયાઓ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને મુંડાપનાદિ ક્રિયાઓને જ ગુણોનું સ્થાન કહેલ છે; કેમ કે મુંડાપનાદિ ક્રિયાઓ કારણ છે અને ઉત્તરોત્તર થતી ગુણવૃદ્ધિ એ કાર્ય છે. વળી, અયોગ્ય જીવને મુંડાપનાદિ ક્રિયાઓ ગુણનું કારણ બનતી નથી, પરંતુ મુંડાપનાદિ ક્રિયાઓ દ્વારા અયોગ્ય જીવ ક્રિયાના લાઘવનું આપાદન કરે છે, જેથી અયોગ્ય જીવ માટે તે ક્રિયાઓ ગુણનું સ્થાન બનવાને બદલે કર્મબંધનું સ્થાન બને છે. આથી અયોગ્ય સાધુને મુંડાપનાદિ ગુણસ્થાન આપવાનો પૂર્વાચાર્યોએ નિષેધ કર્યો છે. પ૭૩ અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે ભાષ્યકારાદિ પૂર્વાચાર્યો અમારા કથનના સંવાદી કથનને જ કહે છે. તેથી હવે ગાથા ૫૭૯ સુધી ભાષ્યકારાદિનું કથન બતાવે છે – ગાથા : जिणवयणप्पडिकुटुं जो पव्वावेइ लोभदोसेणं । चरणट्ठिओ तवस्सी लोएइ तमेव चारित्तं ॥५७४॥ અન્વયાર્થ : નિવયTMહિદ્દે જિનવચનથી પ્રતિકૃષ્ટને નમવોલેvi=લોભના દોષથી ગોકજે પત્રવેદૃ પ્રવ્રાજે છે=પ્રવ્રયા આપે છે, રર ફિલ્મો તવસ્સી ચરણમાં સ્થિત, તપસ્વી, તમેવ ચારિત્ત તે જ ચારિત્રને નોટ્ટિ લોપે છે. ગાથાર્થ : જિનવચનથી પ્રતિષિદ્ધને લોભના દોષથી જે પ્રવજ્યા આપે છે, ચારિત્રમાં રહેલા તપસ્વી તે જ ચારિત્રને લોપે છે. ટીકાઃ जिनवचनप्रतिक्रुष्टं प्राणिनं यः प्रव्राजयति कारणमनादृत्य लोभदोषेण-ऐहिकेन, चरणस्थितः तपस्वी एतत्कुर्वन् लोपयति अपनयति तदेव चारित्रमात्मीयमिति गाथार्थः ।।५७४॥ ટીકાર્ય : જિનવચનથી પ્રતિકુષ્ટ એવા પ્રાણીને જીવને, કારણને છોડીને ઐહિક એવા લોભના દોષથી જે પ્રવાજે છે=જે ગુરુ પ્રવ્રજ્યા આપે છે, આને કરતા એવા=જિનવચનથી પ્રતિકૃષ્ટ જીવને પ્રવજ્યા આપતા એવા, ચરણમાં સ્થિત=ચારિત્રની આચરણા કરતા, તપસ્વી–તપને કરતા ગુરુ, તે જ આત્મીય ચારિત્રને લોપે છે દૂર કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy