SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/માવિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૦૩ ગાથા : पव्वावियस्स वि तहा इत्थ मुंडावणाइ वि णिसिद्धं । जिणमयपडिकुट्ठस्सा पुव्वायरिया तहा चाहू ॥५७३॥ અન્વયાર્થ: તદ અને રૂચઅહીં=અયોગ્યને પ્રવજ્યા આપવાના પ્રસંગમાં, નિમિયાદિg=જિનમતથી પ્રતિકુષ્ટ એવા પબ્રાવિયવ=પ્રવ્રાજિતને પણ મુંડાવરૂ વિ=મુંડાપનાદિ પણ સિદ્ધ-નિષિદ્ધ છે, તે ચ=અને તે પ્રકારે પુત્રાયા =પૂર્વાચાર્યો સાદૂ કહે છે. ગાથાર્થ : અને અયોગ્યને દીક્ષા આપવાના પ્રસંગમાં જિનમતથી પ્રતિકૃષ્ટ એવા પ્રવાજિતને પણ મુંડાપનાદિ પણ નિષિદ્ધ છે, અને તે પ્રકારે પૂર્વાચાર્યો કહે છે. ટીકાઃ प्रवाजितस्याऽपि तथाऽत्र व्यतिकरे मुण्डापनाद्यपि गुणस्थानं निषिद्धं पूर्वाचार्यैः जिनमतप्रतिक्रुष्टस्य= भगवद्वचननिराकृतस्य, पूर्वाचार्याः-भाष्यकारादयः तथा चाहुः एतत्संवाद्येवेति गाथार्थः ।।५७३॥ * “પ્રવૃતિસ્થાપિ'માં “મપિ'થી એ કહેવું છે કે અયોગ્ય એવા અપ્રવ્રાજિતને તો પ્રવ્રજ્યાદાનનો નિષેધ છે, પરંતુ અયોગ્ય એવા પ્રવ્રાજિતને પણ મુંડાપનાદિનો પણ નિષેધ છે. * “HUSાપના ''માં ‘પ'થી એ જણાવવું છે કે અયોગ્ય એવા અખબ્રાજિતને પ્રવ્રજ્યાદાનનો તો નિષેધ છે, પરંતુ અયોગ્ય એવા પ્રવ્રાજિતને પણ મુંડાપનાદિનો પણ નિષેધ છે, અને ‘માર' પદથી શિક્ષાપનાદિનું ગ્રહણ છે. ટીકાર્ય : અને આ વ્યતિકરમાં—અયોગ્ય જીવને પ્રવજ્યા આપવાના પ્રસંગમાં, જિનના મતથી પ્રતિકૃષ્ટ=ભગવાનના વચનથી નિરાકૃત, એવા પ્રવ્રાજિતને પણ=પ્રવજ્યા આપેલ જીવને પણ, પૂર્વાચાર્યો વડે મુંડાપન આદિ ગુણસ્થાન નિષેધાયું છે. અને તે રીતે=જે રીતે ગ્રંથકારે કહ્યું તે રીતે, આના સંવાદીને જ ગ્રંથકારના કથનને અનુરૂપ કથનને જ, ભાષ્યકારાદિ પૂર્વાચાર્યો કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અયોગ્ય જીવને પ્રવજ્યા આપવાના પ્રસંગમાં ભગવાને જે પ્રકારના જીવને પ્રવ્રયા આપવાનું નિરાકરણ કર્યું છે, તેવા જીવને પ્રવ્રજયા અપાઈ ગઈ હોય તો પણ તેને મુંડાપનાદિ સંયમની આગળની ભૂમિકારૂપ ગુણસ્થાન આપવાનો પૂર્વાચાર્યોએ નિષેધ કર્યો છે. અને આ વાતને દઢ કરવા ગ્રંથકાર કહે છે કે અમે જે કથન કર્યું એ અમારા કથનને જ કહેનારું ભાષ્યકારાદિનું વચન છે, જે ગ્રંથકાર સ્વયં આગળમાં બતાવે છે. અહીં મુંડાપનાદિને “ગુણસ્થાન” કહેવા પાછળનો આશય એ છે કે સાધુ જેમ જેમ સંયમની ઉપર ઉપરની ક્રિયાઓ સમ્યગૂ વિધિપૂર્વક કરતા જાય છે, તેમ તેમ તે સાધુ ઉપર ઉપરના સંયમસ્થાનરૂપ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. માટે ઉપયોગપૂર્વક દીક્ષા ગ્રહણ કરનાર જીવ પ્રવ્રયારૂપ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે, અને દીક્ષા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy