________________
૨૨૯
પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત સૂરદાનવિચાર' દ્વાર | ગાથા પહ૧-૫૦૦, ૫૦૩ ટીકાર્ય
જે પ્રાણીઓ=જીવો, પ્રવ્રયાને યોગ્ય હોય, તેઓ જ સૂત્રને યોગ્ય થાય છે, ફક્ત અહીં=ગાથામાં= પૂર્વગાથામાં, યોગ્યતાનું ગ્રહણ પ્રાધાન્યના પ્રદર્શન અર્થે છે, અથવા ઓઘથી=સામાન્યથી, પ્રવ્રજિત એવા પણ ગુણોથી અધિકને દેવું જોઈએ=ગુરુએ સૂત્ર આપવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
અથવા પ્રવ્રજ્યાકાળમાં કોઈક રીતે છલાયેલા ગુરુએ પ્રવ્રજિત છતાને–દીક્ષિત એવા શિષ્યને, પાછળથી પણ સંવાસ દ્વારા અયોગ્ય જાણીને આવા પ્રકારના તેને પણ=અયોગ્ય એવા તે શિષ્યને પણ, સૂત્રાદિ=સૂત્ર અને અર્થ, દેય થતા નથી, અને આ ગાથામાં=ગાથા ૫૭૦માં, યોગ્યતાનું ગ્રહણ આ=ઉપરમાં કહ્યું છે, સૂચવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે યોગ્ય શિષ્યોને કાલપ્રાપ્ત સૂત્ર આપવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે સૂત્રને યોગ્ય જીવો કોણ છે? તેથી કહે છે કે જે જીવો પ્રવ્રયાને યોગ્ય છે, તે જીવો જ સૂત્રદાનને યોગ્ય છે. ત્યાં શંકા થાય કે પ્રવ્રજયાને યોગ્ય જીવ સૂત્રદાનને યોગ્ય હોય, તો “યોગ્યોને સૂત્ર આપવું જોઈએ”, એમ કહેવાની જરૂર રહેતી નથી; કેમ કે યોગ્ય જીવોને જ પ્રવ્રયા અપાઈ છે. તેથી એમ કહેવું જોઈએ કે “પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી કાલપ્રાપ્ત સૂત્ર આપવું જોઈએ.” માટે ફરીથી “યોગ્યોને સૂત્ર આપવું જોઈએ” એમ કહેવું પુનરુક્તિ દોષરૂપ છે. તેથી કહે છે કે ગાથા ૫૭૦માં યોગ્યતાનું ગ્રહણ ફક્ત પ્રાધાન્ય દેખાડવા માટે છે અર્થાત્ પ્રવ્રજ્યાદાનમાં જેમ યોગ્યતાની આવશ્યકતા છે, તેમ સૂત્રદાનમાં પણ યોગ્યતાની અતિપ્રધાનતા છે; કેમ કે અયોગ્ય જીવોને સૂત્ર આપવાથી તેઓનો વિનાશ થાય છે, એમ જણાવવા માટે ગાથા પ૭૦માં નો ' પદનું ગ્રહણ છે.
વળી, વા'કારથી “નો ' પદનો બીજો અર્થ બતાવે છે. સામાન્યથી પ્રવ્રજિત પણ ગુણથી અધિક એવા શિષ્યને સૂત્ર આપવું જોઈએ, એ જણાવવા માટે ગાથા ૫૭૦માં “ગોપાળ' પદનું ગ્રહણ છે.
આશય એ છે કે પ્રવ્રયા યોગ્ય જીવને અપાય છે, છતાં સૂત્ર તો ગંભીરતા આદિ વિશેષ ગુણોવાળા યોગ્ય જીવને જ અપાય છે. નહીંતર સૂત્રાધ્યયનથી તે અયોગ્ય જીવનો વિનાશ થાય; કેમ કે ગંભીરતા આદિ ગુણો ન હોય તો તેવા જીવને સૂત્ર ભણ્યા પછી જ્ઞાનનો મદ થાય છે.
વળી, વા' કારથી ‘નો | T' પદનો ત્રીજો અર્થ બતાવે છે. પરીક્ષા કરતી વખતે કોઈક રીતે પ્રવજયા લેનાર જીવમાં ગુરુને યોગ્યતાનો ભ્રમ થયો હોય, અને પાછળથી સંવાસ દ્વારા ખ્યાલ આવે કે આ જીવ અયોગ્ય છે, તો દીક્ષા આપ્યા પછી પણ ગુરુએ તેને સૂત્ર અને અર્થ ભણાવવા જોઈએ નહીં. એ પ્રકારનું સૂચન “નો||' પદ કરે છે. પ૭૧/૫૭૨ા અવતરણિકા:
एतदेवाह - અવતરણિતાર્થ
આને જ કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે પ્રવજ્યાકાળમાં છલાયેલા ગુરુએ પાછળથી પણ અયોગ્ય જાણીને તે અયોગ્ય સાધુને સૂત્ર અને અર્થ આપવા જોઈએ નહિ, એ કથનને જ સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org