________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પદ૫-૫૬, ૫૬૦ થી ૫૯
૨૨૩
ભાવાર્થ :
જે સાધુ સદા શક્તિ અનુસાર સ્વાધ્યાયમાં રત રહે છે, તે સાધુને સ્વાધ્યાયથી શાસ્ત્રનિયંત્રિત એવા મન-વચન-કાયાના વ્યાપાર થવાને કારણે આત્મા-પરનો સમુત્તાર થાય છે; કેમ કે સ્વાધ્યાયમાં વર્તતા શુભ યોગ દ્વારા તે મહાત્મા ઘણી નિર્જરા પ્રાપ્ત કરીને પોતાના આત્માનું હિત સાધે છે, તેમ જ તેઓની ઉચિત પ્રવૃત્તિ જોઈને અન્ય જીવોને પણ તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ પ્રગટવાથી તે મહાત્માના નિમિત્તને પામીને તે અન્ય જીવો પણ પોતાના આત્માનું હિત સાધે છે.
વળી, સ્વાધ્યાયમાં સદા રત રહેનારા સાધુને ભગવાનની આજ્ઞા પ્રત્યેનું વાત્સલ્ય અર્થાત્ બહુમાન વર્તે છે, તેમ જ તે મહાત્માથી ભગવાનની આજ્ઞાની દીપના થાય છે અર્થાત્ તે મહાત્માની પ્રવૃત્તિ જોઈને “શક્તિ અનુસાર સ્વાધ્યાયમાં રત રહેવું જોઈએ” એ ઐકારની ભગવાનની આજ્ઞા છે એવો અન્યને પણ બોધ થાય છે, અને આવા મહાત્માને ભગવાનની આજ્ઞા પ્રત્યે ભક્તિ થાય છે.
વળી, સ્વાધ્યાયથી સંપન્ન થયેલા મહાત્મા જ્યારે ગીતાર્થ બને છે અને અન્ય જીવોને ઉપદેશ આપવા સમર્થ બને છે, ત્યારે માત્ર પૂર્વે કહેલા આત્મા-પરસમુત્તારાદિ ગુણો જ થતા નથી, પરંતુ પરોપદેશને કારણે ભગવાનના તીર્થના અવ્યવચ્છેદરૂપ ગુણ થાય છે; કેમ કે આવા ગીતાર્થ મહાત્માની સંવેગપૂર્વકની દેશનાથી ઘણા યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે, માટે તીર્થનો અવ્યવચ્છેદ થાય છે.
વળી સ્વાધ્યાયને કારણે ભગવાનની આજ્ઞાનું વાત્સલ્ય આદિ જે ગુણો થાય છે, તેનાથી જો ઉત્કૃષ્ટ પરિણામ થાય તો તે મહાત્માને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે, અને જો તેવો ઉત્કૃષ્ટ પરિણામ ન થાય તો પણ સામાન્ય રીતે આવા મહાત્મા સ્વાધ્યાયના બળથી ક્રમે કરીને સર્વજ્ઞ બને છે.
આમ, સ્વાધ્યાય એ મોક્ષનું પ્રધાન કારણ છે. પ૬૫/૫૬૬ll અવતરણિકા :
ગાથા પપપથી પ૬૬ સુધી સ્વાધ્યાય કરવાથી થતા સાત લાભો બતાવ્યા. હવે સ્વાધ્યાય કેવી રીતે કરવો જોઈએ? તે બતાવે છે –
ગાથા :
एसो य सया विहिणा कायव्वो होइ अप्पमत्तेणं ।
इहरा उ एअकरणे भणिया उम्मायमाईआ ॥५६७॥ અન્વયાર્થ:
પ્રય અને આ સ્વાધ્યાય, સ=સદામણમાં અપ્રમત્તે અપ્રમત્ત એવા સાધુએ, વિદિUT=વિધિથી થવ્યોગકર્તવ્ય રોટ્ટ થાય છે. ફુદા વળી ઇતરથા=અવિધિથી, પરો આના કરણમાં સ્વાધ્યાય કરવામાં, ૩Hથમામા=ઉન્માદ આદિ મળિયા કહેવાયા છે. ગાથાર્થ :
અને સ્વાધ્યાય સદા અપ્રમત્ત એવા સાધુએ વિધિથી કરવો જોઈએ, વળી અવિધિથી સ્વાધ્યાય કરવામાં ઉન્માદ આદિ દોષો કહેવાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org