SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય” દ્વાર | ગાથા પદ૫-૫૬૬ ગાથા : आयपरसमुत्तारो आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते अव्वोच्छित्ती य तित्थस्स ॥५६५॥ एत्तो तित्थयरत्तं सव्वनुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं सज्झाओ होइ णायव्वो ॥५६६॥ दारं ॥ અન્વયાર્થ: મયપરસમુત્તા આત્મ-પરનો સમુરાર થાય છે સ્વાધ્યાયથી સ્વ-પરનો ઉદ્ધાર થાય છે, માપવછચ્છવીવUITમી આજ્ઞાવાત્સલ્ય-દીપના-ભક્તિ થાય છે= સ્વાધ્યાયથી ભગવાનની આજ્ઞાનું વાત્સલ્ય, ભગવાનની આજ્ઞાની દીપના અને ભગવાનની આજ્ઞાની ભક્તિ થાય છે. પરેસિગરે =અને પરદેશકત્વ થયે છતે તિસ્થસ વ્યોચ્છિી રોતીર્થની અવ્યવચ્છિત્તિ થાય છે. પત્તો આનાથી=સ્વાધ્યાય દ્વારા પ્રગટેલા આજ્ઞાવાત્સલ્યાદિ ગુણોથી, મેui=ક્રમ વડે તિસ્થરત્ત સળંગુત્ત તીર્થકરત્વ અથવા સર્વજ્ઞત્વ નાયટ્ટ થાય છે. રૂ=આ રીતે-ઉપરમાં સ્વાધ્યાયથી થતા ગુણો બતાવ્યા એ રીતે, સારો સ્વાધ્યાયપરમોર્વ=પરમ એવું મોક્ષાંગ પાડ્યો દોડું=જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ : સ્વાધ્યાયથી આત્મ-પરનો સમુરાર થાય છે, ભગવાનની આજ્ઞાનું વાત્સલ્ય, આજ્ઞાની દીપના અને આજ્ઞાની ભક્તિ થાય છે, અને પરદેશકત્વ થયે છતે તીર્થની અવ્યવચ્છિની થાય છે. સ્વાધ્યાય દ્વારા પ્રગટેલા આજ્ઞાવાત્સલ્યાદિ ગુણોથી ક્રમ વડે તીર્થકરત્વ અથવા સર્વજ્ઞત્વ થાય છે. આ રીતે સ્વાધ્યાય પરમ એવું મોક્ષાંગ જ્ઞાતવ્ય થાય છે. ટીકાઃ __ आत्मपरसमुत्तार: स्वाध्यायात् शुभयोगेन, तथा आज्ञावात्सल्यं तथा आज्ञादीपना तथा आज्ञाभक्तिर्भवति, परदेशकत्वे सति न केवलमेतद्, अव्यवच्छित्तिश्च तीर्थस्य भवतीति गाथार्थः ॥५६५॥ अतो वात्सल्यादेर्गुणगणात् तीर्थकरत्वं उत्सर्गतः सर्वज्ञत्वं वा सामान्येन जायते क्रमेण जन्मजन्माभ्यासेन, इय एवं परमं प्रधानं मोक्षाङ्गं स्वाध्यायो भवति ज्ञातव्य इति गाथार्थः ॥५६६॥ (द्वारं)॥ ટીકાઈ: સ્વાધ્યાયથી શુભ યોગને કારણે શુભ વ્યાપારને કારણે, આત્મ-પરનો સમુત્તાર થાય છે, અને આજ્ઞાનું વાત્સલ્ય, અને આજ્ઞાની દીપના અને આજ્ઞાની ભક્તિ થાય છે. પરદેશકત્વ થયે છત=સ્વાધ્યાયથી સંપન્ન થયા પછી પરોપદેશની શક્તિ પ્રગટ થયે છતે, કેવલ આ નહીં=માત્ર આજ્ઞાવાત્સલ્યાદિ ગુણો જ નહીં, તીર્થની અવ્યવચ્છિત્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. આનાથી=વાત્સલ્યાદિરૂપ ગુણગુણથી, ક્રમ વડે=જન્મ-જન્મના અભ્યાસ વડે ઉત્સર્ગ) તીર્થકરપણું અથવા સામાન્યથી સર્વજ્ઞપણું થાય છે. આ રીતે ઉપરમાં સ્વાધ્યાયથી થતા ગુણો બતાવ્યા એ રીતે, સ્વાધ્યાય પરમ=પ્રધાન, એવું મોક્ષાંગ=મોક્ષનું કારણ, જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy