________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત સ્વાધ્યાય” દ્વાર/ ગાથા ૫૬૩-૫૬૪, ૫૫-૫૬
૨૨૧
ગાથાર્થ :
સ્વાધ્યાયથી જ નિયમથી ઉત્કૃષ્ટ નિર્જરા પણ જાણવી; કેમ કે વિશુદ્ધ જ્ઞાનનો ભાવ હોવાને કારણે ત્રિકરણ શુદ્ધિની પ્રવૃત્તિ છે. અજ્ઞાની ઘણા કરોડ વર્ષો વડે જે કર્મને ખપાવે છે, તે કર્મને ત્રણ ગુપ્તિઓ વડે ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. ટીકા?
अत एव स्वाध्यायाद् उत्कृष्टा=प्रधाना निर्जराऽपि कर्ममलविगमलक्षणा नियमेन भवति, कुतः ? इत्याह-त्रिकरणशुद्धिप्रवृत्तेः कारणात् हन्दि तथाज्ञानभावात् विशुद्धज्ञानभावादिति गाथार्थः ॥५६३॥
यदज्ञानी कर्म क्षपयति असंवेगात् बहीभिर्वर्षकोटीभिः, तत्तु ज्ञानी तिसृभिर्गुप्तः सन् गुप्तिभिः क्षपयत्युच्छ्वासमात्रेणेति गाथार्थः ॥५६४॥ द्वारम् ॥ ટીકાર્ય :
આનાથી જ સ્વાધ્યાયથી જ, નિયમ વડે કર્મરૂપી મળના વિગમના લક્ષણવાળી ઉત્કૃષ્ટ પ્રધાન, એવી નિર્જરા પણ થાય છે. કયા કારણથી નિર્જરા થાય છે? એથી કહે છે – તે પ્રકારના જ્ઞાનનો ભાવ હોવાને કારણે–વિશુદ્ધ એવા જ્ઞાનનો ભાવ હોવાને કારણે, ત્રિકરણની શુદ્ધિની પ્રવૃત્તિરૂપ કારણથીસ્વાધ્યાયથી ઉત્કૃષ્ટ નિર્જરા પણ થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અસંવેગથી અજ્ઞાની બહુ એવી વર્ષની કોટિઓ વડે જે કમને ખપાવે છે, વળી તેને તે કર્મને, ત્રણ ગુપ્તિઓ વડે ગુપ્ત છતા જ્ઞાની ઉચ્છવાસમાત્રથી ખપાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
વાસ્તવિક રીતે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિ સ્વાધ્યાયના અધિકારી છે, અને તેવા મુનિ સ્વાધ્યાયમાં સુદઢ યત્ન કરે છે ત્યારે તેઓ નક્કી ઉત્કૃષ્ટ નિર્જરાને પ્રાપ્ત કરે છે; કેમ કે સ્વાધ્યાયકાળમાં વિશુદ્ધ એવા જ્ઞાનનો ભાવ હોવાને કારણે મુનિનાં મન-વચન-કાયારૂપ ત્રણેય કરણો શુદ્ધ પ્રવર્તે છે.
આશય એ છે કે ત્રણેય કરણોને અશુદ્ધ પ્રવર્તાવવા દ્વારા જીવ કર્મોનો બંધ કરે છે, અને સ્વાધ્યાયથી ભગવાનના વચનાનુસાર પ્રગટેલ વિશુદ્ધ જ્ઞાન વડે મુનિનાં ત્રણેય કરણોની શુદ્ધિ પ્રવર્તે છે. માટે મુનિ જેમ જેમ સ્વાધ્યાયમાં યત્ન કરે છે, તેમ તેમ મુનિનાં મન-વચન-કાયારૂપ કરણોની શુદ્ધિ પ્રકર્ષને પામે છે, જેથી મુનિ ઉત્કૃષ્ટ નિર્જરા કરે છે. આથી સ્વાધ્યાયને નિર્જરા કહેલ છે.
વળી, ગ્રંથકાર બીજી પણ યુક્તિ આપે છે કે અજ્ઞાની જીવ ઘણા કરોડ વર્ષો સુધી કષ્ટો વેઠવા દ્વારા જે કર્મો ખપાવે છે, તે કર્મોને સ્વાધ્યાયમાં તન્મય થયેલા જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. આથી સ્વાધ્યાય મહાનિર્જરાનું કારણ છે. પ૬૩/૫૬૪ો. અવતરણિકા:
ગાથા ૫૫૫માં કહેલ કે સ્વાધ્યાયથી જ માર્ગનું પરદેશિકત્વ થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતા લાભો અને સ્વાધ્યાયથી પરદેશિકત્વ થયે છતે થતા લાભો બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org