SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર | ગાથા પદ૨, પ૬૩-૫૬૪ ટીકા : બાર પ્રકારવાળા તપમાં, કેવા સ્વરૂપવાળા બાર પ્રકારના તપમાં? એથી કહે છે – કુશલ વડે દષ્ટ= ભગવાન વડે જોવાયેલા, અત્યંતર સહિત બાહ્ય એવા બાર પ્રકારના તપમાં, સ્વાધ્યાયની સમાન તપ કર્મ નથી જ, હશે જ નહીં, હતો જ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કુશલ એવા ભગવાને અત્યંતર અને બાહ્ય એવો બાર પ્રકારનો તપ બતાવ્યો છે, અને એ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવો બીજો કોઈ ઉત્કૃષ્ટ તપ વર્તમાનમાં પણ વિદ્યમાન નથી, ભવિષ્યમાં પણ નહીં હોય અને ભૂતકાળમાં પણ ન હતો. આથી ગાથા ૫૫૫ માં સ્વાધ્યાયરૂપ તપને “પર” અને “પ્રધાન’ એમ બે વિશેષણો આપેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે બારેય પ્રકારનો તપ કર્મોને તપાવીને આત્માની વિશુદ્ધિને કરવા માટે છે, છતાં તે બારેય પ્રકારના તપમાંથી બાહ્ય તપ કરતાં અત્યંતર તપ પ્રધાન છે, અને બાહ્ય તપ અત્યંતર તપને પુષ્ટ કરવા અર્થે છે. વળી પ્રધાન એવા છ પ્રકારના અત્યંતર તપમાં પણ સ્વાધ્યાય પ્રકૃષ્ટ તપ છે; કેમ કે સંવેગપૂર્વક કરાયેલા સ્વાધ્યાયથી સંવેગનો ભાવ પ્રકર્ષવાળો થાય છે, જેનાથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે. માટે સર્વ તપોમાં સ્વાધ્યાય એ સર્વશ્રેષ્ઠ તપ છે. પ૬રા અવતરણિકા : ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાયથી કર્મની નિર્જરા થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતી નિર્જરાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : एत्तो च्चिअ उक्कोसा विन्नेआ निज्जरा वि निअमेणं । तिगरणसुद्धिपवित्तीउ हंदि तहनाणभावाओ ॥५६३॥ जं अन्नाणी कम्मं खवेइ बहुआहिं वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥५६४॥ दारं ॥ અન્વયાર્થઃ પત્તો ઉચ્ચ=આનાથી જ સ્વાધ્યાયથી જ, નિરૂi=નિયમથી ડોસા નિન્જા વિ-ઉત્કૃષ્ટ નિર્જરા પણ વિન્ને=જાણવી; તદનામાવાઝો તિઃTRUાસુદ્ધિપવિત્તી કેમ કે તે પ્રકારના જ્ઞાનનો ભાવ હોવાને કારણે ત્રિકરણશુદ્ધિની પ્રવૃત્તિ છે. મન્નાઇ=અજ્ઞાની વદુર્દ વાતોકીર્દિબહુ એવી વર્ષની કોટિઓ વડે નં મં=જે કર્મને વેડું=ખપાવે છે, તંત્ર તેને તિર્દિાત્તો નાની ત્રણ વડે ત્રણ ગુપ્તિઓ વડે, ગુપ્ત જ્ઞાની સાસમિત્તેv=ઉવા માત્રથી ઘટ્ટ ખપાવે છે. * ‘રિ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે અર્થાત્ સ્વાધ્યાયથી નિર્જરા થાય છે, એ દર્શાવવા માટે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy