SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “રવાધ્યાય” દ્વાર/ ગાથા પદન-પર ૨૧૯ મલની અપેક્ષાથી વિશુધ્ધમાન છતા=વિશુદ્ધિને પામતા છતા સાધુ, જન્મની અપેક્ષાથી માવજીવ પણ નિષ્કપ=સ્થિર, વિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: નવો નવો અભ્યાસ કરવાથી સાધુમાં વિશેષ વિશેષતર શ્રુતજ્ઞાન પ્રગટે છે, અને તે જ્ઞાનની જ્ઞપ્તિથી અર્થાત્ તે જ્ઞાનના બોધથી, દર્શનપ્રધાન તપ-નિયમરૂપ સંયમમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે; કેમ કે નવા નવા જ્ઞાનથી તત્ત્વના વિષયમાં શ્રદ્ધા સ્થિર થવાથી મુનિના દર્શનની વિશુદ્ધિ થાય છે, જેથી તેવા મુનિને વિશેષ પ્રકારના બોધથી તપ-નિયમરૂપ સંયમ જ એકાંતે શ્રેયકારી દેખાય છે, તેથી તે મુનિ જ્ઞાનના બળથી સંયમમાં દઢ યત્ન કરી શકે છે. આ રીતે સંયમમાં વિચરતા અને નિર્મળ જ્ઞાનને કારણે વિશુદ્ધ થતા મુનિ આ ભવની અપેક્ષાએ જાવજીવ મોક્ષમાર્ગમાં નિષ્કપ રહી શકે છે અર્થાત્ તેઓ સંયમજીવનમાં આવતા ઉપસર્ગ કે પરિષદોમાં કંપાયમાન થતા નથી, પ્રતિકૂળ સંયોગોમાં પણ ખેદ પામતા નથી, પરંતુ જ્ઞાનના બળથી સંસારના યથાર્થ સ્વરૂપને જાણીને સંસારના ઉચ્છેદ માટે નિષ્કપ બનીને પ્રવૃત્તિ કરે છે. પ૬૧ી અવતરાણિકા: ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાય એ પ્રકૃષ્ટ અને પ્રધાન તપ છે. તેથી હવે બારેય પ્રકારના તપમાં સ્વાધ્યાય એ પ્રકૃષ્ટ અને પ્રધાન તપ કઈ રીતે છે? તે સ્પષ્ટ કરે છે – ગાથા : बारसविहम्मि वि तवे सब्भितरबाहिरे कुसलदिवे । न वि अत्थि न वि अ होही सज्झायसमं तवोकम्मं ॥५६२॥ दारं ॥ અન્વચાઈ: રત્નવિ-કુશલદષ્ટ કુશલ એવા જિનો વડે જોવાયેલા, મિતરવાહિ અત્યંતર સહિત બાહ્ય એવા વારવિષિ વિ રવે-બાર પ્રકારવાળા પણ તપમાં સાયમં સ્વાધ્યાયની સમાન તવોમાં તપકર્મ સ્થિ ન વિ=નથી જ, ફોહી મ ન વિ=અને હશે જ નહીં. ગાથાર્થ : કુશલ એવા જિનો વડે જોડાયેલા અત્યંતર સહિત બાહ્ય એવા બાર પ્રકારવાળા પણ તપમાં, સ્વાધ્યાય સમાન તપકર્મ નથી જ અને હશે જ નહીં. ટીકા : द्वादशविधे तपसि, किम्भूत इत्याह-साभ्यन्तरबाह्ये कुशलदृष्टे नाऽप्यस्ति नाऽपि भविष्यति नाऽप्यासीदिति गम्यते स्वाध्यायसमं तपःकर्मेति गाथार्थः ।।५६२॥ द्वारं ॥ * “વારવિષ્યિ વિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે બાહ્ય એવા છ પ્રકારના તપમાં તો સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી, પરંતુ બાહ્ય અને અત્યંતર એવા બાર પ્રકારના તપમાં પણ સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy