________________
૨૧૮
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘વિ’થી પ્રાપ્ત ‘સ્વાધ્યાય' દ્વાર | ગાથા ૫૬૦-૫૬૧
આત્મામાં નિર્લેપદશા વધતી જાય છે, અને આત્મકલ્યાણ ક૨વાનો દૃઢ પ્રતિબંધ અતિશયિત થાય છે, અને એ રૂપ શુભભાવની શીતળતાનો તેઓનો અનુભવ પ્રતિદિન વૃદ્ધિ પામે છે; કેમ કે શ્રુત ભણીને નવા નવા સંવેગની શ્રદ્ધા થવાથી મુનિનું સર્વ શ્રુત પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર વિશેષ વિશેષતર સંવેગની પરિણતિની નિષ્પત્તિનું કારણ બને છે. આથી જેઓ નવા નવા સંવેગની રુચિપૂર્વક સ્વાધ્યાય કરતા નથી, માત્ર જ્ઞાન વધારવાની વૃત્તિથી ભણે છે, તેઓને સ્વાધ્યાયથી કેવલ શાબ્દબોધનો વિસ્તાર થાય છે, પરંતુ શુભ ભાવના આનંદરૂપ શીતળતાની અનુભૂતિ થતી નથી.
અહીં મુનિનું “પ્રત્યપ્રપ્રત્યદ્મશ્રદ્ધાયુક્ત્ત:'' એ પ્રકારે વિશેષણ આપ્યું, એનાથી એ કહેવું છે કે મુનિને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હોય છે, છતાં તેઓ જેમ જેમ નવું નવું શ્રુતાધ્યયન કરે છે તેમ તેમ પ્રત્યગ્ર પ્રત્યગ્ર અર્થાત્ અધિક અધિક શ્રદ્ધાથી યુક્ત બને છે; કેમ કે શ્રુતાધ્યયનથી ભગવાનના વચનનાં રહસ્યોનું અધિક અધિક જ્ઞાન થાય છે, તેથી શ્રદ્ધા પણ અધિક અધિક થાય છે. ૫૬૦
અવતરણિકા :
ગાથા ૫૫૫માં કહેલ કે સ્વાધ્યાયથી માર્ગમાં નિકંપતા થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતી નિષ્કપતાનું સ્વરૂપ બતાવે છે
ગાથા :
-
नाणाणत्तीअ पुणो दंसणतवनियमसंजमे ठिच्चा ।
विहरइ विसुज्झमाणो जावज्जीवं पि निक्कंपो ॥५६१॥ दारं ॥
અન્વયાર્થ:
નાળાળતી પુળો=વળી જ્ઞાનજ્ઞપ્તિ વડે વંસળતવનિયમસંનમે વિષ્વા=દર્શનપ્રધાન તપ-નિયમરૂપ સંયમમાં રહીને વિભુમાળો-વિશુધ્ધમાન વિશુદ્ધિને પામતા એવા સાધુ, ખાવઝ્ઝીવં પિયાવજ્જીવ પણ નિર્ધીપો=નિષ્કપ વિહર=વિહરે છે.
* ‘પુો' અવ્યય વિશેષતાધોતક છે.
ગાથાર્થ:
વળી જ્ઞાનજ્ઞપ્તિ વડે દર્શનપ્રધાન તપ-નિયમરૂપ સંયમમાં રહીને વિશુદ્ધિને પામતા સાધુ યાવજ્જીવ પણ નિષ્કુપ વિચરે છે.
ટીકા ઃ
ज्ञानज्ञप्त्या पुनः विशेषणे दर्शनतपोनियमसंयमे इति दर्शनप्रधानस्तपोनियमरूपो यः संयमस्तत्र स्थित्वा विहरति विशुध्यमानः सन् कर्म्ममलाऽपेक्षया यावज्जीवमपि जन्माऽपेक्षया निष्कम्पः = स्थिर इति ગાથાર્થ: ।૬।। દ્વારં ॥
ટીકાર્ય
‘પુનઃ ’વિશેષણમાં છે. વળી જ્ઞાનની શપ્તિ વડે દર્શનપ્રધાન તપ-નિયમરૂપ જે સંયમ, તેમાં રહીને કર્મરૂપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org