SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા ૫૦ ૨૧૦ અવતરણિકા : ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાયથી જ અપૂર્વના આગમન દ્વારા નવો નવો સંવેગ થાય છે. તેથી હવે સ્વાધ્યાયથી થતા નવા નવા સંવેગનું સ્વરૂપ બતાવે છે – ગાથા : जह जह सुअमवगाहइ अइसयरसपसरसंजुअमपुव्वं । तह तह पल्हाइ मुणी नवनवसंवेगसद्धावं ॥५६०॥ दारं ॥ અન્વયાર્થ: અડ્ડથર સરપંગુગં કુમં=અતિશયરસના પ્રસરથી સંયુક્ત એવા શ્રુતને ગદગદ જેમ જેમ વહિટ્ટ= અવગાહે છે=મુનિ બોધ કરે છે, તદ ત તેમ તેમ નવનવસંવેરાદ્ધવં=નવા નવા સંવેગની શ્રદ્ધાવાળા મુળ=મુનિ પુā=અપૂર્વ પલ્વાડ્ર=પ્રફ્લાદ પામે છે=આનંદ પામે છે. ગાથાર્થ : અતિશયરસના પ્રસરથી યુક્ત એવા શ્રુતનો જેમ જેમ મુનિ બોધ કરે છે, તેમ તેમ નવા નવા સંવેગની શ્રદ્ધાવાળા મુનિ અપૂર્વ આનંદ પામે છે. ટીકાઃ यथा यथा श्रुतमवगाहते ग्रहणपरिचयेन अतिशयरसप्रसर(सं)युक्तमिति अतिशयेषु सूत्रोक्तेषु यो रसः प्रीतिलक्षण: तत्प्रसरसमन्वितं, अपूर्वमेव प्रत्यहं तथा तथा प्रह्लादति शुभभावशैत्येन मुनिः साधुः नवनवसंवेगश्रद्धावान्=प्रत्यग्रप्रत्यग्रश्रद्धायुक्त इति गाथार्थः ॥५६०॥ द्वारं ।। ટીકાર્ય : અતિશયરસના પ્રસરથી સંયુક્ત સૂત્રમાં કહેવાયેલા અતિશયોમાં અર્થાત્ ક્રિયાથી નિખાદ્ય એવા સંવેગરૂપ ભાવોમાં, પ્રીતિ સ્વરૂપ જે રસ, તે રસના પ્રસરથી સમન્વિત, એવા શ્રુતને જેમ જેમ ગ્રહણ-પરિચય દ્વારા અવગાહે છે=મુનિ બોધ કરે છે, તેમ તેમ પ્રતિદિન શુભભાવરૂપ શૈત્યથી=શીતળતાથી, નવા નવા સંવેગની શ્રદ્ધાવાળા મુનિ=પ્રત્યગ્ર પ્રત્યગ્ર શ્રદ્ધાથી યુક્ત સાધુ, અપૂર્વ જ પ્રહૂલાદ પામે છે=આનંદ પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શ્રુતજ્ઞાન અતિશય ઉપશમ રસના પ્રસરથી યુક્ત છે, અને આવા શ્રુતને સાધુ ભણે છે. વળી સૂત્રમાં કહેવાયેલી ક્રિયાઓથી નિષ્પન્ન થતા સંવેગરૂપ ભાવોમાં મુનિને અતિ પ્રીતિ હોય છે; કેમ કે મુનિ જાણતા હોય છે કે આ શ્રુત સર્વજ્ઞકથિત હોવાથી એકાંતે હિતકર છે. માટે મુનિ અતિ પ્રીતિપૂર્વક સૂત્રને ગુરુ પાસેથી ગ્રહણ કરે છે, અને સૂત્રમાં કહેલી ક્રિયાઓના સેવનથી તે સૂત્રના ભાવોનો પરિચય કરે છે. આ રીતે જેમ જેમ સાધુ શ્રુતાભ્યાસ કરે છે, તેમ તેમ સૂત્રોક્ત ભાવોમાં તેમની પ્રીતિ અતિશય અતિશયતર વૃદ્ધિ પામે છે. અને સાધુ જેમ જેમ નવું નવું શ્રુત ગ્રહણ કરે છે, નવા નવા શ્રુતનો પરિચય કરે છે, તેમ તેમ તેમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy