________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય” દ્વાર | ગાથા પપદ
૨૧૩
ગાથા :
आयहिअमजाणतो मुज्झइ मूढो समाययइ कम्मं ।
कम्मेण तेण जंतू परीति भवसागरमणंतं ॥५५६॥ અન્વયાર્થ:
માહિ૩મનાતો આત્મહિતને નહીં જાણતો (કૃત્યોમાં) મુ=મૂંઝાય છે, મૂઢો મૂઢ=મૂંઝાયેલો એવો જીવ, મંત્રકર્મને સમરૂ ગ્રહણ કરે છે, તેમાં –તે કર્મ વડે બંદૂ-જંતુ-જીવ, મvid જવણી અનંત એવા ભવસાગરને વિષે પરીતિ=રખડે છે. ગાથાર્થ :
આત્મહિતને નહીં જાણતો કૃત્યોમાં મૂંઝાય છે, મૂઢ એવો જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોને ગ્રહણ કરે છે, તે કર્મ વડે જીવ અનંત એવા ભવસાગરમાં રખડે છે. ટીકાઃ __ आत्महितमजानानो भावतः मुह्यति कृत्येषु, मूढः सन् समादत्ते कर्म-ज्ञानावरणीयादि, कर्मणा तेन हेतुभूतेन जन्तु-प्राणी परीति पर्यटति भवसागरं-संसारसमुद्रम् अनन्तमिति महाप्रमाणमिति गाथार्थः ॥५५६॥
ટીકાર્ય :
આત્માના હિતને નહીં જાણતો કૃત્યોમાં ભાવથી મૂંઝાય છે, મૂંઝાયેલો છતો જ્ઞાનાવરણીયાદિ કર્મને ગ્રહણ કરે છે, હેતુભૂત=સંસારના પર્યટનમાં કારણભૂત, એવાં તે કર્મ વડે જંતુ=પ્રાણી-જીવ, અનંત=મહાપ્રમાણવાળા, ભવરૂપી સાગરને વિષે સંસારરૂપી સમુદ્રને વિષે, પર્યટન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જેઓ સાસ્ત્રો ભણીને આત્મહિત જાણવા માટે યત્ન કરતા નથી, તેઓ કદાચ સંસારના ભયથી કે ધર્મની બુદ્ધિથી સત્યવૃત્તિ કરતા હોય, કે તેઓએ આત્મકલ્યાણ માટે સંયમ ગ્રહણ કરેલ હોય, તોપણ ભગવાનના વચનથી ભાવિતમતિવાળા નહીં હોવાને કારણે તેઓ ઉચિત કૃત્યોમાં ભાવથી મોહ પામે છે. આથી તત્ત્વને નહીં જાણનારા મૂઢ જીવો દ્રવ્યથી ઉત્તમ આચારો પાળવા છતાં ઉત્તમ પ્રકૃતિને નિષ્પન્ન કરતા નથી, પરંતુ બાહ્ય આચરણારૂપ ધર્મનાં અનુષ્ઠાનો યથાતથા સેવીને જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે છે, જેના કારણે અનંતકાળરૂપ મહાપ્રમાણવાળા સંસારમાં તેઓ ભટકે છે.
આ રીતે સ્વાધ્યાયના અભાવથી સંસારની વૃદ્ધિ થાય છે, એમ કહેવા દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે સલ્ફાસ્ત્રોનો સાચો બોધ આત્મહિતની પરિજ્ઞા છે, જે પરિજ્ઞા આ જીવને દુરંત સંસારમાંથી પડતો બચાવી શકે છે. માટે સંસારથી ઉદ્વિગ્ન થયેલા જીવે આત્મહિત જાણવા માટે યત્ન કરવો જોઈએ, જેનો અનન્ય ઉપાય સ્વાધ્યાય છે. પપદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org