________________
પ્રતિદિનક્રિયાવસ્તુક /‘માર્િ’થી પ્રાપ્ત ‘સ્વાધ્યાય' દ્વાર / ગાથા ૫૫૫-૫૫૬ (૩) “નવનવો સંવેનો વળી સ્વાધ્યાયથી નવો નવો સંવેગ પ્રગટે છે. સંવેગ એટલે મોક્ષની ઇચ્છા. અને મુનિને જગતના કોઈ પદાર્થોની ઇચ્છા હોતી નથી, માત્ર મોક્ષ અને મોક્ષના ઉપાયો મેળવવાની જ ઇચ્છા હોય છે, જે સંવેગરૂપ છે. વળી નવાં નવાં શાસ્ત્રો ભણવાથી અપૂર્વ તત્ત્વનું આગમન થવાને કારણે સાધુમાં નવા નવા સંવેગની વૃદ્ધિ થાય છે, જેના કારણે સાધુમાં પૂર્વે જેવો મોક્ષનો અભિલાષ હતો, તેના કરતાં ઉત્તરોત્તર મોક્ષનો અભિલાષ અતિશયિત થાય છે, જે પ્રકર્ષને પામીને પરિપૂર્ણ અનિચ્છાનું કારણ બને છે. તેથી સ્વાધ્યાયને નવા નવા સંવેગનું કારણ કહેલ છે.
૨૧૨
11
અહીં ‘નવો નવો સંવેગ' એમ કહેવા દ્વારા એ કહેવું છે કે સ્વાધ્યાયમાં જેવા શાસ્ત્રીય પદાર્થોનું ચિંતવન કરવામાં આવે છે, તેને અનુરૂપ નવો નવો સંવેગ પ્રગટે છે. જેમ કે સાધુ સંસારની ચારગતિઓની કદર્થનાનું સ્વરૂપ વાંચે કે જાણે, ત્યારે તેને સંસારના સર્વ ભાવો નિસ્સાર છે તેવો સંવેગ પ્રગટે છે. વળી ક્યારેક સાધુ નરકનું વર્ણન વાંચે ત્યારે વિચારે કે “હે જીવ ! આ સંસારમાં પ્રમાદ કરીશ, તો ઘણા મહાત્માઓ ગુણસ્થાનકથી પાત પામીને નરકમાં ગયા તેમ તારે પણ નરકે જવાનો પ્રસંગ આવશે,” આ પ્રકારનો સ્વાધ્યાયથી સંવેગ થવાને કારણે પ્રમાદ ન થાય તેવો દૃઢ યત્ન કરવાનો સાધુને પરિણામ પ્રગટે છે.
(૪) “નિશ્ર્વયા” સ્વાધ્યાયથી મોક્ષમાર્ગમાં નિષ્કંપતા પ્રગટે છે; કેમ કે સાધુ જેમ જેમ નવા નવા શાસ્ત્રોનો બોધ કરે, તેમ તેમ સાધુને અપૂર્વ કોટીના ઉપશમના સુખનો અનુભવ થવાથી પૂર્ણ સુખનો ઉપાય આ મોક્ષમાર્ગની ક્રિયા જ છે તેવો પહેલાં જે દૃઢ વિશ્વાસ હતો, તે અતિશય અતિશયતર વધે છે, જેથી મોક્ષમાર્ગમાં નિષ્કપતા પ્રગટે છે. આથી સ્વાધ્યાય કરીને નિષ્પન્ન થયેલા આત્માઓ ઉપસર્ગ અને પરિષહમાં પણ ચલાયમાન થયા વગર રત્નત્રયીની વૃદ્ધિમાં દૃઢ યત્ન કરી શકે છે, તે દર્શાવવા સ્વાધ્યાયને મોક્ષમાર્ગમાં નિષ્કપતા કહેલ છે.
(૫) ‘‘તવો’’ વળી સ્વાધ્યાય એ તપ છે. અહીં તપનાં બે વિશેષણો આપ્યાં કે સ્વાધ્યાય એ ‘૫૨’ તપ છે, અને ‘પ્રધાન’ તપ છે. પરતપ એટલે સ્વાધ્યાય એ પ્રકૃષ્ટ તપ છે, અને પ્રધાનતપ એટલે તપના બાહ્ય અને અત્યંત એમ બે ભેદોમાંથી અત્યંતર તપ પ્રધાન છે, અને તે અત્યંત૨ તપના છ પ્રકારોમાંથી પણ સ્વાધ્યાય એ પ્રધાન તપ છે. એ બતાવવા માટે અહીં તપને ‘પર અને પ્રધાન' એમ બે વિશેષણો આપ્યાં છે.
(૬) “નિષ્ના” વળી સ્વાધ્યાય એ કર્મની નિર્જરારૂé છે. સાધુ જેમ જેમ સ્વાધ્યાયમાં તન્મય થતા જાય છે, તેમ તેમ તેમના આત્મા પર ચોંટેલા ઘણાં કર્મો વિખેરાઈ જાય છે, આથી સ્વાધ્યાય એ નિર્જરાનું અનન્ય કારણ છે. તે બતાવવા સ્વાધ્યાયને નિર્જરા કહેલ છે.
(૭) ‘‘પરવેસિઅન્ન’ સ્વાધ્યાય પરદેશિકત્વ છે. સ્વાધ્યાયથી જ સાધુઓ ગીતાર્થ બને છે, અને ગીતાર્થ થયેલા મહાત્માઓ પરને ઉપદેશ આપવા દ્વારા યોગ્ય જીવોને સન્માર્ગનો બોધ કરાવી શકે છે. માટે સ્વાધ્યાયને પરદેશિકત્વ કહેલ છે. ૫૫૫
અવતરણિકા :
પૂર્વગાથામાં સ્વાધ્યાયના સાત ગુણો બતાવ્યા. ત્યાં પ્રથમ આત્મહિતપરિજ્ઞા નામના ગુણને વ્યતિરેકથી કહે છે અર્થાત્ આત્મહિતની અપરિજ્ઞાથી જીવને પ્રાપ્ત થતા અનર્થો બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org