________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પપપ
૨૧૧
અન્વયાર્થ :
માપિરિઅUTT=(સ્વાધ્યાય એ) આત્મહિતપરિજ્ઞા, માવસંવ ભાવસંવર નવનવો એ સંવેગો= અને નવો નવો સંવેગ, નિHપયા=નિષ્કપતા, તવ=તપ નિઝર ચ=અને નિર્જરા પત્તિ ચ=અને પરદેશિકત્વ છે. ગાથાર્થ :
સ્વાધ્યાય એ આત્મહિતપરિજ્ઞા, ભાવસંવર, નવો નવો સંવેગ, નિષ્કપતા, તપ, નિર્જરા અને પરદેશિકત્વ છે. ટીકા :
आत्महितपरिज्ञा स्वाध्यायः, तथा भावसंवर:=परमार्थसंवरः तत एव, तथा नवनवश्च संवेगोऽपूर्वागमेन, तथा निष्कम्पता मार्गे, तथा तपः परं प्रधानं, तथा निर्जरा च कर्मणः, तथा परदेशिकत्वं च मार्गस्य स्वाध्यायादेवेति गाथासमुदायार्थः ॥५५५॥ ટીકાર્ય :
સ્વાધ્યાય આત્મહિતપરિજ્ઞા છે, અને તેથી જ સ્વાધ્યાય આત્મહિતપરિજ્ઞા છે તેથી જ, ભાવસંવર છે–પરમાર્થસંવર છે, અપૂર્વના આગમ દ્વારા નવો નવો સંવેગ છે, તથા માર્ગમાં નિષ્કપતા છે, અને પરપ્રધાન એવું તપ છે, અને કર્મની નિર્જરા છે, અને સ્વાધ્યાયથી જ માર્ગનું પરદેશિકપણું થાય છે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ :
(૧) “સાહિમપરિપUTI" સ્વાધ્યાય એ આત્માના હિતની પરિજ્ઞા છે. જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ બે પ્રકારે પરિજ્ઞા છે અર્થાત્ સ્વાધ્યાયથી આત્માના હિતનો યથાર્થ બોધ થાય છે, તેમ જ સ્વાધ્યાયથી આત્માના હિતમાં પ્રવૃત્તિ થાય છે; કેમ કે જ્ઞપરિજ્ઞા બોધાત્મક છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા આચરણાત્મક છે અર્થાત્ પાપથી નિવૃત્ત થઈ આત્મહિતમાં પ્રવૃત્તિ કરવા સ્વરૂપ છે. આથી સાધુ જેમ જેમ સ્વાધ્યાયમાં પ્રવર્તે છે, તેમ તેમ તેઓને આત્મહિતનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થતો જાય છે, અને આત્મહિતના પરિણામોમાં યત્ન અતિશયિત થતો જાય છે. આથી સ્વાધ્યાયને આત્મહિતપરિજ્ઞા કહેલ છે.
(૨) “ભાવસંવો” સ્વાધ્યાય એ ભાવસંવર છે. અર્થાત્ બાહ્ય પ્રવૃત્તિઓથી મન-વચન-કાયાના યોગોને નિવૃત્ત કરવારૂપ ક્રિયાત્મક સંવરણ એ દ્રવ્યસંવર છે, અને આત્માનું પોતાના આંતરિક સ્વભાવમાં સંવૃત થઈને રહેવું એ ભાવસંવર છે, અને તે પરમાર્થથી સંવરરૂપ છે. આવો સંવર સ્વાધ્યાયથી પ્રગટે છે; કેમ કે સ્વાધ્યાય શ્રુતજ્ઞાનના વિશેષ ઉપયોગરૂપ છે. આથી જેમ સિદ્ધાત્માઓ કષાયોના સ્પર્શ વગરના અને કેવલજ્ઞાનના ઉપયોગવાળા છે, તેમ મુનિઓ પણ સ્વાધ્યાયના બળથી કષાયોના સ્પર્શ વગરના અને શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા બને છે. માટે સાધુનો કષાયોના સ્પર્શ વગરનો અને આત્માના શુદ્ધભાવના સ્પર્શવાળો ઉપયોગ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ સંવર અતિશયિત થતો જાય છે, અને આવા સંવરની વૃદ્ધિનું કારણ સ્વાધ્યાય છે. તેથી સ્વાધ્યાયને ભાવસંવર કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org