________________
૨૧૦
પ્રતિદિનકિયાવસ્તકા મારિ'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા ૫૫૪
ટીકા : __उपधिं च पूर्वोक्तं सन्देश्य अनुज्ञाप्य गुरुं प्रेक्षन्ते यथैव वर्णितं पूर्वमत्रैव तथैवेति, विच्चंमि-अपान्तराले च उक्तक्रियाकलापस्य स्वाध्यायः यथाक्रमं पर्यायमाश्रित्य, तस्य स्वाध्यायस्य गुणा वर्णिता एते वक्ष्यमाणा રૂતિ થાર્થ: પવછા ટીકાર્ય :
અને ગુરુને અનુજ્ઞાપન કરીનેeગુરુની અનુજ્ઞા લઈને, જે રીતે જ, અહીં જ=આ પંચવસ્તુક ગ્રંથમાં જ, પૂર્વે ગાથા ૨૩૩ વગેરેમાં, વર્ણવાયું, તે રીતે જ, પૂર્વોક્ત=ગાથા ૨૩રમાં કહેવાયેલ, ઉપધિને પ્રતિલેખે છે, અને ઉક્તક્રિયાકલાપના અપાન્તરાલમાં=અત્યાર સુધી કહેવાયેલ દિવસ-રાતની સાધુક્રિયાના સમૂહની વચ્ચે, પર્યાયને આશ્રયીને યથાક્રમ સ્વાધ્યાય કરે છે, અર્થાતુ પોતે અત્યાર સુધી જેટલું શ્રુતનું અધ્યયન કરેલ હોય તે સર્વશ્રતરૂપ પર્યાયને આશ્રયીને પ્રારંભથી માંડીને ક્રમસર સાધુઓ સ્વાધ્યાય કરે છે. તેના સ્વાધ્યાયના, આ=કહેવાનારા, ગુણો વર્ણવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં બતાવ્યું એ રીતે સાધુઓ ગુરુની અનુજ્ઞા લઈને ગાથા ૨૩૨માં બતાવેલ ઉપધિનું પડિલેહણ કરે છે. આ રીતે દિવસ દરમિયાન ઉચિત સમયે સર્વ ક્રિયાઓ કરતી વખતે સાધુને વચ્ચે વચ્ચે અવકાશ મળે ત્યારે સાધુઓ સ્વાધ્યાય કરે છે.
વળી તે સ્વાધ્યાય સાધુઓ પર્યાયને આશ્રયીને યથાક્રમ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ પોતે અત્યાર સુધીમાં જેટલું શ્રુત ભણ્યા હોય તે સર્વ શ્રતનો સ્વાધ્યાય થઈ શકે તો એક દિવસમાં પરાવર્તન કરીને પૂર્ણ કરે, અને જો પોતે ભણેલ સર્વ શ્રુતનો સ્વાધ્યાય સાધુ એક દિવસમાં પૂર્ણ ન કરી શકે, તો પ્રથમ દિવસે જેટલા શ્રતનો સ્વાધ્યાય કર્યો હોય તેનાથી આગળ-આગળના શ્રુતનો બીજે-ત્રીજે દિવસે પણ સ્વાધ્યાય કરીને પોતે ભણેલ સર્વ શ્રતનું પરાવર્તન કરી લે, અને સાધુ આ રીતે પોતે ભણેલ સર્વ શ્રુતનું પરાવર્તન કરી કરીને શ્રુતને અત્યંત સ્થિર રાખે.
વળી સાધુ શ્રતનું પરાવર્તન સૂત્ર અને અર્થમાં અત્યંત ઉપયુક્ત થઈને કરે છે, જેથી તેઓનો આત્મા મૃતથી ભાવિત રહે છે, પોતે ભણેલ શ્રુતની આજીવન અવિસ્મૃતિ રહે છે, તેમ જ સાધુક્રિયાઓની વચ્ચે સમય મળે ત્યારે સ્વાધ્યાય કરવાથી સાધુની ક્રિયાના ઉચિત કાળ સિવાયનો સમય પ્રમાદમાં પસાર થતો નથી, પરંતુ સ્વાધ્યાય દ્વારા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય છે. પપ૪માં અવતરણિકા :
પૂર્વગાથાના અંતે કહ્યું કે સ્વાધ્યાયના આ ગુણો વર્ણવાયા છે. તેથી સ્વાધ્યાયના એ ગુણો દર્શાવવા કહે છે –
ગાથા :
आयहिअपरिण्णा भावसंवरो नवनवो अ संवेगो । निक्कंपया तवो निज्जरा य परदेसिअत्तं च ॥५५५॥ सूचागाहा॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org