SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર-વાદ્રિ'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા પપ૩-૫૫૪ ૨૦૯ આશય એ છે કે સાધુઓને નિર્જરાનું કારણ હોય તેવાં કૃત્યો કર્તવ્ય છે, અન્ય નહિ. વળી નિર્જરા માટે જેમ સાધુને સ્વાધ્યાયાદિ કૃત્યો કર્તવ્ય છે તેમ પોતાનો દેહ ધર્મકાય હોવાથી ધર્મકાયના પાલન માટે શ્વાસોચ્છવાસાદિ સૂક્ષ્મ યોગો પણ સાધુને કર્તવ્ય છે; કેમ કે શ્વાસોચ્છવાસ, ચક્ષુના નિમેષ-ઉન્મેષ વગેરે દેહના સૂક્ષ્મ યોગો થતા રહે તો શરીર સંયમયોગોના નિર્વાહ માટે સમર્થ રહી શકે, અને તેવા સૂક્ષ્મ યોગોની અનુજ્ઞા કૃત્યકાળમાં લેવી શક્યા નહીં હોવાથી સવારમાં કૃત્ય એવા તે સૂક્ષ્મ યોગોની ગુરુ પાસે અનુજ્ઞા મેળવવા માટે સાધુઓ બહુવેલના આદેશ માંગે છે. આનાથી એ ફલિત થાય કે જે કૃત્યો ઉપયોગપૂર્વક કરવાનાં છે, તે કૃત્યોના પ્રારંભકાળ પૂર્વે ગુરુની અનુજ્ઞા મેળવવી પડે, અને સૂક્ષ્મ યોગો સતત થયા કરતા હોવાથી અને તેની પૂર્વ અનુજ્ઞા મેળવવી શક્યા ન હોવાથી, તે યોગોની ગુરુ પાસે અનુજ્ઞા મેળવવા માટે સાધુઓ ગુરુ પાસે બહુવેલના આદેશ માંગે છે, જેથી સાધુનાં સર્વ કૃત્યો ગુરુની અનુજ્ઞાથી કરાયેલાં થાય છે. અને ગુરુની અનુજ્ઞાથી સર્વ કૃત્યો કરવાના અધ્યવસાયને કારણે સાધુમાં ગુણવાન એવા ગુરુની પરતંત્રતારૂપ પરિણતિ પ્રગટે છે, જેથી સાધુની રત્નત્રયીની શુદ્ધિ થાય છે. તેના કારણે સાધુની શ્વાસોચ્છવાસાદિ રૂપ શારીરિક સૂક્ષ્મ ક્રિયાઓ કે સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યો ભગવાનની આજ્ઞા અનુસાર હોવાથી નિર્જરાનું કારણ બને છે. //પપ૩ અવતરણિકા: ગાથા ૨૩૦થી ૪૯૨ સુધીમાં સવારના પડિલેહણથી માંડીને દૈવસિપ્રતિક્રમણ સુધીની વિધિ બતાવી. ત્યાર પછી રાત્રિમાં કરવાની કાલગ્રહણાદિ વિધિને વિશેષ સૂત્રથી જાણી લેવાનો ગાથા ૪૯૩માં અતિદેશ કરીને ગાથા ૪૯૪થી ૫૫૩ સુધીમાં રાત્રિક પ્રતિક્રમણની અને રજોહરણ પડિલેહવાની વિધિ બતાવી. આથી ગાથા ૨૩૦થી ૫૫૩ સુધીમાં સાધુને પ્રતિદિન કરવાની ક્રિયાનું વર્ણન સમાપ્ત થયું. વળી, ગાથા પપરના અંતે કહ્યા મુજબ સાધુઓ બહુવેલાને કર્યા પછી રજોહરણનું પ્રતિલેખન કરે, અને ત્યારપછી કરવાની વિધિ ગાથા ૨૩૩થી ૨૬૬માં બતાવાયેલ છે, તે પ્રમાણે સાધુ કરે છે, તેમ નિર્દેશ કરીને દરેક ક્રિયાની વચ્ચે અવકાશ મળે ત્યારે સાધુઓએ સ્વાધ્યાય કરવો જોઈએ, તે બતાવે છે – ગાથા : उवहिं च संदिसाविअ पेहिंति जहेव वण्णिअं पुट्वि । विच्चंमि अ सज्झाओ तस्स गुणा वण्णिआ एए ॥५५४॥ અન્વયાર્થ: સંકિસવિડ =અને સંદિશાવીનેeગુરુની અનુજ્ઞા માંગીને, (સાધુઓ) નદેવ જે રીતે જ પત્રેિ વયં પૂર્વે વર્ણવાયું (તે રીતે જ) ૩áëઉપધિને હિંતિ=પ્રપેક્ષે છે, વિર્ષ્યામિ =અને વચમાં=દિવસ દરમિયાનની સર્વ ઉચિત ક્રિયાઓની વચમાં, સામો સ્વાધ્યાય સાધુઓ સ્વાધ્યાય કરે છે. તસ્કૃ=તેના= સ્વાધ્યાયના, પU =આ ગુણો=આગળની ગાથાઓમાં કહેવાશે એ લાભો, વuિrગા=વર્ણવાયા છે. ગાથાર્થ : અને ગુરની અનુજ્ઞા માંગીને સાધુઓ જે રીતે જ પૂર્વે કહેવાયું તે રીતે જ ઉપધિને પ્રત્યુપેક્ષે છે, અને વચ્ચે સ્વાધ્યાય કરે છે. સ્વાધ્યાયના આગળમાં કહેવાશે એ ગુણો વર્ણવાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy