________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૫૨
૨૦૦.
ગાથા :
थुइदाणं जहपुट्वि वंदंति तओ अ चेइए सम्म ।
बहुवेलं च करेंती पच्छा पेहंति पुञ्छणगं ॥५५२॥ અન્વયાર્થ :
થાઇ નહપુબ્રિસ્તુતિદાન યથાપૂર્વ છે=જે રીતે સાંજના પ્રતિક્રમણમાં સ્તુતિદાન બતાવ્યું તે રીતે સવારના પ્રતિક્રમણમાં સ્તુતિદાન જાણવું. તમો =અને ત્યારપછી (સાધુ) ચેv=ચૈત્યોને સí વંતિક સમ્યમ્ વંદે છે. વદુર્ત =અને બહુવેલાને તીકકરે છે, પછ ત્યારપછી પુછા=રજોહરણને પડિલેહે છે. ગાથાર્થ :
જે રીતે સાંજના પ્રતિક્રમણમાં બતાવ્યું તે રીતે સવારના પ્રતિક્રમણમાં સ્તુતિદાન જાણવું અને ત્યાર પછી સાધુઓ ચૈત્યોને સમ્યગ્ર વંદન કરે છે અને બહુવેલાને કરે છે, ત્યારપછી રજોહરણને પડિલેહે છે. ટીકાઃ
स्तुतिदानं प्रतिक्रमणपर्यन्ते यथापूर्वमिति यथा प्रादोषिक उक्तं तथैवाऽवसेयं, वन्दन्ते ततश्च तदनन्तरं च चैत्यानि सम्यग् अस्खलितादिप्रकारेण, बहुवेलां च कुर्वन्ति, तदनन्तरं च पश्चात् प्रेक्षन्ते सूत्रविधिना पुञ्छनं रजोहरणमिति गाथार्थः ।।५५२॥ ટીકાર્ય :
પ્રતિક્રમણના પર્વતમાં સ્તુતિદાન યથાપૂર્વ છે=જે રીતે પ્રાદોષિકમાં કહેવાયું તે રીતે જ જાણવું, અર્થાત્ દૈવસિક પ્રતિક્રમણની વિધિ બતાવતાં ગાથા ૪૮૯-૪૯૦માં જે પ્રમાણે કહેવાયું કે ગુરુની સ્તુતિ ગ્રહણ કરાયે છતે સાધુઓ સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી ત્રણ સ્તુતિઓને બોલે છે, એ પ્રમાણે રાત્રિક પ્રતિક્રમણમાં પણ સાધુઓ સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી ત્રણ સ્તુતિઓને બોલે છે.
અને ત્યારપછી સમ્યગુ=અખ્ખલિતાદિ પ્રકારથી, ચેત્યોને વંદે છે, અને બહુવેલાને કરે છે અર્થાતુ બહુવેલના આદેશ માંગે છે, અને ત્યારપછી પાછળથી પુંછનને રજોહરણને, સૂત્રની વિધિથી પ્રતિલેખે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સાધુઓ જેમ દેવસિક પ્રતિક્રમણમાં સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી “નમોડસ્તુ વર્ધમાનાય'ની ત્રણ સ્તુતિઓ બોલે છે, તેમ રાત્રિક પ્રતિક્રમણમાં પણ પ્રતિક્રમણની સમાપ્તિના હર્ષની અભિવ્યક્તિરૂપે સ્વરૂપથી અને શબ્દથી વધતી એવી “વિશાલલોચનદલ'ની ત્રણ સ્તુતિઓ બોલે છે.
આમ, સ્તુતિદાન કર્યા પછી સાધુઓ અસ્મલિતાદિ પ્રકારથી ચૈત્યોને વંદન કરે છે. વળી તે ચૈત્યોને વંદન વર્તમાનમાં કલ્યાણકંદ સૂત્રની ચાર થોયોથી થાય છે, વળી તે ચૈત્યવંદનાનું સૂત્ર સાધુઓ સૂત્રોચ્ચારણની અસ્મલિત, અમિલિતાદિ વિધિપૂર્વક બોલે છે. ત્યારબાદ સાધુઓ “બહુવેલ સંદિસાઉં ? બહુવેલ કરું ?” એવા ગુરુ પાસે બહુવેલના આદેશ માંગે છે, ત્યારબાદ સૂત્રમાં કહેલ વિધિ વડે રજોહરણનું પડિલેહણ કરે છે. પિપરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org