SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૫૧-૫૫૨ ટીકા : एतत् प्रत्याख्यानम् अनन्तरोदितं विशुद्धभावस्य सतो भवति जीवस्यावश्य, तथा चरणाराधनयोगात् कारणात् निर्वाणफलं मोक्षफलं जिना ब्रुवते एवमिति गाथार्थः ।।५५१॥ ટીકાઈ: આ=પૂર્વમાં કહેવાયેલું, પચ્ચકખાણ વિશુદ્ધભાવવાળા છતા જીવને અવશ્ય થાય છે, અને આ રીતે વિશુદ્ધભાવવાળા સાધુ પચ્ચખાણનું સેવન કરે એ રીતે, ચરણના આરાધનના યોગરૂપ કારણથી નિર્વાણરૂપ ફળવાળું=મોક્ષરૂપ ફળવાળું, પચ્ચકખાણ જિનો કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુ સમભાવને અતિશયિત કરવા અર્થે જિનાજ્ઞા પ્રમાણે યથાશક્તિ પચ્ચકખાણમાં યત્ન કરતા હોય, તેવા વિશુદ્ધભાવવાળા સાધુને ગાથા ૫૪૬થી ૫૫૦માં બતાવ્યું એ પ્રકારની શુદ્ધિવાળું પચ્ચખાણ થાય છે; કેમ કે જે સાધુઓ સમભાવમાં વર્તે છે અને સંવેગની વૃદ્ધિ અર્થે પચ્ચખાણમાં યત્ન કરે છે, તેઓ અત્યંત ઉપયોગપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરે છે, અને અત્યંત ઉપયુક્ત થઈને પચ્ચકખાણનું સમ્યગું પાલન કરે છે. વળી, સંવેગની વૃદ્ધિ માટે યત્ન કરનારા સાધુ જેમ પચ્ચકખાણમાં સમ્યગુ યત્ન કરતા હોય છે તેમ શક્તિ ગોપવ્યા વગર વૈયાવચ્ચમાં પણ સમ્યમ્ યત્ન કરતા હોય છે, તેથી વિશુદ્ધભાવવાળા સાધુનું પચ્ચક્ખાણ બંને પ્રકારની શુદ્ધિવાળું હોય છે. માટે આવા સાધુમાં ચારિત્રની આરાધનાનો યોગ પ્રગટે છે અર્થાત્ તેઓમાં પ્રગટેલ ચારિત્રનો પરિણામ ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રકર્ષવાળો થતો જાય છે, જેથી તે સાધુએ ગ્રહણ કરેલ પચ્ચકખાણ નિર્વાણરૂપ ફળવાળું બને છે, આ પ્રકારે જિનેશ્વરો કહે છે. પપ૧ અવતરણિકા : एवं प्रस्तुतोपयोगि प्रासङ्गिकमभिधाय प्रस्तुतशेषमाह - અવતરણિકાથઃ આ રીતે-ગાથા ૫૦પથી માંડીને ગાથા ૫૫૧ સુધીમાં વર્ણન કર્યું એ રીતે, પ્રસ્તુતમાં ઉપયોગી એવા પ્રાસંગિકને કહીને પ્રસ્તુત એવા પચ્ચકખાણગ્રહણમાં ઉપયોગી એવા આગારોનું સ્વરૂપ બતાવવા આદિરૂપ પ્રાસંગિક કથનને કરીને, પ્રસ્તુતના શેષને=પ્રસ્તુત એવા રાત્રિક પ્રતિક્રમણની વિધિના શેષ કથનને, કહે છે – ભાવાર્થ: - રાઈ પ્રતિક્રમણની વિધિ બતાવતાં ગાથા ૫૦૪માં કહેલ કે તપચિંતવનના કાયોત્સર્ગમાં ચિંતવેલ પચ્ચખાણ સર્વ સાધુઓ સાથે મળીને ગુરુ પાસે ગ્રહણ કરે છે, તેથી ગાથા ૫૦૫ માં પચ્ચખાણ ગ્રહણ કરવાનું સ્વરૂપ બતાવ્યું, જેનો વિસ્તાર ગાથા ૫૫૧ સુધી કર્યો. આ સર્વ કથન ગ્રંથકારે પ્રસંગથી કર્યું. હવે સાધુઓ ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી શું કરે છે? તે બતાવવા માટે રાઈ પ્રતિક્રમણની શેષ વિધિ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy