________________
પ્રતિદિનક્રિયાવસ્તુક
આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૮ થી ૫૫૦, ૫૫૧
૨૦૫
સ્વાધ્યાયાદિમાં અવસ્થાન કરે છે, અને આ રીતે પચ્ચક્ખાણગ્રહણકાળમાં તે સાધુમાં પ્રગટ થયેલા નિરાશસભાવરૂપ જે કલ્યાણનો પરિણામ હતો, તે પચ્ચખાણ આવ્યા પછી પણ થોડો કાળ અવસ્થાન કર્યા પછી પચ્ચખાણ પારવાથી અતિશયતાવાળો બને છે. તેથી કાળ મર્યાદા પૂરી થયા પછી પણ ચિત્તને સ્વસ્થ રાખીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરતા સાધુનું પચ્ચખાણ અપ્રમાદવૃદ્ધિનું સમ્યગું કારણ બને છે, અને આવું પચ્ચકખાણ તરિત કહેવાય છે, જે પ્રત્યાખ્યાનશુદ્ધિનો અંગભૂત ચોથો ઉપાય છે.
(૫) “શિ”િ ગ્રહણ કરેલ પચ્ચખાણનું કીર્તન કરવું તે કીર્તિત છે. અર્થાત્ ગ્રહણ કરેલ પચ્ચખાણનું કીર્તન કરવાથી પચ્ચકખાણ પ્રત્યેનો અહોભાવ વધે છે. આથી સાધુ વાપરતી વખતે પોતે નવકારશી વગેરે જે પચ્ચખાણ કર્યું હોય તેનું સ્મરણ કરે છે અને હર્ષને ધારણ કરે છે, કે “આજે મારાથી સુંદર પચ્ચકખાણનું પાલન થયું.” આ પ્રમાણે કીર્તન કરીને “હવે પછી હું વાપરીશ” એવો અધ્યવસાય એ પચ્ચક્ખાણનું કીર્તન છે. આવા કીર્તનનો આશય દરેક પચ્ચકખાણમાં અપ્રમાદભાવના આધાનનો છે. તેથી જે સાધુ શક્તિ ગોપવ્યા વગર પોતાની ભૂમિકાને અનુરૂપ પચ્ચકખાણમાં યત્ન કરે છે, તે સાધુ પોતાના પચ્ચખાણનું કીર્તન કરી શકે છે, અને તેવું કીર્તન કરેલું પચ્ચકખાણ ફળવાન બને છે. આવું પચ્ચખાણ કીર્તિત કહેવાય છે, જે પચ્ચકખાણશુદ્ધિનો અંગભૂત પાંચમો ઉપાય છે.
(૬) “માર”િ પૃષ્ટાદિ પાંચ પ્રકારો વડે જે પચ્ચખાણ સાધુએ સારી રીતે સમાપ્તિને પમાડેલું હોય તે આરાધિત પચ્ચખાણ કહેવાય, જે પચ્ચખાણશુદ્ધિનો અંગભૂત છઠ્ઠો ઉપાય છે. આ રીતે છયે અંગોથી સેવેલું પચ્ચકખાણ આરાધિત છે અને સમ્યમ્ શુદ્ધિનું કારણ બને છે. પ૪૮/૫૪૯/૫૫oll અવતરણિકા :
ગાથા ૫૪૬ના અંતે દર્શાવ્યું કે આ રીતે ઉચિત એવી પરની પ્રતિપત્તિ વડે અથવા વક્ષ્યમાણ વિધિ વડે પચ્ચખાણ શુદ્ધ થાય છે. તેથી હવે આ બંને રીતથી શુદ્ધ પચ્ચખાણ કોને થાય છે? અને તેનું ફળ શું છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
एअं पच्चक्खाणं विसुद्धभावस्स होइ जीवस्स ।
चरणाराहणजोगा निव्वाणफलं जिणा बिंति ॥५५१॥ અન્વયાર્થ :
પષ્યવસ્થાઈ=આ પચ્ચખાણ=પૂર્વે ફાસિતાદિક શુદ્ધિવાળું બતાવ્યું એ પચ્ચખાણ, વિશુદ્ધાવસ ગીવ=વિશુદ્ધભાવવાળા જીવને દો થાય છે. વરVIIRRUTનો =ચરણના આરાધનનો યોગ હોવાથી= વિશુદ્ધભાવવાળા જીવને ચારિત્રની આરાધનાનો યોગ હોવાથી, નિવ્વાતંત્રનિર્વાણરૂપ ફળવાળું (પચ્ચકખાણ) નિ=જિનો દ્વિતિ કહે છે. ગાથાર્થ :
પૂર્વે ફાસિતાદિ છે શુદ્ધિવાળું બતાવ્યું એ પચ્ચક્ખાણ વિશુદ્ધભાવવાળા જીવને થાય છે. વિશુદ્ધભાવવાળા જીવને ચારિત્રની આરાધનાનો યોગ હોવાથી નિર્વાણરૂપ ફળવાળું પચ્ચકખાણ જિનેશ્વરો કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org