SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/“આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૪૮ થી ૫૫૦ વળી પચ્ચખાણ ઉચિત કાળમાં ગ્રહણ કરવાનું છે. આથી નવકારશી, પોરિસી, સાપોરિસીનું પચ્ચખાણ સૂર્યોદય પહેલાં, અને પુરિમઢ, અવઢનું પચ્ચખાણ પોરિસીનું પચ્ચખાણ આવે તે પહેલાં ગ્રહણ કરવું ઉચિત છે. તેથી ઉચિતકાળનું ઉલ્લંઘન કરીને ગ્રહણ કરાયેલું પચ્ચખાણ ઉચ્ચારણાદિથી વિશુદ્ધ હોવા છતાં સ્પષ્ટ ગુણમાં ખામીવાળું કહેવાય. (૨) “પતિ ” ગ્રહણ કરાયેલ પચ્ચખાણને વારંવાર ઉપયોગની અવિસ્મૃતિથી પ્રતિજાગૃત કરવું તે પાલિત છે અર્થાત્ સાધુ સર્વત્ર સમભાવવાળા હોવાથી સમભાવની વૃદ્ધિ થાય તે રીતે પચ્ચકખાણ ગ્રહણ કરતા હોવાથી પચ્ચકખાણ લીધા પછી સાધુ વારંવાર સમ્યગુ ઉપયોગની અવિસ્મૃતિથી પ્રતિજાગરણ કરે, કે “આજે મારે આહાર પ્રત્યે વિશેષ નિઃસ્પૃહતા કેળવીને અપ્રમાદભાવની વૃદ્ધિ કરવી છે.” તેથી પચ્ચખાણ ગ્રહણ કર્યા બાદ સાધુનો યત્ન નિરાશસભાવને નિષ્પન્ન કરવામાં વર્તતો હોય, તો તે ગ્રહણ કરાયેલું પચ્ચકખાણ ભગવાન વડે પાલિત કહેવાયું છે, જે પચ્ચખાણશુદ્ધિનો અંગભૂત દ્વિતીય ઉપાય છે. અહીં વિશેષ એ છે કે પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી સાધુ સુધા-તૃષાને કારણે પચ્ચખાણ પારવાના સમયને વારંવાર યાદ કરે તો પોતાનામાં પ્રમાદભાવની વૃદ્ધિ થાય. આથી સાધુએ તે સમયની સ્મૃતિના નિવારણપૂર્વક સમભાવની વૃદ્ધિમાં યત્ન કરવો જોઈએ, જે પ્રતિજાગરણા છે. અને જો પચ્ચખાણમાં તેવી પ્રતિજાગરણા સાધુ ન કરે તો વારંવાર પચ્ચખાણ પારવાના સમયની સ્મૃતિને કારણે તે સાધુના અન્ય યોગોમાં શિથિલતા થાય, જેથી ગ્રહણ કરેલ પચ્ચખાણ અપ્રમાદને બદલે પ્રમાદની વૃદ્ધિનું કારણ બને, અને આવું પચ્ચકખાણ પરમાર્થથી પાલિત કહેવાય નહીં. વળી, સ્થૂલ વ્યવહારનયથી પચ્ચખાણની મર્યાદા સુધી આહાર ન કર્યો હોય, કે આહાર કરવાનો વિચાર પણ ન કર્યો હોય તો તે પચ્ચખાણ પાલિત કહેવાય; પરંતુ નિશ્ચયનયથી પચ્ચખાણપાલનનું પ્રયોજન નિષ્પન્ન થાય તો તે પચ્ચક્ખાણ પાલિત કહેવાય, અને સમભાવને અતિશયિત કરવામાં અપ્રમાદની વૃદ્ધિ સાધુના પચ્ચખાણપાલનનું પ્રયોજન હોવાથી, પચ્ચખાણથી અપ્રમાદભાવ વૃદ્ધિ ન પામે તો તે પચ્ચખાણ તત્ત્વથી પાલિત ન કહેવાય. (૩) “”િ ગૃહીત પચ્ચકખાણને સુશોભન કરવું તે શોભિત છે. અર્થાત્ પચ્ચખાણ લેવાનું પ્રયોજન વિશેષ પ્રકારના નિરાશસભાવની વૃદ્ધિ હોવાથી સાધુ પચ્ચકખાણ પાર્યા પછી પોતે લાવેલ આહાર ગુરુને આપે, અને ગુરુ જે અશનાદિ આહાર લે, તેમાંથી વધેલું ભોજનને કોઈપણ જાતના મનના ખેદ વગર ઉત્સાહથી પોતે વાપરે, અને એમ ન વિચારે કે “મારે એકાસણું વગેરે તપ છે તોપણ અવશિષ્ટ અને નિસ્સાર એવું ભોજન મારે માટે રાખ્યું,” પરંતુ પોતાની નિઃસ્પૃહતાની વૃદ્ધિ થાય તે રીતે ભોજન વાપરીને સાધુ વિચારે કે “સારભૂત ભોજન ગુરુના દેહનું ઉપખંભન કરીને જ્ઞાન-ધ્યાનાદિની વૃદ્ધિનું કારણ બનશે.” આમ, ગુરુને સારભૂત ભોજન આપવા દ્વારા અને પોતે અવશિષ્ટ નિસ્સાર ભોજન વાપરવા દ્વારા શુદ્ધ અધ્યવસાયથી ગ્રહણ કરેલ પચ્ચકખાણ શોભિત થાય છે, જે પ્રત્યાખ્યાનશુદ્ધિનો અંગભૂત તૃતીય ઉપાય છે. (૪) “તરિ” પચ્ચખાણની મર્યાદા પૂર્ણ થયે છતે પણ થોડા કાળનું અવસ્થાન કરવું તે તીરિત છે. અર્થાત્ સાધુ શક્તિના પ્રકર્ષથી તપમાં યત્ન કરતા હોય ત્યારે કાલાવધિ પૂરો થાય કે તરત પચ્ચક્ખાણ પારવાને અભિમુખ તેમનો અધ્યવસાય થાય તો તે અધ્યવસાય કાંઈક પ્રમાદભાવને સૂચવે છે. આથી તેવો પ્રમાદભાવ ન આવે તે માટે પચ્ચકખાણની કાલમર્યાદા પૂરી થયા પછી પણ સાધુ થોડા કાળ સુધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy