SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૮ થી ૫૫૦ ૨૦૩ અને અવધિ પૂર્ણ થયે છતે પણ=પચ્ચખાણની મર્યાદા પૂરી થયે છતે પણ, થોડા કાળના અવસ્થાનથી આરકલ્યાણમાં આધાન વડે=પચ્ચકખાણના પાલન દ્વારા પ્રાપ્ત એવા કલ્યાણમાં અતિશયતાના આધાર વડે, પચ્ચકખાણ તીરિત થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : भोअणकाले अमुगं पच्चक्खायं ति भुंजि किट्टिअयं । आराहिअं पगारेहि सम्ममेएहिं निविअं ॥५५०॥ અન્વયાર્થ: જોગવાજો ભોજનકાળ થયે છતે અમુક અમુક પચ્ચખાણ કરાયું, તિ=એથી નિ=હું વાપરીશ, વિનિયંક(એ પચ્ચખાણ) કીર્તિત છે. દિંપરેટિંઆ પ્રકારો વડે પૂર્વે બતાવેલ ફાસિતાદિ પાંચ પ્રકારો વડે, સાં નિવિદ્મ સમ્યગૂ નિષ્ઠાપિત સારી રીતે સમાપ્તિને પ્રાપ્ત કરાયેલું પચ્ચખાણ, ગાદિદં આરાધિત છે. ગાથાર્થ : ભોજનકાળ ચચે છતે અમુક પચ્ચકખાણ કરાયું એથી હું ભોજન કરીશ, એ પચ્ચક્ખાણ કીર્તિત છે. પૂર્વે બતાવેલ ફાસિતાદિ પાંચ પ્રકારો વડે સારી રીતે સમાપ્તિને પ્રાપ્ત કરાયેલું પચ્ચક્ખાણ આરાધિતા ટીકા? भोजनकाले प्राप्ते सत्यमुकं नमस्कारादि प्रत्याख्यातमिति भोक्ष्ये कीर्तितमेतत्, तथा आराधितं नाम प्रकारैः सम्यगेभिः अनन्तरोदितैः निष्ठापितं समाप्ति नीतमिति गाथार्थः ।।५५०॥ ટીકાર્ય : ભોજનકાળ પ્રાપ્ત થયે છતે નવકારશી આદિ અમુક પચ્ચકખાણ કરાયું, એથી હું વાપરીશ, એ કીર્તિત છે, તથા આ=અનંતરમાં ઉદિત પૂર્વમાં કહેવાયેલા, પ્રકારો વડે સમ્યગુ નિષ્ઠાપિત=સમાપ્તિને પમાડાયેલું, પચ્ચકખાણ આરાધિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પચ્ચકખાણની શુદ્ધિના છ ઉપાયો છે : (૧) “afasi” ઉચિત કાળમાં ઉચ્ચારણાદિ વિધિપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવું તે સ્પર્શિત છે અર્થાત્ સાધુ જયારે ગુરુ પાસે જઈને ગુરુમુખથી પચ્ચખાણનું શ્રવણ કરતા હોય ત્યારે સાધુ સ્વયં પણ મનમાં પચ્ચખાણનું સ્પષ્ટ ઉચ્ચારણ કરે, અને પચ્ચખાણના અર્થોમાં માનસયત્ન કરે, જેથી પોતે કેટલા આગારોવાળું કયું પચ્ચખાણ ગ્રહણ કરે છે, તેમાં ઉપયોગ રહેવાથી પચ્ચખાણના અર્થોના સ્પર્શપૂર્વક પચ્ચખાણ પાળવાનો અધ્યવસાય થાય. આ પ્રકારે ગ્રહણ કરાયેલું પચ્ચખાણ પરમગુરુ એવા ભગવાન વડે સ્પષ્ટ કહેવાયું છે, જે પચ્ચકખાણશુદ્ધિનો અંગભૂત પ્રથમ ઉપાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy