________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ’ દ્વાર | ગાથા ૫૪૬-૫૪૭ અથવા આ રીતે જવક્ષ્યમાણ વિધિથી જ=આગળમાં કહેવાશે એ વિધિથી જ, પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
ગાથા ૫૩૭-૫૩૮માં સ્થાપન કર્યું એ રીતે પચ્ચક્ખાણવાળા સાધુ અન્યને આહારનું દાન કરે કે શ્રાવકાદિનાં કુલો બતાવે તેમાં કોઈ દોષ નથી.
૨૦૦
અહીં પ્રશ્ન થાય કે જે સાધુએ સ્વયં આહારનો ત્યાગ કર્યો હોય તે સાધુ અન્યને આહારનું દાન કરે કે અન્યને આહારપ્રાપ્તિના ઉપાયો બતાવે તો દોષ કેમ નથી ? તેથી કહે છે
તપસ્વી સાધુ ગુણવાન એવા આચાર્યાદિની ભક્તિ માટે જે આહારદાનાદિ પ્રવૃત્તિ કરે છે તે અધિકરણરૂપ નથી. આશય એ છે કે જે પ્રવૃત્તિથી કર્મબંધ થાય તે પ્રવૃત્તિને અધિકરણ કહેવાય, અને અન્યને આહારના દાનાદિની પ્રવૃત્તિ અધિકરણરૂપ નથી; કેમ કે પચ્ચક્ખાણવાળા સાધુએ લાવી આપેલ આહાર વાપરવાથી પુષ્ટ થયેલ તે આચાર્યાદિનું શરીર પાપવ્યાપારમાં પ્રવર્તવાનું નથી, પરંતુ તે પુષ્ટ થયેલ શરીરથી તે આચાર્યાદિ સંયમની ઉચિત પ્રવૃત્તિ કરીને સંયમની વૃદ્ધિ ક૨શે, માટે તે અન્નદાનાદિની પ્રવૃત્તિ તે મહાત્માની સંયમવૃદ્ધિરૂપ ગુણનું કારણ બને છે. આથી તેમાં કોઈ દોષ નથી.
આનાથી ફલિત થાય કે જે પ્રવૃત્તિ અધિકરણ ન હોય અને ગુણનું કારણ હોય તે પ્રવૃત્તિ પચ્ચક્ખાણમાં કરવાથી દોષ લાગતો નથી, પરંતુ ગુણવાન એવા સાધુઓની ઉચિત વૈયાવચ્ચ કરવાને કારણે પોતાનું પચ્ચક્ખાણ શુદ્ધ બને છે; કેમ કે જેમ સાધુ સ્વયં પચ્ચક્ખાણ કરીને પોતાના સમભાવની વૃદ્ધિ કરે છે, તેમ અન્યને અન્નદાનાદિ કરીને પણ અન્યના સમભાવની વૃદ્ધિમાં નિમિત્ત બને છે, માટે તે સાધુનું પચ્ચક્ખાણ શુદ્ધ બને છે; પરંતુ જો પોતાની શક્તિ હોવા છતાં પચ્ચક્ખાણવાળા સાધુ અન્યના સમભાવની વૃદ્ધિના ઉપાયભૂત અન્નદાનાદિની પ્રવૃત્તિ કરે નહીં તો પોતાનું સીર્ય ગોપવવાને કારણે તે સાધુનું પચ્ચક્ખાણ શુદ્ધ બનતું નથી.
અહીં પ્રશ્ન થાય કે પચ્ચક્ખાણવાળા જે સાધુમાં અન્યને અન્નદાનાદિની પ્રવૃત્તિ કરવાની શક્તિ ન હોય અથવા તો અન્નદાનાદિની પ્રવૃત્તિ કરવાનો તેવો કોઈ સંયોગ પોતાને પ્રાપ્ત ન થયો હોય, તેવા સાધુનું પચ્ચક્ખાણ કઈ રીતે શુદ્ધ બને ? તે જણાવવા માટે ગ્રંથકાર વૃં ચનો અર્થ અથવાથી બીજી રીતે કરે છે. આવા સાધુનું પચ્ચક્ખાણ આગળમાં બતાવાશે એ વિધિ ક૨વાથી શુદ્ધ બને છે. II૫૪૬॥
અવતરણિકા:
तथा चाह
અવતરણિકાર્ય :
-
અને તે રીતે—પૂર્વગાથામાં કહ્યું તે રીતે, કહે છે
ભાવાર્થ:
પૂર્વગાથામાં વં નો અર્થ કરતાં કહ્યું કે વક્ષ્યમાણ વિધિથી પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે. તેથી તે વક્ષ્યમાણ વિધિ દર્શાવવા અર્થે ‘તથા 'થી કહે છે
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org