________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૪૬
ગાથા :
ता नत्थि एत्थ दोसो पच्चक्खाए वि निरहिगरणम्मि ।
गुणभावाओ अ तहा एवं च इमं हवइ सुद्धं ॥५४६॥ અન્વયાર્થ:
તા તે કારણથી=ગાથા પ૩૭-૫૩૮માં જે બતાવ્યું છે તે કારણથી, નિદિરમિ=નિરધિકરણ હોતે છતે પચ્ચક્ખાણમાં અન્યને અશનાદિનું દાન અને ઉપદેશ અધિકરણના અભાવવાળાં હોતે છતે, તહાં મ ગુમાવાઝો અને તે પ્રકારે ગુણનો ભાવ હોવાથી, વ્યવસ્થા વિ=પ્રત્યાખ્યાન કરાય છતે પણ પ્રત્યેક અહીં=અન્નદાનાદિમાં, રસો નથિ=દોષ નથી; પર્વ =આ રીતે જ રૂમં=આ=પચ્ચકખાણ, સુદ્ધ-શુદ્ધ હવઠ્ઠFથાય છે. * “á a'માં “' કાર અર્થક છે.
ગાથાર્થ :
ગાથા પ૩૦-૫૩૮માં જે બતાવ્યું છે તે કારણથી, પચ્ચક્ખાણમાં અન્યને અશનાદિનું દાન અને ઉપદેશ અધિકરણના અભાવવાળાં હોતે છતે, અને તે પ્રકારે ગુણનો ભાવ હોવાથી, પચ્ચકખાણ કરાયે છતે પણ અનાદાનાદિમાં દોષ નથી. આ રીતે જ પચ્ચખાણ શુદ્ધ થાય છે. ટીકા?
यस्मादेवं तस्मानास्त्यत्र दोषः अन्नदानादौ प्रत्याख्यातेऽपि सति स्वयं, निरधिकरण इत्यधिकरणाभावे सति गुणभावाच्च तथा तेन प्रकारेण धर्मकायोपष्टम्भलक्षणेन, एवं चेत्येवमेवोचितपरप्रतिपत्त्या इदं= प्रत्याख्यानं भवति शुद्धं, नान्यथा, अथवा एवं च-वक्ष्यमाणेन विधिनेति गाथार्थः ॥५४६॥ ટીકાર્ય :
જે કારણથી આમ છેડ્યગાથા પ૩૭-૫૩૮માં કહ્યું એમ છે, તે કારણથી સ્વયં પ્રત્યાખ્યાન કરાયે છતે પણ અહીં અન્નદાનાદિમાં, દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે પચ્ચખાણ હોવા છતાં અન્નદાનાદિમાં દોષ કેમ નથી? તેથી કહે છે – નિરાધિકરણ હોતે છતે=અધિકરણનો અભાવ હોતે છતે પચ્ચકખાણમાં અન્નદાનાદિની પ્રવૃત્તિ અધિકરણના અભાવવાળી હોતે છતે, અને તે પ્રકારે=ધર્મકાયના ઉપખંભના લક્ષણવાળા તે પ્રકારથી, ગુણનો ભાવ હોવાથી આહાર વાપરનાર સાધુની ધર્મમય કાયાની પુષ્ટિ દ્વારા તેઓના સંયમની વૃદ્ધિરૂપ લાભની પ્રાપ્તિ હોવાથી, પચ્ચખાણ હોવા છતાં અન્નદાનાદિમાં દોષ નથી, એમ અન્વય છે.
આ રીતે જ=પચ્ચકખાણવાળા સાધુ અન્યને અન્નદાનાદિથી ઉચિત વૈયાવચ્ચ કરે એ રીતે જ, ઉચિત એવી પરની પ્રતિપત્તિથી–ઉચિત એવા ગુણસંપન્ન મહાત્માઓની વૈયાવચ્ચ કરવાથી, આ=પચ્ચખાણ, શુદ્ધ થાય છે, અન્યથા નહીં=શક્તિ હોવા છતાં પચ્ચખાણવાળા સાધુ ઉચિતની વૈયાવચ્ચ ન કરે તો તેમનું પચ્ચખાણ શુદ્ધ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org